SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન - દુર્ગછાનો ભાવ છે, કે જે પરદોષદર્શન છે, તો ત્યાં મૈત્રી-કરુણા-પ્રમોદ માધ્યસ્થ ભાવ ન હોઈ શકે અને એવા વૈર આદિ મલિનભાવ ભર્યા હદય સાથે ધર્મસાધના થાય તો એ ધર્મરૂપ નહિ બને. આશય બે રીતે મલિન :સાધનામાં આશયનું મોટું મહત્વ છે. શાસ્ત્રાધ્યયનની સાધના મોટી પણ (૧) ન તો એનો ઉદ્દેશ દુન્યવી માનપાન મેળવવાનો જોઈએ, કે (૨) ન તો એ સાધના વખતે દિલમાં આહારાદિ સંજ્ઞા યા અમૈત્રી આદિ ભાવ ફરકવા જોઈએ. એ ખરાબ ભાવ એટલે જ મલિન આશય; પછી એ અશુભ આશય (૧) ધર્મ સાધ્યાનાં આવનારા ફળરૂપે દુન્યવી લાભની આકાંક્ષા સ્વરુપ હોય, યા (૨) ધર્મની સાધના વખતે પ્રવર્તતી અમૈત્રી આદિ કે આહાર સંજ્ઞાદિ યા ક્રોધસંજ્ઞાદિ રૂપ હોય-બંને ય આશય ખતરનાક હોય છે; બંને ય ભાવ ખરાબ આશય છે; અને એ ઊંચી પણ ધર્મકિયા-ધર્મસાધનાને અંતે દુખદ બનાવી દે છે. દિલને ભૌતિક ફળની લાલસાવાળું રાખો તો ય ખરાબ, અને એમે ય દ્વેષ - ઈર્ષ્યાદિ ભાવવાળું રાખે તો ય ખરાબ. દિલ ખરાબ હોય પછી કાયા - વાણી સારી ક્રિયામાં જોડયા તેથી શું ? “પરિણામે બંધ' યાદ છે ને ? ક્રિયાએ બંધ નહિ” શુભાશુભ કર્મ બંધાવાનું શુભાશુભ કિયાના આધારે નહિ, કિન્તુ દિલના શુભાશુભ પરિણામના આધારે, આશયના આધારે, એ પરિણામે બંધનો અર્થ છે. આશય એટલે ચિત્તનો ભાવ. એ આમ બે રીતે સંભાળવાનો. (૧) ધર્મસાધનાના ફળની આકાંક્ષા એ પણ ચિત્તનો ભાવ છે; એ ય મલિન ન જોઈએ. જો દુન્યવી વિષયો એનાં સુખ, સન્માનાદિ પામવાનો ઈરાદો આશા આકાંક્ષા રૂપ આશય છે. તો તે મલિન આશય છે. એમ (૨) કોઈના પર દ્વેષથી એને મારવા કરવાના ઈરાદા રૂપ આશય છે, તો તે ય મલિન છે. માટે ધર્મ સાધતાં મલિનભાવનું મિશ્રણ ન જોઈએ. મલિન આશય-ઈરાદો શું નુકશાન કરે ? : ધર્મસાધના જોરદાર હોય અને આવો ફળનો મેલો ઈરાદો-આશય ધર્યા હોય તો ઈચ્છિત મળે ખરું પરંતુ સાથે મતિ મહામોહ-મૂઢ મળે, એથી જીવન તામસી, વિષયાંધ મળે; ઈન્દ્રિયોના વિષયોનો રાગાવેશ અને ક્રોધાદિ કષાયોનો આવેશ ભારે મળે. ત્યાં પછી એવો જીવ કોઈનો સમજાવ્યો સમજે જ નહિ. મલિન આશય પર બ્રહ્મદત્તનું દષ્ટાંત બ્રહ્મદત્ત ચક્રવર્તી પૂર્વ ભવે ચારિત્ર અને તપ આરાધવા સાથે “એના પ્રભાવે ચક્રવર્તીના સુખ મળો' એવો આશય ઈરાદો આકાંક્ષા કરીને આવેલો. ચારિત્ર અને તપ જોરદાર હતા એટલે માગ્યું મળે એવું પુણ્ય ઊભું થયેલું; તે અહીં ચક્રવર્તીપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy