SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ સેવા વૈયાવચ્ચ ૪૫ નુકશાન કરી શકતા નથી, ઉલટું એ રોગ-પીડાદિ આત્માના અશુભ કર્મ કચરા સાફ કરે છે એ આનંદનો વિષય છે, એમ મનના ભાવ રખાય પછી રોગ નિમિત્ત આર્તધ્યાન શું કામ થાય ? મુનિને રોગમાં આ ભાવ રહેવાથી આર્તધ્યાન નથી. એમને જિન વચનનો બહુ અભ્યાસ છે. તેમ પવિત્ર આચાર અનુષ્ઠાનનું ધરખમ પાલન છે. એથી મન ખડતલ બને છે. મન ધર્મનું વાવે તો ખડતલ મજબૂત સાત્ત્વિક બને પણ એ વિસારી વિષયોની ગુલામી જ સેવે તો એવું કયાંથી બને ? મન સાત્ત્વિક બનાવવા માટે બાહ્ય અભ્યન્તર તપ બહુ ઉપયોગી છે. એમાં બાહ્ય તપની વિસ્તારથી વિચારણા થઈ; ને આભ્યન્તર તપમાં પ્રાયશ્ચિત્ત તથા વિનયની વિચારણા થઈ. હવે વૈયાવચ્ચ નામના આભ્યન્તર તપની વિચારણા કરીએ. ૫ આભ્યન્તર તપ ત્રીજો-સેવા વૈયાવચ્ચ હવે વૈયાવચ્ચ ‘નામના આભ્યન્તર તપને જોઈએ. વૈયાવચ્ચ એટલે સેવા શુશ્રૂષા-માવજત એ સાધુ સાધ્વીની હોય યા સંઘની હોય. અહીં એક પ્રશ્ન થાય. પ્ર૦ - વિનય-વૈયાવચ્ચમાં તો શારીરિક કષ્ટ ઉઠાવવાનું છે તો એ ‘કાયકલેશ’ નામના બાહ્ય તપમાં ગણાય, આભ્યન્તર તપમાં કેમ ગણાય ? ઉ૦ - કાયકષ્ટથી ભલે એ બાહ્ય તપરૂપ હો, પરંતુ એટલા માત્રથી એ વિનય વૈયાવચ્ચરૂપ નથી. પૂર્વે કહ્યું છે તેમ એ કોઈ પણ પૌદ્ગલિક લાલચ વિના ખરેખર પ્રીતિ ભક્તિ અનુષ્ઠાનરૂપ આરાધાય તો જ એ સાચા વિનય અને વૈયાવચ્ચ છે, એટલે આભ્યન્તર દિલમાં એવી કોઈ લાલચ ન હોવી અને શુદ્ધ પ્રીતિ-બહુમાન સાથે વિનય વૈયાવચ્ચનો ભાવ હોવો એ હિસાબે એ આભ્યન્તર તપ છે. લૌકિક આશંસાનો અનર્થ : ત્યારે એમ તો સાધુ પાસેથી કશું લૌકિક ખાટી લેવાની આશાએ કે લોકમાં માનપાન-કીર્તિની આકાંક્ષાથી સાધુની સેવા ચાકરી કરાય એ થોડો જ વૈયાવચ્ચતપ છે ? ત્યાં તો અંતરમાં એક સોદાનો હિસાબ ચાલી રહ્યો હોય છે,- ‘આટલું કરવાથી મને પેલું મળે.’ જો આ હિસાબ ચાલે છે તો એમાં મુખ્ય શું આવ્યું ? પેલું મળવાનું. એટલે મુખ્ય તો રાગ-પ્રીતિ-આદર તો એ લૌકિક દુન્યવી ફળના રહ્યા. દિલમાં સંસ્કાર એના દૃઢ થવાના, પછી વૈયાવચ્ચના કષ્ટના ફળમાં થોડું પુણ્ય મળે, એ આગળ ઉપર લૌકિક ફળ દેખાડે; પણ તેથી શું ? ત્યાં પેલા દુન્યવી વસ્તુના રાગના દૃઢ સંસ્કાર લઈ ગયેલ તે ખૂલવાના, અને એ અથાગ વિષયપ્રીતિ ઊભી કરવાના. ત્યારે એવી અથાગ વિષય પ્રીતિ સાથે વિષયનો ભોગવટો થયા કરે ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy