________________
સેવા વૈયાવચ્ચ
૪૯
એમ ને એમ હટી જશે ? નહિ હટે. એને હટાવવા સક્રિય પ્રવૃત્તિ જોઈશે. તે પણ દીર્ઘકાલ અને સતત ચાલુ રહે તો જ સદ્ગુણોનો કબ્જે જામી દુર્ગુણોનો કબ્જો ઉઠી જાય. કબ્જો બળવાન
વૈયાવચ્ચ એ અહંત્વાદિ દુર્ગુણોનો હદય પરથી કબ્જો ઉઠાવી દેવાની મહાન સાધના છે. ત્યારે, અહંત્યાદિનો કબ્જો ઘટતા આવ્યા વિના વીતરાગતા તરફ પ્રયાણ શાનું થાય ?
કબ્જાની વાત મોટી છે. કબ્જો બળવાન છે. ઘરધણી કરતાં ભાવાત હકદાર: આજે જુઓ છો ને કે મકાન મોટું અને કિંમતી હોય, રોડ પર આવેલું હોય, પરંતુ જુના ભાડાના વખતથી એમાં ભાડવાત રહેલો હોય, તો એના પર આજે જેવું માલિકનું નથી ચાલતું એવું ભાડવાતનું ચાલે છે. કેમકે કબ્જો ભાડવાતનો છે. એની જ હારોહારની જમીન પર કોઈએ નવું મકાન બાંધી ભાડે આપ્યું હોય તો એને માટે પાઘડી સાથે નવી વધી ગયેલી રકમનું ભાડુ આવે, ત્યારે આમાં પાઘડી ય નહિ ને નવી મોટી રકમનું ભાડુય નહિ. છતાં ય ભાડવાતને મકાન ખાલી કરવા દબાણ ન કરી શકાય એટલો ભાડવાતનો વિશેષ હક રહે છે. કારણ ? કબ્જો એનો છે, કબ્જો બળવાન છે.
એમ ‘ખેડે એની જમીન‘ એ સૂત્રે આજે શું કર્યું ? જમીન માલિકોના હાથમાંથી, એ જમીનનો કબ્જો ધરાવનાર ખેડૂતના હાથમાં એ જમીન મૂકી દીધી. કો બળવાન થઈ ગયો. માલિક કરતાં કબ્જાવાળો સ્વતંત્ર હકદાર બની બેઠો.
હૈયા પર કબજો કોનો ?
બસ, એ જ રીતે આત્મા ભલે શુદ્ધ સ્વરૂપે ઉપશાન્ત અને ઉદાસીન હૃદયનો માલિક હોય. કિન્તુ એમાં પેંધી ગયેલા અહંત્વ, આપમતિ, વિષયાંધતા, સ્વાર્થાંધતા, અને હરામ હાડકાપણાનો જો એ આત્મા પર કબ્જો છે, તો એ સ્વતંત્રતા ભોગવે છે. જેમ ઘર માલિક બીજી ત્રીજી રીતે આગળ વધે, મોટો પૈસાદાર વેપારી થઈ જાય, એની પ્રતિષ્ઠા જામી પડે. પરંતુ પેલા પોતાના ભાડે આપેલા ઘરપર કબ્જો જો ભાડવાતનો છે, તો એ વગડા જેવા પણ ઘરની ઉપર એ માલિકનું કાંઈ ચાલે નહિ. એજ રીતે આત્મા ભલે અહિંસા પાળે, તપસ્યા કરે, શાસ્ત્રોની વિદ્વત્તા મેળવે, આમ બીજી બીજી રીતે એ આ અહિંસાદિ સંપત્તિથી શ્રીમંત થઈ ગયો હોય, પરંતુ જો હૃદય પર કબ્જો અહંત્વાદિનો છે, તો સ્વતંત્રતા એ અહંત્વાદિની ચાલવાની શી ?
શ્રીમંતના પણ ભાડે આપેલ ઘર પર કબ્જો ભાડવાતનો, એમ વિદ્વાન તપસ્વીનું પણ હૈયું જો અહંત્વને, તો એ હૈયા પર કબ્જો અહંત્વનો. ત્યાં પછી આત્મા અહંત્વને પરતંત્ર. હૃદય પર અહંત્વનું ચાલે આત્માનું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org