________________
(૪૦)
ધ્યાન અને જીવન એટલે ડહાપણ આ રાખવાનું છે કે ધર્મ જરૂર કરવાનો; પણ બને તેટલા આર્તધ્યાનથી બચીએ, એ સાથે સાવધાની જોઈએ.
ધર્મ સાચો આ ફળ્યો કે એ આપણને આર્તધ્યાનથી બચાવે. જીવનમાં ધર્મ મળ્યાની ને ધર્મ કર્યાની સુવાસ રહેવી જોઈએ. ધર્મની સુવાસ આ કે ધર્મ સિવાયના કાળમાં આર્તધ્યાનથી બચવાનું ખાસ કરીએ.
આર્તધ્યાનથી બચવા માટે (૧) આર્તધ્યાનનું સ્વરૂપ બરાબર ખ્યાલમાં રહ્યા કરવું જોઇએ. અને (૨) આર્તધ્યાનનાં ફળની ભડક રહ્યા કરવી જોઈએ. આર્તધ્યાનનું સ્વરૂપ :
(૧) આર્તધ્યાનનાં સ્વરૂપમાં સંક્ષેપમાં આ, કે દુન્વયી ઇષ્ટ-અનિટ ગમતાઆણગમતા પર મનની ચોંટ રહે, અર્થાત્ ઇટ કેમ મળે, મળેલું ટકે, જાય નહિ. પૂર્વે મળ્યું હતું તો કેવું સારું હતું ! મળશે ત્યારે કેવી મજા રહેશે ! ઈષ્ટ મળ્યામાં બાદશાહી છે, નહિતર ઈષ્ટ ન મળે તો જીવન જીવ્યાની કિંમત શી ?... 'એમ ‘અનિષ્ટ અણગમતું ક્યાં આવી પડ્યું ? એ જાય તો સારું. ફરીથી ન આવે તો સારું. પૂર્વે આવેલું ત્યારે હેરાન થઈ ગયેલા. ભવિષ્યમાં આવશે તો બાર વાગી જશે !... વગેરે વગેરે વર્તમાનના કે ભૂતકાળના યા ભવિષ્યકાળના ઈષ્ટ-અનિષ્ટ અંગે ગમતા-અણગમતા અંગેના રાજીપા નારાજીના વિચારમાં મન તન્મય બની જાય એ આર્તધ્યાન.
જીવને ઈષ્ટ-અનિષ્ટ કેટલાં ? :
ત્યારે જોવાનું આ છે કે જીવને દુન્વયી ગમતી-અણગમતી બાબતો કેટલી છે ? અપરંપાર. દુન્વયી એટલે ઈંદ્રિયોને પસંદ-નાપસંદ અથવા મનને મસ્ત કે દુઃખિત કરનારી ચીજ વસ્તુ યા કોઈ બાબત. આની સંખ્યાનું માપ નથી.
દા.ત. દાંત ખોતરવા તણખલાની સળી જોઈએ છે, તે જરાક સારી કડક મળે, સોય જેવી બહુ અણિયારી નહિ, કે વિશેષ જાડી નહિ, એવી મનગમતી મળે, એ સ્પર્શનેન્દ્રિયને પસંદ. એથી ઉલ્ટી મળે એ નાપસંદ. એના પર મન લાગી જાય. સરસ મળી ત્યાર આલ્હાદ યા અપસંદ મળે નાખુશી માને. એવું મન ચોંટી જાય, મનનું ધ્યાન લાવે, એ આર્તધ્યાને.
બેસવાની જગા મળી પણ જરાક મેલી રજવાળી, તો એ નાપસંદ, મનને એના પર કચવાટ રહે કે આવી મેલી ક્યાં મળી ? હવે ફરીથી ધ્યાન રાખું કે આવી ન મળે. પહેલાં ઠીક મળેલી, આ ઠીક ન મળી. માણસો કેવા ? જરાક જગા ય સાંફ રાખતાં ન આવડે ! .... આવી મનની ગડમથલ અને એ અનિષ્ટ જગા ટળવા, ન મળવા પર મનની ગડમથલ અને એ અનિષ્ટ જગા ટળવા, ન મળવા પર મનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org