SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૫૪ સારી ગતિ અને સારી ધર્મસગવડ અને સારી બુદ્ધિ મળે એટલા માટે, અર્થાત્ સારી ગતિ મળવાના યાને પરલોક સુધરવાના ઉદ્દેશથી ઈચ્છવામાં આવે છે. એમાં વળી પરલોકમાં સારી બુદ્ધિના લીધે સુંદર ધર્મસાધના થાય એટલે આગળ એથી ય વધુ સારી સગવડ મળે, બળ મળે, સારો પુરુષાર્થ થાય. એમ કરતાં અંતે મોક્ષ સુધી પહોંચી જવાય. સરવાળે મોક્ષ થવાની ઈચ્છાથી જ ધર્મ કરતાં પ્રબળ ધર્મની સગવડ માટે પુણ્ય ઈચ્છાય એમાં નિષ્કામતા જ છે. મોક્ષની ઇચ્છામાં નિષ્કામતા : પ્ર૦- કેટલાક કહે છે કે મોક્ષની પણ ઈચ્છા કરાય ત્યાં નિષ્કામતા ક્યાં આવી? ઉ નિષ્કામતા એ રીતે કે મોક્ષ એટલે કોઈ ચીજ સ્થાન કે સન્માન નથી, કિન્તુ સ્વાત્માની કર્મ-મુક્ત નિર્મળ અવસ્થા છે. એની ઈચ્છામાં કાંઈ સકામતા નથી. વળી અહીં પહેલાં એ જુઓ કે નિષ્કામ ધર્મસાધના કરવાની કહી એમાં નિષ્કામતા રાખવાની શા માટે ? અર્થાત્ ત્યાં બીજી કશી સુખ-સન્માનાદિની કામના ઈચ્છા કેમ નહિ રાખવાની? નિષ્કામ ધર્મનાં બે કારણ છે, (૧) એક તો એવી ઈચ્છા રાખવામાં ખોટું એ, કે મનમાં પ્રધાન એ સુખ-સન્માન થઈ જાય અને ધર્મ ગૌણ થઈ જાય ! ધર્મ તો એ સુખ-સન્માનના એક માત્ર સાધન તરીકે જ ઈચ્છાવાનો, મુખ્ય ઈચ્છા તો સુખસન્માનની. તો ધર્મ કરતાં દુન્યવી સુખસન્માન વધુ ગમી જાય પછી હૈયે ધર્મનો ફોર્સ વધુ ક્યાંથી રહેવાનો ? અને ફોર્સવાળા (વેગ અને તાકાતવાળા) ધર્મ વિના મોક્ષ તરફ આગળ કેમ વધાય ? માટે એવો ધર્મ સાધવા નિષ્કામતા જરૂરી, તે નિષ્કામતા આ કે રાગાદિવર્ધક સુખસન્માનાદિની ઈચ્છા નહિ. બાકી મોક્ષની ઇચ્છા રાખવામાં કાંઈ રાગાદિ વધવાના છે જ નહિ; તેથી એ ઇચ્છામાં નિષ્કામતા જ છે. (૨) બીજું નિષ્કામતાનું કારણ એ છે, કે જો ધર્મથી દુન્યવી સુખ-કીર્તિસન્માનાદિની કામના રખાય, તો એ સુખાદિનો રાગ દૃઢ થવાનો; એટલે પછી ધર્મથી ने પુણ્ય બંધાશે તે સંક્લિષ્ટ ભોગ આપનારું બંધાવાનું. એનું પરિણામ એ આવવાનું કે જ્યારે એ પુણ્ય પાકીને ભોગ સામગ્રી મળશે ત્યારે એમાં રાગ-દ્વેષાદિના સંક્લેશવાળા યાને આંધળા ચિકણા રાગદ્વેષ કરાવનારા ભોગ થવાના, યા એ સામગ્રી જ તેવા રાગાદિના સંક્લેશ કરાવશે. ધર્મ કરતાં નિયાણું કરનારની શી દશી થાય છે ? આજ કે ધર્મ કર્યો એટલે પુણ્ય અને એના વિપાકે સામગ્રી તો મળે, પરંતુ એમાં ચિત્તમાં પૂર્વનો લઈ આવેલ રાગાદિનો સંક્લેશ ભારે રહે. વાસુદેવોનું શું થાય છે ? એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy