SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ [ આભ્યત્તર તપ ૪ સ્વાધ્યાય હુંફ છે, કે મારી મા મને હોંશથી ખવરાવે છે. મારા પર બહું પ્રેમ રાખે છે. એથી ઉલટું ઓરમાયો છોકરો અંતરમાં દુભાય છે, કે પ્રેમ કરનારી મારી સગી મા તો ગઈ. આ સાવકી મા તો મારા પર દ્વેષ કરે છે. છણ છણ કરે છે. પરાણે ના છુટકે ખવરાવતી હોય એમ ખવરાવે છે.” એટલે ખાવાની ક્રિયા વખતે બંનેના આશયમાં ફરક પડી ગયો, તે કિયા સમાન છતાં એકને પુષ્ટિ ને બીજાને સુકામાણ થાય છે. તો જેવી રીતે ખાવા - ખવરાવવાની ક્રિયા સમાન છતાં આશય જુદો જુદો હોવાથી ફળ જુદા જુદા આવે છે. એવી રીતે શાસ્ત્રાધ્યયનની ક્રિયા સમાન, છતાં જો આશય જુદા છે, તો ફળ કેમ જુદા ન આવે ? એમ મલિન આશયના સ્વાધ્યાયમાં સારું ફળ કયાંથી આવે ? આશયની ભોજન પર અસર : અરે ! એક ખૂબી જુઓ. ખાવાની ક્રિયા કયા ઉદ્દેશથી છે, એ વાત તો પછી; પરંતુ જો સારું ય ભોજન ખાતી વખતે મનમાં ગુસ્સો છે, તો પણ એ ખાધેલું વિક્રિયા કરે છે. આજનું સંશોધન કહે છે કે માણસ જો ભયભીત રહે છે, વહેમી શંકાકુશંકાવાળો બન્યો રહે છે, તો સારું ખાય છતાં એને ડાયાબીટીસ મીઠી પેસાબ વગેરેનો રોગ થાય છે. ત્યાં ખાવાનું ખોટા ઉદ્દેશથી નથી છતાં આશય યાને મનના ભાવની અસર પડે છે, આશયશુદ્ધિ પહેલી જરૂરીના ૨ પ્રમાણ : (૧) બસ, એ જ રીતે શાસ્ત્રાધ્યયન વગેરે ક્રિયાનો ઉદ્દેશ ખરાબ ન પણ હોય, કિન્તુ જે એ વખતે મનમાં કોઈના પર ગુસ્સો છે, ઈર્ષ્યા છે, યા ખાન-પાનની બહુ લાલસા કે ઈદ્રિયવિષયોનો રંગ છે, તો પણ એ ક્રિયા નુકશાનમાં ઊતરે છે. એટલા માટે તો કહ્યું કે સારી પણ સાધના ‘સંજ્ઞાવિષ્ઠભાગાવિત’ હોય તો જ તે શુદ્ધ સાધના બને છે. “સંજ્ઞાવિષ્ઠભણાન્વિત” એટલે કે આહારાદિ સંજ્ઞાઓ, આહાર - વિષય - પરિગ્રહ - ભયસંજ્ઞા અને ક્રોધાદિ કષાયસંજ્ઞા સાધના વખતે વિષંભિત જોઈએ, અટકેલી જોઈએ, એ મનને સતાવતી ન હોય. સાધનાનો ઉદ્દેશ મલિન ન પણ હોય છતાં ય એ વખતે આ પાપસંજ્ઞાની પીડા ન જોઈએ, નહિતર એથી પણ સાધના અશુદ્ધ બનીને ફળ મેલું આપે, સ્વાધ્યાય કરતી વખતે મારે ખાવું છે, મારે ખાવું છે, કર્યા કરે તો એ સ્વાધ્યાય શું ફળ આપે ? (૨) કિયા ઉપરાંત આશય પણ પવિત્ર જોઈએ. એ માટે તો ધર્મની વ્યાખ્યા કરતાં કહ્યું કે “મૈત્રાદિ-ભાવ-સંયુક્ત ધર્મ ઈતિ કીર્તતે.” ધર્મનું અનુષ્ઠાન દિલમાં મૈત્રી આદિ ભાવવાળું હોય તો તે ધર્મ કહેવાય. દિલમાં જો કોઈના પ્રત્યે વૈર-વિરોધ છે, ઉકળાટ છે, યા દુ:ખી પ્રત્યે કઠોરતા-નિમુરતાનો ભાવ છે, કે કોઈના પ્રત્યે ઈર્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy