________________
સેવા વૈયાવચ્ચ
૫૭
સર્વજ્ઞ ભગવાનના શરણે જાઓ, (૨) એમના પર ને એમની અચિંત્ય શક્તિ પર અથાગ શ્રદ્ધા કરો, અને (૩) એમનાં વચનને જ બહુ માનો.’ એમ કરવું એ સદ્ગુદ્ધિ છે, ને એથી બુદ્ધિ વધુ ને વધુ નિર્મળ થતી આવે છે. બુદ્ધિ નિર્મળ થાય તો રાગાદિ મોળા પડતા આવે; અધિક અધિક સત્પુરુષાર્થ થાય.
આવી સત્બુદ્ધિ સત્પુરુષાર્થ માટે સદ્ગતિ જ યોગ્ય છે. એવી સદ્ગતિ માટે પુણ્ય ઇચ્છવું એ શું ગુનો છે ? એવા પુણ્યની ઈચ્છા એ કોઈ અસત્ લાલસા-લંપટતા નથી. ધર્મસાધના એવા હેતુએ થાય કે ‘પેલી સબુદ્ધિ-સત્પુરુષાર્થને યોગ્ય આગળ પર સદ્ગતિ અને એનું પુણ્ય મળે.' તો એમાં કાંઈ નિષ્કામ આરાધનાને વાંધો નથી આવતો.
તો વાત આ હતી કે પેલા સજ્જને કથાકારની સેવા કરી નકરું પુણ્ય મળવાની કામના રાખી અને તેથી જ સેવાના બદલામાં ‘કથાકારે અહીંનું કશું કામ નહિ કરવાનું’ એ શરત રાખી, જેથી પેલું પુણ્ય વેચાઈ ન જાય, એમાં સેવાથી પુણ્યની ઈચ્છા છતાં સેવા નિષ્કામ જ કહેવાય.
વૈયાવચ્ચનું મહત્ત્વ ઃ- બસ આ વાત છે કે સાધુસંતની સેવા વૈયાવચ્ચ કરવાની તે નિષ્કામ કરવાની. એથી અહંત્વ તૂટે, વિષયાંધતા મૂકાય, સ્વાર્થાંધતા કપાય, ને હરામહાડકાપણું મટે. જો જો હોં, સેવા વૈયાવચ્ચ કરવાની ઉપેક્ષા કરે, એ કરવાની પરવા જ ન રાખે, અને ત્યાગ તપસ્યા બહુ કરે, પ્રભુભક્તિ કરે, શાસ્ર સ્વાધ્યાય પણ કરે, તો એમાં સ્વાર્થાંધતા અને હરામહાડકાપણું એવાં તૂટવા મુશ્કેલ, જેવા સેવા વૈયાવચ્ચ કરવામાં તૂટે, એટલા માટે તો ગુરુજનપૂજા અને પરાર્થકરણને પહેલાં જરૂરી બતાવી, પછી એ જેનામાં હોય એને જ લોકોત્તર ધર્મના અધિકારી ગણ્યા.
માણસની અજ્ઞાન દશા છે કે એ એમ માને છે કે ‘ત્યાગ કરું, તપસ્યા કરું, પ્રભુનાં ગુણગાન ગાઉ, જાપ કરું, વગેરે વગેરેમાં તો મારે કમાવાનું થાય, પરંતુ બીજાની સેવા ચાકરી કરું એમાં મને શું મળે ?' આ માનવું મૂઢતા છે. પછી સગા ભાઈની તો શું, માબાપનીય સેવા કરવા તૈયાર નથી. માબાપે તો એના પર કરવાનો ઉપકાર કરી દીધો, જનમ આપ્યો, ઉછેરી મોટો કર્યો, ભણાવ્યો, પરણાવી આપ્યો, ધંધો લગાડ્યો, એ બધો લાભ પિતા તરફથી મળી ગયો, હવે એમની એ સેવા ચાકરી ભક્તિ કરે તો એના બદલામાં એમની પાસેથી હવે શું મળવાનું છે ? ધણિયાણીની સેવા કરે તો તો એ સુખ આપવાની છે, ‘માબાપ શું આપવાના ?’ એમ એને લાગે છે. કેમ જાણે, કાંઈ કરવું તે નવા સ્વાર્થના હિસાબે જ ! જુના ઉપકારની કિંમત જ નહિ ! આવા કૃતઘ્ન નિમકહરામી માણસો માબાપની સેવા ભક્તિ શાની કરે? અને માબાપની નહિ, તો ભાઈની કે પાડોશીની તો કરે જ શાના ? ત્યારે માબાપ
२०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org