________________
સેવા વૈયાવચ્ચ
૫૫
કે એ પૂર્વે નિયાણું કરીને આવતા હોવાથી અહીં ભારે સંક્લેશ અને એનું ફળ નરકગતિમાં પ્રયાણ ! સુભૂમ-બ્રહ્મદત્ત ચક્રવર્તીની પણ એજ દશા થઈ.
આ બતાવે છે કે ધર્મ પૌદ્ગલિક દુન્યવી સુખ સમૃદ્ધિ માન-પ્રતિષ્ઠા વગેરેની કામનાથી કરવામાં, રાગ દ્વેષાદિ મજબૂત થવાથી, મોક્ષથી-મોક્ષમાર્ગથી એટલા આઘા ફેંકાવાનું થાય છે. ધર્મથી તો મોક્ષ-મોક્ષમાર્ગની નજીક અવાય, પરંતુ પેલી પાપી કામના રાખવા જતાં જો આઘા ફેંકાવાનું થાય, તો ધર્મ કયાં ફળ્યો ? એથી આત્મહિત શું સધાયું ? માટે ધર્મસાધના નિષ્કામ ભાવે કરવાની છે.
હવે જો આ બે કારણ સમજાય, તો પછી એ સમજવું સહેલું છે કે ધર્મ કરતી વખતે મોક્ષની કામના રખાય, તો ભલે એ કામના છે, કિન્તુ એમાં એ બે કારણની પુષ્ટિ નથી; અર્થાત્ એમાં ધર્મનો ફોર્સ ઘટવાનો નથી, તેમજ દુન્યવી વસ્તુનો રાગ દૃઢ થવાનો નહિ. મોક્ષ જોઈએ છે માટે તો મોક્ષબાધક રાગ અને રાગને કરાવનારી સુખ સામગ્રીને ઝેર દેખે છે, એટલે કહો કે મોક્ષની ઈચ્છા કરવામાં તો એ બધાની અનિચ્છા ઊભી થાય છે, દુન્યવી સુખ સંપત્તિ સન્માનની ઈચ્છા જ મરી જાય છે. એટલે કહેવાય કે મોક્ષની ઇચ્છા એ અનિચ્છાની ઈચ્છા છે. એ ખરેખર અનિચ્છારૂપ છે. નિષ્કામતા જ છે. તેથી મોક્ષના ઈરાદે કરાતી ધર્મસાધના એ સકામ નહિ પણ નિષ્કામ જ છે.
સદ્ગતિની ઈચ્છા સબુદ્ધિ-સત્પુરૂષાર્થ મળે એ માટે :
હવે એ જુઓ કે આવો મોક્ષ પણ એમ જ એકદમ જ નથી થઈ જવાનો; કિન્તુ સદ્ગુદ્ધિ અને ધર્મસાધના વધતી વધતી રહેવાથી અંતે એની પરાકાષ્ઠા થતાં મોક્ષ થવાનો. એટલે ધર્મ કરીએ ત્યાં મોક્ષ ન મળે ત્યાં સુધી સહેજે આવી સદ્ગતિની ઈચ્છા રહે, તે એ સર્બુદ્ધિ અને સમાધિ માટે. એમાં કાંઈ સુખ સમૃદ્ધિ સન્માનનો રાગ નથી પોષાવાનો. એને તો અહીંથી જ ઝેર દેખ્યા છે, અસાર તુચ્છ અને સચિત્તના ઘાતક માન્યા છે, તેથી એના સુસંસ્કારે સદ્ગતિમાં એ મળવા છતાં એના પ્રત્યે દૃષ્ટિ તો નફરત અરુચિવાળી જ રહેવાની. એટલે સદ્ગતિને સબુદ્ધિ અને સત્પુરુષાર્થ અર્થેજ ઈચ્છી છે, માટે ત્યાં આ બંને મળવાના. એ સદ્ગુદ્ધિથી રાગદ્વેષના સંક્લેશને જગા જ નહિ મળે, રાગાદિ મંદ પડતા જશે.
અહીં આપણા રાગ-મોહ-મમતા તૃષ્ણા મોળા મંદ પડતા ન દેખાતા હોય તો એનું શું કારણ છે ? આ જ, કે હજી એવી સબુદ્ધિ નથી આવી; બુદ્ધિ-મતિ એવી નિર્મળ નથી બની. નિર્મળ બુદ્ધિથી જ રાગાદિ મોળા પડે.
નિર્મળ બુદ્ધિ વિના રાગાદિ મોળા પડે નહિ; અને જ્ઞાનીનાં વચન પર અથાગ શ્રદ્ધા યા જગતના પદાર્થોના ઊંડા યથાસ્થિત અને તટસ્થ દર્શન વિના બુદ્ધિ નિર્મળ બને નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org