________________
આર્તધ્યાનનું સ્વરૂપ
૩૯
અશુભ સંયોગ એ પૂર્વના અશુભ કર્મના ઉદયને આભારી છે. એટલે આપણે જ દુષ્ટ યોગથી અશુભ કર્મ બાંધીને આવ્યા પછી એના ઉદય ભોગવવામાં સંતાપ શો કરવો ? પ્રભુએ જ કહ્યું છે કે જો પૂર્વે બાંધેલા અશુભ કર્મનો ત્યાં જ પ્રતિક્રમણપ્રાયશ્ચિત્તથી નાશ ન કર્યો, તો પછી આગળ પર કાં તો એ ભોગવાઈને નાશ પામે યા તપથી નાશ પામી શકે. આ રોગપીડા એ ભોગવટો હોઈ એના દ્વારા અશુભ કર્મ નાશ પામી રહ્યા છે. એમાં શોકસંતાપ શાને ? અશુભ કર્મ ઉદય પામે એટલે અશુભ ફળ આવે એ વસ્તુસ્વભાવ છે.’
આમ વસ્તુસ્વભાવનાં ચિંતનમાં રહેવાથી એમને ચિત્તનો અધ્યવસાય શુભ છે, અશુભ નથી. એ રીતે એ રોગ સહન કરે એમાં એમને ચિત્તની વ્યાકુળતા નથી, રોગ પર એમને દ્વેષ નથી, તેથી આર્તધ્યાન નથી; બલ્કે ધર્મધ્યાન છે, એ ગ્રંથકાર મહર્ષિ આગળ કહેવાના છે.
મુનિના આ દૃષ્ટાન્તથી સંસારી ગૃહસ્થને માર્ગ સૂચવ્યો કે તમે પણ જો રોગ યા બીજી આફતોમાં વસ્તુસ્વભાવ વિચારતા રહો, પૂર્વ કર્મના વિપાક-ઉદય વિચારી બીજાને દોષ ન દો, બીજા પર દ્વેષ ન કરો; અશુભોદયે પીડા આફત આવે એ વસ્તુસ્વભાવ કહેવાય, વસ્તુસ્વભાવમાં આકુળ-વ્યાકુળ ન થવાય, એમ વિચારી હાયવોય ન કરો, તો આર્તધ્યાનથી બચી જવાય.
ધર્મથી આર્તધ્યાનની માફી ન મળે :
જુઓ ખ્યાલ રાખવાનો છે કે નમસ્કારમંત્રનો જાપ કરાય, તેમજ બીજી દેવદર્શનાદિ ધર્મસાધના કરાય, એમાં સારું ધ્યાન લાગે, શુભ ધ્યાનનો લાભ મળે. પરંતુ એટલેથી નિરાંત નથી વાળવાની, કિન્તુ બાકીના સમયમાં આર્તધ્યાન ન થાય એ પણ ખૂબ જરૂરી છે. નહિતર પેલા શુભયોગ-શુભધ્યાનનું પુણ્ય તો મળશે, પરંતુ સાથે આ આર્તધ્યાનથી પાપ પણ ઊભા થવાનાં. એટલે જો દિવસ-રાત આર્તધ્યાનનાં પોટલાં, તો પાપનાં પણ પોટલાં બંધાવાનાં. ત્યાં છૂટકની ધર્મક્રિયાથી બચાવ નહિ મળે કે તુ ધર્મ કરે છે ને ? માટે આ તારાં આર્તધ્યાન માફ, એથી તને અશુભ કર્મ નહિ બંધાય.' ના, આવી માફી ન મળે.
પ્રારંભનો શ્રી પાર્શ્વનાથ ભગવાનનો પૂર્વભવનો પેલો મરુભૂતિનો દાખલો યાદ છે ને ? જીવનમાં વરસો ધર્મસાધેલો, ધર્મધ્યાન શુભધ્યાન રાખેલાં, પરંતુ અંતે ભાઈ કમઠ તરફથી પત્થરની શિલાનો મરુભૂતિના પોતાના મસ્તકે ઘા થતાં એની મરણાંત પીડામાં આર્તધ્યાન આવ્યું તો એને તિર્યંચ ગતિમાં હાથીના ભવમાં ઉતારી દેનારું
બન્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org