________________
સેવા વૈયાવચ્ચે
( ૫૧
આપમતિ વગેરે પડતા મૂકાય, (૫) સર્વજ્ઞ વીતરાગ ભગવાનનું શરણું લેવાય, (૬) એમનાં વચનને જ મહત્વ અપાય, (૭) એમની આગળ જાતની કશી વિશેષતા ન લાગે, (૮) સર્વજ્ઞવચનની આગળ પોતાના અભિપ્રાયની કોઈ કિંમત નહિ એમ હૈયે ઠસી ગયું હોય, (૧૧) આત્માના અધ:પાતાદિ અનર્થનો ભય ઊભો થઈ જાય.. આવું બધું થાય ત્યારે ખરો ધર્મનો રસ, ધર્મક્રિયાની સુવાસ હૈયે વસે.
વાત આ છે કે વૈયાવચ્ચમાં અહલ્વાદિ તૂટવાથી એ અપ્રતિપાતી ગુણ બને છે. વૈયાવચ્ચથી શા લાભ ?
સાધુસેવા વૈયાવચ્ચથી શા લાભ ? :(૧) સાધુસંત અને ધર્માત્માઓની વૈયાવચ્ચ આ વસ્તુ ઊભી કરી આપે છે. કેમકે પહેલું તો સાધુસંત સાચા લાગે છે કે જે પોતે સ્વછંદપણે અને આપમતિએ વર્તનારા નહિ, કિન્તુ વીતરાગ સર્વજ્ઞ ભગવાનનાં વચનને જ અનુસરી સાધુતાને પાળનારા હોય છે. એટલા જ માટે જો એ સાધુ સંતની સેવા વૈયાવચ્ચ કરવાનું મન થાય છે, તો એથી જ ત્યાં પહેલાં તો સર્વજ્ઞ ભગવાન અને એમનાં વચનને જ આગળ કર્યા, અને પછી સાધુસેવા કરી, એટલે જાતનું અહત્વ આપમતિ તૂટે એ સહજ છે.
(૨) વળી સાધુ વિષયત્યાગી હોઈ સેવ્ય કર્યા એટલે વિષયો પ્રતિ ગ્લાનિ આવી. વિષયો જ સર્વસ્વ લાગતા હોય તો એના ત્યાગીનું મહત્ત્વ શાનું લાગે ? શું કામ એમની સેવા થાય? વિષયત્યાગી સાધુઓની સેવા ગમે છે, વૈયાવચ્ચ થાય છે, એ પોતાના અંતરમાં વિષયો ખટકવા પર, ખરાબ લાગવા પર, વિષયોમાં વિષબુદ્ધિ જાગવા પર. એટલે પછી ત્યાં વિષયાંધતા શાની ઊભી રહે ? અને કદાચ વિષયમૂઢતા થોડી ઘાણી નડતી હોય તો ય સાધુસેવાથી એમના સમાગમે અને ઉપદેશે એ કપાતી આવવાની.
(૩) એમ, સાધુસેવા-વૈયાવચ્ચમાં, પોતાના સ્વાર્થનાં કામ છોડીને લાગ્યા, સાધુ પાસેથી કશો સ્વાર્થ નથી સાધી લેવો, માત્ર એ સ્વયં ગુણિયલ છે, બીજાને ગુણિયલ બનાવનાર છે, એટલા માટે પોતાની સ્વાર્થમાયા ત્યાગીને સાધુની વૈયાવચ્ચમાં લાગ્યા; ત્યાં સહેજે સ્વાર્થધતા કપાઈ. જો પૈસા-ટકા કે સમાજમાં માન-સન્માન વગેરે કોઈ તુચ્છ લાલચથી સાધુસેવા કરી, તો એ ખરેખર તો સાધુની સેવા નહિ, પણ એ તુચ્છ ધન આદિની જ સેવા કરી ગણાય. ચોકખી નીતરતી સાધુસેવા તો એવી તુચ્છ ધન આદિની લાલચ વિનાની જ હોય.
શુદ્ધ સેવા પર ભાગવતનું દષ્ટાંત :શાસ્ત્રમાં એક પ્રસંગ આવે છે. એક ગામમાં એક સજ્જનની પાસે એક કથાકાર ભાગવત જઈ કહે છે, “મારે અહીં ચોમાસું રહી લોકોને ધર્મકથા સંભળાવવી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org