________________
ધ્યાન અને જીવન
૬૦
‘સ્વ’ ને આત્માને અનુલક્ષીને જે સમ્યક્ શાસ્ત્રોનું અધ્યયન - અધ્યાપન થાય, એ સ્વાધ્યાય કહેવાય. અધ્યયનમાં લક્ષ પોતાના આત્માનું રાખવાનું કહ્યું. એથી સૂચવ્યું કે શાસ્ત્ર ભણવા-વિચારવા તે સ્વાત્મામાં સમ્યગ્ જ્ઞાનપ્રકાશ કેમ આવે, કેમ વધે, કેમ ટકે, અને એથી કેમ શુદ્ધ જ્ઞાન દ્રષ્ટિ વિકસે તથા શુદ્ધ કલ્યાણનો માર્ગ કેમ ખૂલે અનેએ આરાધવા પુરુષાર્થ થાય, આ જ ઉદ્દેશથી શાસ્ત્રો ભણવા વિચારવા. તો જ એ સ્વાધ્યાયને તપ કહેવાય; અને એનાથી મહાન કર્મક્ષય થતો આવે; નહિતર તો એ સ્વમાટેનો અધ્યાય ન બને.
સ્વાધ્યાયમાં સ્વને અનુલક્ષીને કામ કરવાનું છે, એટલે પછી લોકપ્રસિદ્ધ વિદ્વત્તા ઉત્કર્ષ માનપાન વગેરે ઉદ્દેશથી જે શાસ્ત્રાધ્યયન થાય, તો તે ‘સ્વાધ્યાય’ નામના આભ્યન્તર તપમાં નહિ ગણાય. કેમકે એમાં તો જે લોકપ્રસિદ્ધ વિદ્વતા આદિનું લક્ષ્ય રહ્યું તે કાંઈ આત્મહિતરૂપ નથી બનતા. એ તો ઉલટું આત્માના લોભકષાય માનકષાય વગેરે અહિતને પોષે છે. તો ત્યાં આત્માનું આત્મહિતનું લક્ષ કયાં રહ્યું ? ત્યારે અહિતપોષક અધ્યયનને સ્વનો અધ્યાય શી રીતે કહેવાય ?
જે અધ્યયન-અધ્યાપન સ્વના હિતમાં ઊતરે તેનું નામ ‘સ્વાધ્યાય.’
સ્વના હિતમાં કયારે ઊતરે ? સ્વના એટલે કે આત્માના હિતાર્થે થાય ત્યારે. અધ્યયનનો ઉદ્દેશ જ જો મલિન છે, આત્માનું હિત સાધવાને બદલે જડ કાયાનાં સુખ સગવડ સન્માન મેળવવાનો છે, તો એવા મલિન આશયથી કરાતી સ્વાધ્યાયાદિ સાધના આત્માનું હિત શું સાધી શકે ? અહીં પૂછો
ન
પ્ર૦ - ઉદ્દેશ ભલે દુન્યવી સુખ-સન્માન પામવાનો હોય પરંતુ ક્રિયા તો પવિત્ર શાસ્ત્રાધ્યયનની સારીજ છે ને ? તો પછી સારી ક્રિયાથી સારું ફળ કેમ ન આવે ? ઉ૦ - માત્ર ક્રિયા પર ફળનો આધાર નથી, પણ સાથે ઉદ્દેશ પણ ભાગ ભજવે છે. ‘ઉદ્દેશનું મહત્વ’ પર બે દષ્ટાન્ત :
પેટમાં છરી ખોસવાની ક્રિયા તો ખૂની પણ કરે છે, અને ડૉકટર પણ કરે છે. છતાં ખૂનીને ફાંસી મળે છે, ડોકટરને પૈસા અને જશ મળે છે. વળી સામાની દષ્ટિએ જોતાં એકનું ફળ પ્રાણનાશ સુધી પહોંચી જાય છે. ત્યારે બીજાનું ફળ દરદ મિટાવી પ્રાણની રક્ષા કરવાનું છે. કેમ ફરક ? કહો, ઉદ્દેશ જુદો જુદો છે માટે.
માતાની છોકરાને ખવરાવવાની ક્રિયા તો સરખી છે. પરંતુ પોતાનો સગો છોકરો પુષ્ટ થતો જાય છે, અને ઓરમાયો છોકરો દુબળો રહે છે, કેમ ફરક? કહો બંનેને ખવરાવવાની સરખી પણ ક્રિયામાં આશય જુદો જુદો છે. પેટના દીકરાની ઉપર દિલનો પ્રેમ છે, વાત્સલ્ય છે, અને તગડો પુષ્ટ બનાવવાનો ઊછરંગ છે. ત્યારે ઓરમાયા પુત્ર પર દ્વેષ છે, ઈર્ષ્યા છે, ખાર છે. તેમજ ખાતી વખતે પેટના દીકરાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org