________________
(૫૦)
| ધ્યાન અને જીવન | હૃદયના માલિક આત્માનું કશું ચાલે નહિ, એ અહિંસાદિ આને કાંઈ કરી શકે નહિ. પણ એટલું તો જુઓ છો ને કે અનંતા માનવ-ભવ પણ જીવે મેળવ્યા અને એમાં અસંતી વાર ચારિત્ર લઈ અહિંસાદિ સંપત્તિ પણ મેળવી, કિન્તુ મહત્વઆપમતિ વિધ્યાંધતા, સ્વાર્થોધતા, અને હરામહાડકાપણું જો હૃદય પર કન્જો જમાવી પડયા હતા તો એ અહંવાદિ ઉપર એ સંપત્તિની લાગવગ કે વર્ચસ્વ કશું પહોંચ્યું નહિ. એ સંપત્તિઓ તે તે ભવના અંતે ઉભી રહી ગઈ અને જીવ ભવ ચક્રમાં ભટકતો રહ્યો તે આજ સુધી હજી એના પર કન્જો હજીય અહંવાદિનો અનુભવાય છે !
બોલો, હૈયાનો રસ ક્યાં ? અને લૂખાશ કયાં ?
સાચું કહેનારા કહે છે કે 'ભાઈસાબ ! રસ તો પૈસા કમાવવા, સારું સારું ખાવુંપીવું, કુટુંબ સાથે બેસવું, વગેરે વગેરેમાં આવે છે. જ્યારે દેવદર્શનાદિ ક્રિયાઓ ત્યાગ, તપસ્યા વગેરે તો લુખા દિલથી થાય છે' કેમ આમ ? કહો, ક્રિયા પર કજો અહંત્વ, આપમતિ, વિષયાંધતા અને સ્વાર્થોધતાનો રાખ્યો છે, તેથી પેલા દેવદર્શનાદિની સુવાસ જ હૈયે ફેલાતી નથી” “સુવાસ” એટલે એનો હરખ; એ મહાનિધાન લાગે. ક્રિયા પર અહત્વતાદિના કન્જાનો આ જુલ્મ છે કે અનંતી અનંતી ધર્મક્રિયાઓની પાગ હૈયે સુવાસ નહિ ! એ ધર્મક્રિયાઓને આત્મતારક ન બનવા દે! ભવનાં બંધન ન કાપવા દે ! ઉલટું ભવવર્ધક બનાવે !
આત્માનું અધ:પતન હિંસા-વિષયસંગ-પરિગ્રહ વગેરે પાપક્રિયાથી થયું છે, પરંતુ વિશેષ તો એ પાપ-ક્રિયાની-પાપોની સુવાસથી થયું છે. પાપોની સુવાસ છે એટલે, (૧) હૈયે એ પાપ ક્રિયાઓનું મહત્વ બેસી ગયું છે. (૨) એ હોય તો જીવાય એમ લાગ્યું છે. (૩) એનો રસ લાગી રહ્યો છે. (૪) એમાં સુખકારિતા લાગી રહી છે. (૫) આનું પરિણામ મનમાં નકરું આર્તધ્યાન રહ્યા કરે છે.
એથી આત્માનો અધ:પાત, કર્મના બંધન, અને ભવના ફેરા થયે જ ગયા છતાં એ મહા અનર્થ દેખાતા નથી, એનો ભય-ફફડાટ નથી. ધર્મની સુવાસ લાવવા ૧૧ ઉપાય :
હવે જો એનું નિવારણ કરવું હોય તો હૈયામાં પ્રતિસ્પર્ધી સુવાસ ઊભી કરી દેવી જોઈએ, (૧) પાપક્રિયાઓને બદલે અહિંસાદિની, વિષયત્યાગની, અપરિગ્રહની, પ્રેરક ધર્મક્રિયાઓની, સુવાસ-મમતા-મહત્ત્વ-મૂલ્યાંકન ઊભાં કરવા જોઈએ. (૨) એમાં જ સુખકારિતા લાગે (૩) એનો જ રસ રહે. એ કેમ બને ? (૪) અહંત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org