________________
ધ્યાન અને જીવન
૪૬
પરિણામ શું? પ્રીતિ સાથે વિષયનો ભોગવટો થયા કરે ત્યાં પરિણામ શું ? ગાઢ વિષયપ્રીતિના હિસાબે ગાઢ ચિકણાં અશુભ કર્મના બંધ. એ શું કરશે ? નરકગતિ કે દુ:ખદ તિર્યંચ અવતારો દેખાડશે.
બાહ્ય તપમાં આભ્યન્તરની પૂર્તિ :
તો બોલો, આભ્યન્તર તપરૂપ નહિ એવી બાહ્ય તપરૂપ દેખાતી સેવા-ચાકરીવૈયાવચ્ચની કષ્ટિ જો ભયંકર પરિણામ સુધી પહોંચતી હોય તો ત્યાં કોરી બાહ્ય કટીથી સંતોષ કોણ માને ? આ બધીય, દુ:ખદ પરિણામોની ધારા અટકાવી દેવાનું સામર્થ્ય આભ્યન્તર તપમાં છે. આપણે માત્ર એ બાહ્ય તપની કટીમાં આભ્યન્તર તપનો અંશ પૂરી દેવાનો છે.
પ્ર-૦
બાહ્ય ક્રિયા-કષ્ટિમાં આભ્યન્તર અંશની પૂર્તિ કેવી રીતે કરવી? ઉ૦ - આ રીતે, કે અનુષ્ઠાનની ઊંચી પ્રીતિ-ભક્તિ રાખી સાથે સમજી રાખવાનું કે ‘લૌકિક સુખ-સન્માન ન ઈચ્છું તોય જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સધી આ વૈયાવચ્ચના પ્રખર પ્રભાવે પુણ્યોપાર્જન તો થવાનું જ છે, અને અંતરાયકર્મ પણ તૂટવાના; ને એથી જીવને સમાધિકારક સુખ-સન્માન પણ મળવાનાં જ છે. પછી નાહક અત્યારે એની ઈચ્છા-આકાંક્ષા કરવાની શી જરૂર ?
.
ઈચ્છી ન ઈચ્છીને મળેલાં સુખસન્માનમાં કેટલો બધો ફરક છે ?
ઉલટું એવું ઈચ્છા કરીને મળવાના સુખ-સન્માન તો જીવને ભુલાવનારા મળે છે, બુદ્ધિ બગાડનારા મળે છે, દુર્બુદ્ધિ કરાવનારા સુખ-સન્માન મળે છે. ત્યારે અહીંથી જ એની ઈચ્છા જો છોડી ‘સુખ-સન્માન ગોઝારાં છે, મારે જોઈએ નહિ’ એમ ઈચ્છયું, તો ખૂબી એ કે મોક્ષ ન પામીએ ત્યાં સુધી સુખસન્માન મળે તો ખરાં, ઊંચાં મળે, પરંતુ એ આત્માને એમાં ચિટકાવી ન દે; આત્મા એનું લેશ પણ મહત્વ ન ગણે, એનાથી અલિપ્ત રહે.
સુખસન્માન પ્રત્યે અહીં કરેલી ઘૃણાના સંસ્કાર પરલોકે જઈને તાજા થાય, એટલે ત્યાં સુખ-સન્માન પ્રત્યે ધૃણા-અરૂચિ અનાસક્તિ રહે.
સુખની અનિચ્છાથી મળેલા સુખમાં અનિચ્છા-અરુચિ ઉભી રહે, એ જ વૈરાગ્ય. ઈચ્છીને મેળવવા કરતાં ન ઈચ્છીને મળનારાં સુખ-સન્માનની વિશેષતાં આ, કે (૧) એ ઉંચાં મળે, અને (૨) એમાં પૂર્વે કરેલ અનિચ્છા-ઘૃણા-અરુચિની અહીં પુનરાવૃત્તિ થાય, પ્રબળતા થાય. એનો અર્થ જવલંત વૈરાગ્ય. ‘ભરતજી મનહી મેં વૈરાગી' ભરત ચક્રવર્તી ચક્રવર્તીપણાના મહા વૈભવ-સન્માનમાં જવલંત વૈરાગ્યવાન હતા, તેથી આરિસાભવનમાં નિમિત્ત મળતાં વીતરાગ સર્વજ્ઞ બની બેઠા. બાહુબળી યુદ્ધની ભૂમિ પર વીતરાગ સર્વજ્ઞ બની ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org