________________
આર્તધ્યાનનું સ્વરૂપ
( ૪૩
શાસ્ત્રશ્રદ્ધા નહિ, તો પછી શાસ્ત્ર પાયામાં જે આર્તધ્યાનથી બચવા માટે આર્તધ્યાનનાં સ્વરૂપ ઓળખાવ્યાં એના પર લક્ષ રાખવાનુંય કયાં રહે ? ને એથી બચવાનો પ્રયત્ન પણ શું થાય ? લક્ષ રાખ્યું માત્ર જાપ-ધ્યાન લઈ બેસવાનું, પછી બીજી બાજુ નહિ, તે શું કામ એ ઓછાં કરવાનું સંભાળે?
એ તો જે આર્તધ્યાનનાં સ્વરૂપને સારી રીતે ઓળખે ને લક્ષમાં રાખે, એને એમ થાય કે “અરે ! આ ડગલે-પગલે આર્તધ્યાન કરી કરી આ ઊંચો ભવ કાં બગાડું ? શું તુચ્છ જડની બાબતોમાં આર્તધ્યાન કરી કરી કિંમતી માનવભવ બગાડવાનો ? આમાં મારું પરભવે શું થાય ?’ એમ ભય લાગે.
જાપ-ધ્યાનથી ભવ સુધારવાનાં લક્ષ કરતા અશુભ આર્ત-રી ધ્યાનથી ભવને ન બગાડવાનું લક્ષ રાખવું પહેલું જરૂરી છે.
આનો એ અર્થ નથી કે, જમ્પ-ધ્યાન ન કરવા, પરંતુ કહેવું એ છે કે એમાં ઈતિકર્તવ્યતા ન માનવી. એમાં એવો સંતોષ ન માનો કે જે આર્તધ્યાનનો વિચાર જ ન કરવા દે, આર્તધ્યાનનાં સ્વરૂપ પર લક્ષ જ ન જવા દે, આર્તધ્યાનનો ભય જ ન થાય.
આર્તધ્યાનથી થતી ખરાબીઓનો ભય હોય તો એ મિટાવવા ખાસ પ્રયત્ન રખાય. માટે હવે આ વિચાર કરીએ કે આર્તધ્યાનના કુળમાં શી શી ખરાબીઓ ઊભી થાય છે. એ ખરાબીઓનો ખ્યાલ રહે એટલે હાય ! આર્તધ્યાનથી આમ ભવ બગાડવો? એમ ભય લાગે, ને એથી બચવાનું કરાય. ત્યારે હવે આ જોવાનું આવ્યું કે આર્તધ્યાનથી કેમ બચાય ? (૨) આર્તધ્યાનથી બચવાના ઉપાય :
આર્તધ્યાન જીવને આ જગતના બહુપદાર્થો ઈષ્ટ-અનિષ્ટ યાને ગમતા-અણગમતા કરવાથી થાય છે. નાના નાના મામુલી બાબતમાં પણ આ મને ફાવે, આ ન ફાવે; આ અનુકૂળ આ પ્રતિકૂળ,’ એ ભય રાખ્યાથી એના અંગે આર્તધ્યાન ચાલે છે. માટે આર્તધ્યાનથી બચવા ઉપાય આ, કે પહેલાં તો એવી મામુલી બાબતોને મહત્ત્વ ન આપતાં એમાં ગમતું-અણગમતું ન કરવું. મનને સમજાવી દેવું કે મહાન મોક્ષનું ધ્યેય રાખનાર તારે વળી આ તુચ્છ બાબતમાં ફાવે ન ફાવે શું? ચાલે, જે આવ્યું તે ચાલે. ઉનાળામાં સહેજ ઠંડો પવન આવ્યો એમાં રાજી રાજી શું થયું? ને સહેજ ઠંડો પવન આવ્યો એમાં રાજી રાજી શું થયું ? ને સહેજ ગરમી વધી એમાં વ્યાકુળ શું થયું ? સ્વર્ગનીય શાતાથી અનંતીવાર જોઈ નાખ્યા છતાં શાતાની ભૂખ નથી મટી; ને નરકની દારુણ ગરમી અનુભવી લીધી એની આગળ વર્તમાન ગરમી કશી વિસાતમાં નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org