________________
૬૬
ધ્યાન અને જીવન
બનાવ્યા, તેથી જ અહીં એનો વારસો લઈ આવ્યા; જે હવે અહીં સુધરતા નથી. બાકી હંમેશ માટે ગાઢ ચીકણા જ આશય હોય એવો નિયમ નથી. એટલે જ આપણે આપણા આશયને સુધરે એમ માની ઉપદેશ મનન અને ધર્મસાધનાથી એને સુધારતા જવા જોઈએ.
આ એક વાત થઈ કે ધર્મસાધના કરતાં એના ફળરૂપે સુખ-સન્માન સાહ્યબી ઈચ્છાય તો આ ઈચ્છા એ મલિન આશય છે. અને એના પરિણામમાં ભવાંતરે બ્રહ્મદત્તની જેમ પાપબુદ્ધિ મળે છે, સત્બુદ્ધિ નહિ. અર્થાત્
ધર્મથી સુખ. પણ એની સાથેના મલિન આશયથી પાપ બુદ્ધિ મળવાની. અને એનાં ફળમાં પાપમય દુ:ખમય ભવોની પરંપરા ચાલવાની.
માટે જ શાસ્ત્ર-સ્વાધ્યાય ને તપ ધર્મ સેવતાં એના ફળરૂપે માનપાનાદિની આકાંક્ષા નહિ કરવાની, નહિતર ત્યાં કર્મક્ષય નહિ, પણ આ અનર્થો થશે. મલિન આશયની આ એક વાત.
*
ન
બીજી વાત આ, કે ધર્મસાધનાના ફળરૂપે આવું કોઈ પૌદ્ગલિક ફળ કે લૌકિક લાભ તો ન ઈચ્છે, પરંતુ જો સાથે સાથે મૈત્રી આદિ ચાર શુભ ભાવ ન રાખે અને આહારાદિ સંજ્ઞાઓ પર અંકુશ ન રાખે, કિન્તુ કોઈના પર વૈર વિરોધ રાખે, કઠોરતા, દ્વેષ, ઈર્ષ્યા રાખે, પરદોષ-દર્શન કરે યા આહારાદિ સંજ્ઞા રાખે, તો એ પણ મલિન આશય ગણાય. એ પણ ધર્મસાધનાને કૂચા જેવી કરી નાખે, અને એ મલિન આશયો હદય પર એવો કબ્જો મેળવી લે કે અહીં જિંદગીના છેવાડા સુધી તેમજ પરલોકમાં પણ એ સાથે રહે.
૭ સાધનામાં પાયો અને શુદ્ધિ
ધર્મસાધના પાયાવાળી બનવા માટે મૈત્રી આદિ ચાર ભાવ જોઈએ, અને ધર્મસાધના શુદ્ધ થવા માટે આહારાદિસંજ્ઞા તથા ક્રોધાદિ સંજ્ઞાનો નિગ્રહ જોઈએ.
સુંદર શાસ્ત્ર-સ્વાધ્યાયનો ધર્મ કરવા બેઠા એ ધર્મ ઉદ્દેશ પણ કોઈ દુન્યવી લાભ લેવાનો ન રાખ્યો. એટલે એ રીતે મિલન આશય નથી, પરંતુ દિલમાં જો કોઈન પ્રત્યે વૈર, વિરોધ, દ્વેષ, ઈર્ષ્યા વગેરે પ્રવર્તી રહેલ છે, અથવા મનમાં આહાર-પાણીની કે ઈદ્રિયવિષયો યા પરિગ્રહ કે નિદ્રાની સંજ્ઞા-ઈચ્છા-વિચારણા ચાલી અથવા કોઇ ક્રોધ અહંકાર માયા લોભ સળવળ્યા કર્યો તો એ પણ મલિન આશય છે, અશુભ અધ્યવસાય છે, અને તે ધર્મસાધનાને અશુદ્ધ કરી નાખે છે. ધર્મની સાધના તો નિર્મળ નિષ્પાપ વિશુદ્ધ હદયથી કરવાની હોય. પરંતુ આ અ-મૈત્રી આદિ સંજ્ઞ સળવળવાના લીધે હૃદય જ અશુદ્ધ હોય પછી શુદ્ધ હૃદયથી ધર્મસાધના થતી સાધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org