________________
-
--
-
-
આત્તર તપ ૪ સ્વાધ્યાય
- ૫૯
વૈયાવચ્ચ એ પરાર્થ છે, પરની સેવાની કરણી છે, એટલે એમાં જનમ જનમના સ્વાર્થમાયાથી ઉપાર્જેલ પામકમોંના ચૂરા છે. એમાં વળી ગુણિયલ અને ધર્મી આત્માઓની વૈયાવચ્ચમાં એમની ગુણસંપતિની અને ધર્મસાધના સુકૃતસાધનાની અનુમોદના રૂપ ભવ્ય આરાધના થાય છે. એટલું જ નહિ પરંતુ એમના ગુણો અને સાધનાઓનું આકર્ષણ સક્રિય બનવાથી પોતાનામાં એવા ગુણ અને સાધનાઓ લાવવાનું મન થાય છે. ત્યારે બોલો, વૈયાવચ્ચેથી કેટલા બધા લાભ ? (૧) નાશવંત અને બિભત્સ હાડ માંસભર્યા દેહનો સુંદર સદુપયોગ થાય, (૨) અહંવાદિ દુર્ગુણોનો આત્મા પરથી કન્જો ઊઠે; (૩) સર્વજ્ઞવચનને આગળ કરાય, (૪) ત્યાગી વિરાગી સાધુ પ્રત્યે બહુમાન થાય, (૫) એથી જ વિષયવિરાગ ઝળહળે, વિષયોમાં વિષબુદ્ધિ આવે, (૬) પાયાનો ગુણ પરાર્થપ્રવૃત્તિ પરાર્થકરણ સિધ્ધ થાય, (૭) સંસારનું મૂળ સ્વાથધતા સ્વાર્થમાયા મોળી પડે, (૮) પાપકર્મોનો નિકાલ થાય, (૯) ગુણી અને ઉપકારીના ગુણ અને ઉપકારોની સક્રિય અનુમોદના થાય, (૧૦) ગુણોની ભૂખ જાગે, પ્રયત્ન જાગે.
આવા આવા અનેકાનેક ભવ્ય આત્મકલ્યાણોને સધાવી આપનાર વૈયાવચ્ચ તપમાં ખૂબ ઉદ્યમ રાખો. એ આભાર તપ છે અને એથી એવાં એવાં પાપકમોના થોક નાશ પામે છે કે જે જો એમ નષ્ટ ન કરાય તો ઊભા રહીને દીર્ઘ કાળ દુ:ખ આપ્યા કરે.
૬. આભ્યન્તર તપ ૪: સ્વાધ્યાય આર્તધ્યાનના પ્રસંગોમાં એ વાત ચાલે છે કે મુનિને પણ શરીરે રોગ થાય છે.અને એની એ ચિકિત્સા કરાવે છે. તો એમાં એમને આર્તધ્યાન કેમ નહિ? એના ખુલાસામાં કહ્યું કે એમને એક તો એ ખબર છે કે પૂર્વ ભવે પ્રતિક્રમણથી ક્ષીણ નષ્ટ નહિ કરેલાં કર્મ હવે કાં તો (૧) ભોગવાઈને નાશ પામે અથવા (૨) તપથી નષ્ટ થાય. આ તપના પ્રસંગમાં બાહ્ય તપના છ પ્રકારની અને આભ્યન્તર તપના પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચે એ ત્રાગ પ્રકારની વાત થઈ હવે ચોથા આભ્યન્તર તપ સ્વાધ્યાય” ની વાત જોઈએ,
સ્વાધ્યાય એટલે સ્વનો અધ્યાય અધ્યયન. “સ્વ” નો એટલે આત્માનો અર્થાત આત્મા માટેનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org