SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ | ધ્યાન અને જીવન માટે અહીંની ઠંડક ગરમીમાં કશા માલ નહિ. એના પર તારું વર્ચસ્વ નહિ, માટે જે આવે એમાં મધ્યસ્થ ભાવ રાખવો. જગતનું ત્રણેય કાળનું સ્વરૂપ વિચારવું. એમાં પુદ્ગલોના ભાવના પલ્ટા અનંત દેખાશે. ત્યાં એકાદ ભાવ પર એને અંતિમ સ્થાયી ઈષ્ટ માની શું ઝૂકી પડવું ? કે અનિષ્ટ માની શી એનાથી બહુ નફરત કરવી ? જગત પલ્ટાતું છે, પુદ્ગલો ય પલ્ટાતા છે, અને જીવોની પરિસ્થિતિ તથા એના દિલના ભાવ પણ પલ્ટાતા છે. તેથી શું સારા નરસા ગણાતા જડ પુગલના ભાવ કે સગાસ્નેહી કે વિરોધી માનેલાની પ્રવૃત્તિ યા દિલના ભાવ, એ કશા ઉપર મદાર બાંધવા જેવો નથી, એમાં રાગ કે દ્વેષ અને હરખ કે ખેદ કરવા જેવો નથી. એની વચ્ચે સમભાવ સમદષ્ટિ રહેવું, ન રાગ તરફ તણાવું કે ન દેષ-અરુચિ-કંટાળાતરફ! આમ વારંવાર ભાવના કરતા રહેવાથી મન એ બાબતોને બહુ મહત્ત્વ ન આપે એટલે એનાં નિમિત્તે આર્તધ્યાન થાય નહિ. ઈષ્ટ કે અનિષ્ટ ગણે તો આર્તધ્યાન થાય ને ? પલ્ટાતા ભાવ ઈષ્ટ શા ? કે અનિષ્ટ શા ? (૨) આર્તધ્યાન રોકવા બીજો ઉપાય એ કે ધર્મના આચાર અનુષ્ઠાનનું વિશેષ મહત્ત્વ માનવું, અને એમાં તન-મન-ધનની, વાણી-વિચાર-વર્તાવની અને તન-ધનનો સારો એવો ભોગ આપવાની બધી શક્તિ ખરચતા ઉલ્લસિત રહેવું. એમ શક્તિ ખરચી ભોગ આપીને આચારો-અનુષ્ઠાનો બજાવતા રહેવાથી મન પર ધર્મનું મહત્ત્વ સક્રિય રીતે અંકિત થાય છે, પ્રમાદ ઓછો થાય છે, પાપની નફરત ઊભી થાય છે, શાસ્ત્રકારો જ્ઞાનીઓ, શાસ્ત્ર, અને પૂર્વે ધર્માચારો-ધર્મક્રિયાઓ-ધર્મસાધનાઓ સાધી ગયેલા પ્રખર મહાપુરુષો પર આસ્થા વધે છે. આ શ્રદ્ધાની વૃદ્ધિ અને સ્વયં આચારપાલન મનને પાપ સંસારનું અને જગતના પદાર્થોનું મહત્વ ઘટાડે છે. એ અંગે વ્રત નિયમમાં અવાય છે. એમ ઈષ્ટ અનિષ્ઠ માનવું ઓછું થવાથી આર્તધ્યાન ઓછું થાય છે. આ આચાર અનુષ્ઠાનમાં જિન વચનનો શાસ્ત્રનો અભ્યાસ અધ્યયન પણ આવે છે. એ જેમ જેમ વધે તેમ તેમ નવ નવી તત્વની ઓળખ થતી જાય, એના વારંવાર ચિંતન મનનથી મન એનાથી રંગાતું જાય ભાવિત થતું જાય, એટલે પણ બહુ ઈષ્ટ અનિષ્ટ કરવાની ભાંજગડ ઓછી કરાય; તેમજ રોગ પીડા તકલીફનું ય મહત્ત્વ ઓછું આંકી હાય વોય ને આર્તધ્યાન ઓછું કરાય. જિનવચનનો બહુ અભ્યાસ કરતાં આત્મદષ્ટિ ખીલતી જાય છે. મનનો જડ પદાર્થો કરતાં પોતાના આત્મા પર વિશેષ ઝુકાવ રહે છે. આમ, આત્મદષ્ટિ મુખ્ય બને, વિશેષ તરવરતી બને, એટલે કાયાના રોગ, પીડા વગેરેને આત્મદષ્ટિએ મૂલવવાનું થાય, અર્થાત્ આત્માની જ્ઞાનાદિ સંપત્તિને એ કશું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy