________________
આભ્યન્તર તપ ૪ સ્વાધ્યાય
૬૫
ધર્મ એટલા માટે કરો કે વિષય-સુખો અને પાપસ્થાનકો ગોઝારાં લાગે. સુખો અને પાપો હજી ગોઝારાં ન લાગતાં હોય, પણ ગમતાં હોય તો એ પૂર્વ ભવના મેલા આશયનું ફળ છે. માટે હવે એ આશયને ધર્મથી સુધાયૅ છૂટકો; જેથી આગળના ભવે પાછા એનો વારસો ઊતરી ન આવે, અહીં એક સવાલ થાય,
પૂર્વના આશય-વારસા સૂધરે ?
પ્ર૦ - પૂર્વના ખરાબ આશયનો અહીં વારસો જ હોય, તો પછી ધર્મ કરવાં છતાં સારો આશય કેમ આવે ?
ઉ૦ - વારસા બે જાતના, - (૧) ચીકણો. તે અહીં બ્રહ્મદત્તની જેમ લાખ ઉપદેશ મળવા છતાં ન સૂધરે. ત્યારે (૨) બીજો એવો ચીકણો વારસો નહિ કે જે ઉપાયથી ન સુધરે. એ તો ઉદ્યમ કરો તો સુધરી જાય. માટે તો જીવ અનાદિથી મેલા જ છતાં ધર્મ-શાસનના પ્રતાપે એમાં સુધારા થાય છે.
ભગવાન શાસન સ્થાપે છે એ જીવોના આશય સુધારવા માટે જ. જો એ આશયો પૂર્વના મલિન છે, માટે સુધરતા જ ન હોય તો તો શાસન સ્થાપવાનું નિરર્થક જાય. માટે માનવું જોઈએ કે ગાઢ ચીકણા નહિ એવા આશયના વારસા અહીં ઉપાયથી સુધરી શકે. જિનશાસન એ ઉપાય છે, જિન-શાસનમાં આશય શુદ્ધિના ઉપાયો છે. ત્યારે આપણે એવું શું કામ માની લેવું કે આપણે પૂર્વથી ગાઢ ચીકણા જ આશયના વારસા લઈ આવ્યા છીએ તે ઉપાયથી સુધરે એવા જ નથી ? એવું માની લેવાનો અર્થ તો એ થાય કે ‘ભલે ત્યારે આશય ખરાબ રહેતા’એ કાંઈ સુધરે કરે નહિ,’ અર્થાત્ ખરાબ આશય રહેવાના આપણને ખટકો નથી. પછી શું એ વિચાર્યું છે કે એમ અહીં એ અકબંધ રહ્યાનું પરિણામ ભવાંતરે કેવું ? એવા કે એથી ય વધુ ગાઢ ખરાબ આશય ઊતરી આવવાના, એ જ ને ? તો ખપશે ને આ ?
જન્મોજન્મ હૈયાના મેલા આશયોની પરંપરા ચલાવી એનું તો આ ફળ છે કે અનંતા દુ:ખદ જન્મ મરણની પરંપરા અખંડ ચાલી આવી છે.
આય સુધરી શકે છે. :
તો હવે પણ એ મિલન આશયની પરંપરા ચાલુ રાખવી છે ? હંમેશા માટે જો ગાઢ ખરાબ આશય જ રહેતા હોય, તો તો એવી જ પરંપરા રહ્યા કરે, એટલે પછી કદી સુધારો ય નહિ અને મોક્ષ પણ નહિ. ભૂલશો નહિ, બ્રહ્મદત્તને બહુ પૂર્વના ભવોમાં ચિત્તના ગાઢ મેલા આશય જ હશે. પરંતુ પૂર્વના મુનિ-અવતારે ગુરુના ઉપદેશથી એણે આશય સુધારી નાખેલા; તેથી જ આકરા સંયમ-તપમાં ચડી ગયા હતા, અને એ સાધીને આશયમાં વળી વધુ સુધારો કરેલો એનું દૃષ્ટાન્ત એમના ભાઈ મુનિ. પરંતુ આ ભાઈસાહેબે ખોટું નિમિત્ત પામી હાથે કરીને એમાં લલચાઈ આશય ગાઢ ખરાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org