SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સેવા વૈયાવચ્ચે ૫૩ ) ઘોડાની ભાળ આપવાની આ ચતુરાઈ કરી લાગે છે.” એટલે એણે કથાકાર પાસે આવી એનો રૂમાલ આપતાં કહ્યું, - લ્યો આ તમારો રૂમાલ તો મળી આવ્યો. પરંતુ હવે તમને રજા છે. તમે અહીં નહિ રહી શકો. તમે શરતનો ભંગ કર્યો.' ‘શી રીતે ?' ‘તમે મને આડકતરી રીતે ઘોડાની ભાળ આપવાના હિસાબે જ આ રૂમાલ ત્યાં પાડી નાખી એની તપાસ કરાવવાની યુક્તિ કરી. આપણે શરત હતી કે મારે તમારી સેવા કરવી અને તમારે મારું કશું કામ નહિ કરવું, તમે આ મારું કામ કરી શરતનો ભંગ કર્યો માટે હવે બસ, તમને રજા છે.' કથાકાર કહે “અરે ભલા ભાઈ ! એટલામાં શું બગડી ગયું? એમાં તમારી ઘોડાની ચિંતા મટી ને ?' સજને કહ્યું, “સાહેબ ! માફ કરો. હું સમજું છું કે આ સંસારનો કારભાર કરવો એ નિષ્ફળ મજૂરી છે, આ ઉત્તમ માનવભવમાં પરમાત્માની સેવાને બદલે માયાની વેઠ છે, વિટંબણા છે. એથી મારા આત્માની અધોગતિ છે. એમાંથી બચાવનાર સાધુસંતની સેવા છે, પણ તે નિષ્કામ ભાવે થાય તો. એટલા જ માટે મે તમને પહેલેથી કહ્યું હતું કે ખુશીથી હું તમારી સેવા કરીશ, અને તમારે મારું કશું કામ નહિ કરવાનું જેથી આ બધી માયાની વેઠથી આત્મા પર ચડતા માયાના બંધનના ભારમાંથી કાંઈક વળતર મળે, શુદ્ધ પુણ્યની પ્રાપ્તિ થાય, તો સદ્ગતિ મળે. પરંતુ તમે તો આડકતરી રીતે ઘોડાની ભાળ આપીને મને માયાની સગવડ કરી આપી, એટલે મારે ભાગે તો શુદ્ધ સાધુસેવાને બદલે માયાની સેવા જ આવીને ઊભી રહી. જીવનમાં ઘરખટલામાં તો માયાની સેવા કપાળે લખાયેલી છે જ, પરંતુ સાધુસંત પાસેથી પાપી માયાની સેવા લેવી એને હું મહા અધમ કાર્ય ગણું છું. જે તારવાનું કામ કરનારા છે એની જ પાસે ડૂબાડવાનું કામ કરાવવું એ મહા અધમતા છે, માટે માફ કરો. મારે તો આજ સુધી કરેલી બધી સેવા આ માયાનું કામ લેવાથી વટાવાઈ ગઈ. હવે એનાં ફળરૂપે સદ્ગતિનું પુણ્ય શાનું ઊભું રહે ?” કથાકારને બોલવાની જગા જ ન રહી. એને રજા મળી. અહીં એક સવાલ થાય, પુણ્યની ઈચ્છામાં નિષ્કામતા ક્યાં ? : પ્ર0- સાધુસેવાથી પુણ્ય મળવાની ઈચ્છા તો રહી; પછી એમાંય નિષ્કામતા ક્યાં આવી ! ઉ૦ - આ પુણ્ય કોઈ પૈસા-ટકાની માયા પામવાના ઉદ્દેશથી નથી ઈચ્છતું; કિન્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy