________________
( ૧૮ )
ધ્યાન અને જીવન ને ભાઈની નહિ, તો સાધર્મિકની સેવા ભક્તિ કરે જ શાના ? સ્વાર્થની જ ગણતરી હોય એવા પાસેથી શુદ્ધ સેવાની આશા શી રખાય ?
સ્વાર્થોધ શિષ્ય ગુરુસેવા શાનો કરે ?
આવું સ્વાર્થની જ ગણતરીવાળા શિષ્યમાં બને છે. એને ય ગુરુએ વૈરાગ્ય પમાડી ચારિત્રમાં ચડાવી દીધો, સાધુચર્યા શિખવાડી દીધી, બે અક્ષર ભણાવી દીધા. હવે ગુરુ પાસેથી એને શું મળવાનું છે તે એ ગુરુની સેવા ભકિત કરે ? અને ગુરુની નહિ તો વળી બીજા સાધુની તો સેવા ભક્તિ કરવાની વાતે ય શી ? હા, જેની પાસેથી પોતાને સેવા મળતી હશે કે ભવિષ્યમાં આ મારું કરશે એવી આશા હશે એની તો સેવા કરવા તૈયાર, પરંતુ એ તો સેવા એક આરાધના તરીકે નહિ, કિન્તુ એક સોદાની બાબત બની. બાકી તો જ્યાંથી હવે સ્વાર્થ સરે એવું લાગતું નથી, પછી એ માબાપ હોય કે ગુરુ પાગ હોય ત્યાં સેવા ને ભકિત શું કામ કરે ?
પ્ર- જેને આરાધનાનો ખપ હોય એ તો સેવા કરે ને ?
ઉ૦- વાર છે, આરાધના પણ પોતે માનેલી કરવી છે, ત્યાં સેવાનો એક જબ્બર આરાધના તરીકે માનવાનું બનતું નથી. પછી શું કામ એ સેવા કરે ? તપસ્યા કરશે, ત્યાગ કરશે, શાસ્ત્ર ભણશે, બીજાને બોધ આપશે, પરંતુ સેવા કરવી મોંધી. આવા
જીવોને ખબર નથી કે,- “સેવા વૈયાવચ્ચે શું છે ?'
પણ સમજવા જેવું છે કે, “ત્યાગ તપ જ્ઞાનાદિ કરતાં ય સેવા-વૈયાવચ્ચ એ મહાન યોગ-સાધના છે.
ભોગ અને યોગનો અર્થ : યોગ એટલે ભોગનો વિરોધી. ઇન્દ્રિયો અને કાયાને મનગમતા આહાર વિડ્યો અને આરામીથી અમન-ચમન કરાવાય એ ભોગ છે. એની સામે એ ઇન્દ્રિય-કાયાને કષ્ટી આપીને એવે સ્થાને જોડાય કે જેથી પેલાં અમનચમનિયાં સુકાઈ જાય, તો એ યોગસાધના થઈ. સેવા વૈયાવચ્ચમાં આ બને છે. ઉપકારીની ગુણિયલની ધર્મની સેવા કરવા જતાં કાયાને કષ્ટી આપવી પડે છે, ઇન્દ્રિયોને એના મનગમતા વિષયોમાં જતી અટકાવવી જોઈએ છે, અને એમ કરી કોઈ સ્વાર્થબુદ્ધિ ન રાખતાં સેવાને (૧) એક પાયાનું ધર્મકર્તવ્ય માન્યું, (૨) સ્વાર્થમાયાથી બાંધેલા પાપકમોને તોડનારી એક જબરદસ્ત આરાધના માની, એટલે એ વૈયાવચ્ચ એક મહાન યોગ બની જાય છે. ઊઘાડો હિસાબ છે કે,
સ્વાર્થની રમતથી જો પાપકર્મોની ભરતી થઈ, તો પરાર્થ પ્રવૃત્તિથી એ કર્મોનો નિકાલ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org