________________
આભ્યન્તર તપ ૪ સ્વાધ્યાય
મળી તો ગયું પરંતુ પેલા આશયમાં વિધ્યસુખના રાગનો આવેશ ભારે હતો, તેથી અહી એના વારસારૂપે મહા મોહમૂઢ બુદ્ધિમળો.
એમાં પૂર્વનો સ્નેહાળ ભાઈ તે અહીં અવધિજ્ઞાની મુનિ તરીકે થઈ આવી મળ્યા. બ્રહ્મદત્તને પોતાને પણ પૂર્વ ભવનાં જાતિસ્મરણજ્ઞાન પ્રગટયાં, અને અવધિજ્ઞાની મુનિએ એ ભવો બરાબર કહી બતાવ્યાં અને સમજાવ્યું,
બ્રહ્મદત્તને મુનિ શું કહે છે ? આ કે'જો, આ મળ્યું એ પૂર્વના ચારિત્ર અને તપનો પ્રભાવ છે.તેથી હવે પાછું ચારિત્રમાં આવી જઈ સર્વત્યાગ જ કરવા યોગ્ય છે. નહિતર આ વિષય-સુખોમાં લીન બનવાથી નરકાદિ દુર્ગતિઓમાં ભટકવાનું થશે. માટે આનો મોહ છોડી દે; અને જે ત્યાગધર્મ જ તારણહાર છે, અવિનાશી મોક્ષ-સુખ અપાવનાર છે, એનો જ પુરુષાર્થ કરે. આ માટે માત્ર એક માનવભવ જ સમર્થ છે. સર્વત્યાગ માનવભવમાં જ થઈ શકે; મરીને સર્વત્યાગ તો દરેક ભવમાં કરવો જ પડે છે, પણ તે અંતરમાં લાલસાઓ જીવતી રાખીને. ત્યારે જો મરીને તો બધું મૂકવું જ પડે છે, તો જીવતાં જ સ્વેચ્છાએ કેમ બધું ન છોડવું ?”
આટલું સમજાવવા છતાં બ્રહ્મદત્તને એની અસર ન થઈ. ઉપદેશની અસર ન થવાનું કારણ આ, કે પૂર્વે આશય બગાડીને આવ્યો હતો. પૂર્વે ગુરુએ શું સમજાવેલું ? :
બ્રહ્મદત્તે પૂર્વ ભવે ધર્મ તો રુડો - રૂપાળો કરેલો, ઊંચું ચારિત્ર પાળેલું અને ઘોર તપસ્યા કરેલી; એ પાળતાં - કરતાં આશય પણ સારો આત્મકલ્યાણનો રાખેલો, ગુરુએ સમજાવેલું કે 'તમે પાપના ઉદયથી ભંગીના ઘેર જન્મેલા, પુણ્યના ઉદયથી એ છૂપું રહ્યું અને સારા સંગીતકાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા, પણ પછી પાછા પાપના ઉદયથી અવગણના અને અપયશ પામ્યા. હવે એથી તમે નિરાશ થઈ આપઘાત કરવા જાઓ છો, કિન્તુ એમ કરવાથી કાંઈ હજી આત્માની અંદર સંઘરાઈ પડેલાં ઢગલાબંધ પાપો નહિ મરે, ને ઊર્દુ આપઘાતમાં ભારે અસમાધિથી નવાં પાપના ભાર વધારી દેશો. તો જે મરવામાં જુનાં પાપ ઊભા રહે અને નવાં વધે એવું કરવામાં શું ડહાપણ?
મરવું તો તે સારું કે જેની પૂર્વે પાપો મરી પરવાર્યા હોય અને એ પાપોની મરી પરવારવાનું કઠોર સંયમ તથા તપથી બને.
ગુરુએ આ સમજાવવા પર બ્રહ્મદત્તનો જીવ પૂર્વ ભવે ભાઈ સાથે સાધુ થયેલ અને પાપનાશ માટે કઠોર સંયમ તપની સાધનામાં મચી પડેલ. પરંતુ ત્યાં પછીથી એમને સનકુમાર ચક્રવર્તી પોતાની પટ્ટરાણી સાથે વંદન કરવા આવેલ અને વંદન કરતી પટ્ટરાણીનો સુકોમળ કેશ-કલાપ નીચે પડતા આ મુનિના પગને અડયો. એમાં મુનિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org