________________
આર્તધ્યાનનું સ્વરૂપ
૪૧
ચોંટ એ આર્તધ્યાન. એમ સ્વચ્છ જગા મળવા પર મન રાજી રાજી, બસ જગા તો આવી સાફ જ જોઈએ. માણસ પાસે આ ધ્યાન રખાવીશ કે બીજું પછી, પણ જગ્યા સાફ સ્વચ્છ રાખતા જાઓ.. વગેરે વગેરે વિચારમાં મન તન્મય થાય, એ આર્તધ્યાન. કેવી ખૂબી ? તુચ્છ-અતિતુચ્છ-નગણ્ય ઈષ્ટ-અનિષ્ટનું આર્તધ્યાન ? જીવની કેટલી કંગાળ-પામર-નિસત્વ દશા ! ત્યારે, આર્તધ્યાન કરાવનારી જીવને ગમતી-અણગમતી બાબતો, આ પરથી ખ્યાલ આવશે કે, કેટલી સેંકડો હજારો થવા જાય ? ચાહ્ય એ ગમે તે એકાદ ઈન્દ્રિય યાને આંખને કે સ્પર્શનેન્દ્રિયને અથવા મનને, જીભને કે નાકને પસંદ નાપસંદ હો, અથવા કાનને માફક યા ના-માફક આવો.
મનના પસંદ—અપસંદ કેવા ? :
દા.ત. ઘરના માણસ છોકરાને બે પૈસા વધારે ખરચવાના આપે છે...ઘરનો કારભાર પોતાની જ મરજીથી ચલાવે છે, એ પોતાના સગા પર પક્ષપાત કરે છે,... પાડોશી વારે વારે આપણી વસ્તુ માગી જાય છે, ... આવું બધું મનને નાપસંદ છે. એથી ઉલ્ટું, પોતાને ઉદાર પાડોશીની સારી સારી ચીજ કામ લાગે છે,... ઘરમાં પોતાનું વર્ચસ્વ રહે છે,..... પોતાને પત્ની કે છોકરા પૂછી પૂછીને બધું કરે, ઘરખર્ચ કરકસરથી થાય છે,.... વગેરે વગેરે બાબત મનને પસંદ છે. આ પસંદનાપસંદ બાબતો અંગે મનના બહુ રાગ દ્વેષ-રહે, પસંદગીનું કેમ બને, યા બન્યું છે તો કેમ ટકે; નાપસંદ બાબત કેમ ટળે, ભવિષ્યમાં ન બને, વગેરે પર મન તન્મય થાય એ આર્તધ્યાન.
આ પરથી જીવનમાં તપાસવા જેવું છે કે ઈષ્ટ-અનિષ્ટ બાબતો કેટલી ? અને એના અંગે આર્તધ્યાન કેટલી કેટલી વાર ? મન એમાં ક્ષણભર પણ તન્મય થાય, ચોર્ટ, એ આર્તધ્યાન છે. મનની એમાં અર્તિ છે, પીડા છે, પછી ભલે મનગમતી બાબતમાં મન હાશ કરે કે, ઠીક બની હવે બરાબર ચાલે તો સારું, તો ય તેમાં મનની ગુલામી છે, ગળિયાપણું છે, Nervousness શૈથિલ્ય માંદાપણુ છે, એ અંર્તિ મનની પરવશતા એ અર્તિ જ કહેવાય. માટે એ અંગેનું ધ્યાન એ આર્તધ્યાન થયું ગણાય.
જેવું ઈષ્ટ-અનિષ્ટ અંગે આર્તધ્યાન, એવું રોગ-વેદના તકલીફ અંગે પણ આર્તધ્યાન હોય છે. એના જ વિચાર, વૈદ્ય-ડાકટરના ને દવા-ઉપચારના વિચાર, અનુપાનના, પરેજીના વગેરે વિચાર મનને પકડી લે, એ આર્તધ્યાન. એમ રોગ-વેદના તકલીફમાં હાય વોયમાં મન લાગી જાય, અરેરે ! કેટલી બધી પીડા ? ક્યાં આ આવી ? મને ને આ ? હું નિયમિત ચાલનારો, ને મને ટી.બી. ? કેન્સર ?.... એવી હાયવોયમાં મન પડે ત્યાં આર્તધ્યાન લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org