SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫૬ | ધ્યાન અને જીવન વસ્તુને ઊંડાણથી જુઓ તો નિર્મળ બુદ્ધિ રહે. એમ તટસ્થ રીતે જુઓ, યથાસ્થિત પૂરી જુઓ. જ્ઞાનીના કહ્યા પ્રમાણે જુઓ, તો નિર્મળ બુદ્ધિ રહે. એટલે કરવાનું આ આવ્યું, કે સદ્ગદ્ધિ કહો કે નિર્મળ બુદ્ધિ કહો, એ લાવવા માટે જગતના પદાર્થો, પ્રસંગો કે ભાવોને ઉપલકિયા દષ્ટિથી નહિ, પણ ઉડાણથી અને ચારે બાજુથી જોવાના, યથાસ્થિત ઓળખવાના, ને તટસ્થપણે મૂલવવાના. હીરો દેખ્યો એટલે મલકાઈ નહિ જવાનું, આંખ ને હૈયુ ચમકાઈ નહિ દેવાના કે “અહો આ બહુ કિંમતી ! બહુ સુંદર !” પણ સાથે એ જોવાનું કે, “આ હીરો બહુ કિંમતી, બહુ સુંદર છે માટે જ બહુ રાગ કરાવનાર, અને ઘણાં પાપ યાવત નરક સુધીનાં પાપ બંધાવનારો છે. આ રીતે દુન્યવી બીજી પણ સારી ચીજ અંગે આવું દર્શન થાય તો બુદ્ધિ નિર્મળ થઈ કહેવાય, સદ્ગદ્ધિ થઈ કહેવાય. ' ‘સામો આપણી વસ્તુનું નુકસાન કરે છે અથવા આપણા પર ક્રોધ કરે છે, એ બહુ ખરાબ,’ એમ નહિ જોવાનું, કિન્તુ આપણને ક્ષમાં સમતા કેળવવાની તક આપે છે એ જોવાનુ; તો બુદ્ધિ નિર્મળ રહે. નહિતર તો ઢેડની સામે ઢેડવેડાની જેમ ગુસ્સાની સામે ગુસ્સો થશે. એ કાંઈ સબુદ્ધિનું કાર્ય નહિ. કેમકે નુકસાન સામાથી નહિ પણ આપણા અશુભોદયથી છે. તો સામાથી નુકસાન માનવું એ તો મિથ્થાબુદ્ધિ છે. વળી ગુસ્સાની સામે ગુસ્સો કરવામાં આપણી બુદ્ધિ બગડે છે. એ નિર્મળ ક્યાં રહી ? વસ્તુનું યથાર્થ તટસ્થ દર્શન કરાય એ નિર્મળ બુદ્ધિ છે, બુદ્ધિ છે. સર્વજ્ઞવચનની શ્રદ્ધાથી નિર્મળ બુદ્ધિઃ એવું જો યથાર્થ દર્શન સ્વયં ન આવડે, તો ય સર્વજ્ઞ ભગવાનનાં વચન પર જો અટલ શ્રદ્ધા રહે, અથાગ શ્રદ્ધા રહે, તો પણ બુદ્ધિ નિર્મળ રહે. મનને એમ થાય કે હું તો ભોઠ છું, વાસ્તવિક તત્ત્વસમજ નથી; પણ મારે તો જ્ઞાનીએ કહ્યું તે જ સાચું છે, તે જ માન્ય છે. પ્રભુ ! મૂઢ એવા મારે તારું જ શરણ હો, તારા અચિંત્યા પ્રભાવે હું સમજદાર થાઉં !' પંચસૂત્ર શાસ્ત્ર આ પ્રાર્થના કરાવે છે, 'अचिंतसत्तिजुत्ता हि ते महाणुभावा वीअरागा सव्वण्णु... ! मूढे अम्हि पावे अणाइमोहवासिए अणभिन्ने भावओ, अभिन्ने सिआ !' અર્થાત્ તે મહા પ્રભાવી વીતરાગ સર્વજ્ઞ ભગવાન અચિંત્ય શક્તિવાળા છે...હું મૂઢ છું પાપી છું, અનાદિ મોહથી વાસિત છું, અનભિજ્ઞ, બિનસમજદાર છું. ઇચ્છું કે તે પ્રભુની અચિંત્ય શક્તિના પ્રભાવે અભિજ્ઞ થાઉં, સમજદાર થાઉં.” સબુદ્ધિના ૩ ઉપાય :આ શું સૂચવે છે ? ‘જ્યાં સુધી પૂરેપૂરા તત્ત્વદષ્ટા ન બનો ત્યાં સુધી (૧) વીતરાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy