________________
( ૫ર
| ધ્યાન અને જીવન પેલા સજ્જનને ખુશી થઈ કહ્યું અમારા અહોભાગ્ય ! ભલે મારે ત્યાં જ રહો અને કથા કરો. પરંતુ એટલું બરાબર ધ્યાનમાં રહે કે મારું કશું કામ તમારે કરવાનું નહિ.”
કેમ એમ !' એટલા જ માટે કે મને ખરેખરો સેવાનો લાભ મળે.” કથાકાર ભાગવત કહે 'ભલે.' સજ્જન કહે છે, “પણ જુઓ જે વખતે મને લાગ્યું કે તમે મારું કામ બજાવ્યું, એ જ વખતે તમે મારે ત્યાંથી છૂટા.” કથાકારે કબૂલ કર્યું. ત્યાં એ રહ્યો અને કથા કરે છે. સજ્જન એની સેવા કરે છે.
એકવાર એવું બન્યું કે આ સજનનો ઘોડો ચોરાયો. સવારે ધમાલ ચાલી- ઘોડો ક્યાં ગયો ? સજ્જનના માણસો તપાસ કરે છે, પણ પત્તો લાગતો નથી.
એમાં આ કથાકારને બહાર ફરવા જવાનું થયું. ત્યાં જંગલમાં એક ઠેકાણે એ ઘોડો બાંધેલો જોયો. એણે વિચાર્યું કે મારે ઘરે જઈ ઘોડાની ભાળ તો દેવાય નહિ, કેમકે એમાં સજજનનું કામ બજાવ્યું ગણાય. પરંતુ આવો કિંમતી ઘોડો એ બિચારો ગુમાવે એ ઠીક નહિ, તેથી આડકતરી રીતે એની ભાળ એને આપી દેવી જોઈએ.
એમ વિચારી કથાકારે ત્યાં ઘોડાની નજીકમાં પોતાનો રૂમાલ નાખી દઈ ઘરે આવી સજનને કહ્યું, હું બહાર ફરવા ગયો હતો, આ આ રસ્તે ગયો હતો, ત્યાં રસ્તામાં મારો રૂમાલ પડી ગયો છે. તો જો તમારો કોઈ નોકર તપાસ કરી લાવી આપે તો ઠીક.”
એ સજજન ઘોડો ચોરાયાની ચિંતામાં હતો છતાં સમજતો હતો કે ઘોડો મળવાનું તો ભાગ્યને આધીન છે, જ્યારે સેવાનું કાર્ય પુરુષાર્થને આધીન છે, મારા હાથની વસ્તુ છે. તો એ વધાવી લેવું.” એટલે આ સેવાનું કામ મળ્યું તેથી ખુશી થયો, અને નોકરને રૂમાલની તપાસ કરી મળે તો લઈ આવવા કહ્યું.
નોકર ઊપડ્યો; અને તપાસ કરતાં રૂમાલ તો મળ્યો, પણ સાથે પેલો ત્યાં બાંધેલો ઘોડો પણ લઈ આવી શેઠને સોપ્યો.
શેઠ પૂછે, “અલ્યા ! આ ઘોડો ક્યાંથી મળ્યો ?'
નોકર કહે છે, એ તો સાહેબ ! રૂમાલની નજીકમાં જ ઘોડો બાંધેલો હતો, તેથી રૂમાલ શોધતાં સહેજે એ મળી આવ્યો.'
આ સજ્જન શેઠ બુદ્ધિમાન હતો તેણે તરત કલ્પના કરી કે જરૂર કથાકારે ફરવા જતાં ઘોડો જોયેલો, પણ મારું કામ ન કરવાના હિસાબે એણે સીધી એની ભાળ મને ન આપતાં, ત્યાં રૂમાલ નાખી દઈ આ રીતે રૂમાલના બહાને આડકતરી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org