SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૩૮ ખરાબીના ખેદ જ ભૂલી જવાય છે. એ ભૂલાય પછી ખરાબીઓના સુધારા માટેનો વિચાર કે તમન્ના જ શાની થાય ? એ મૂર્ખ જીવ તો બહારનું જ વાંકુચુકુ સરખું કરવા માટે મથવાનો, અંદરનું નહિ. આ સાવધાનીએ, ખેદની માત્રા ઘટતી આવે. આમ હરખ-કેદ ઘટાડતા જવાથી રાગ-દ્વેષ મોળા પડતા આવે, એટલે પછી એના પર ઉભા થતાં આર્તધ્યાન પણ ઓછાં થતા રહેવાનાં. એથી પછી ધર્મધ્યાનને સારી તક મળવાની. પર વસ્તુના મમત્વ છુટવા પર શુભ ધ્યાનની સ્થિરતા થાય છે, સ્થિરતાનો સમય વધે છે. તાકાત વધે છે. શીતલાચાર્યના ચાર ભાણેજ ગુરુ વિનય-વંદનાના ભાવમાં એવા મમત્વ ત્યાગ અને અનાસકત યોગ પર આગળ વધતાં વધતાં શુકલધ્યાનમાં ચડી ઘાતી કર્મોના ભુક્કો કરી નાખનારા બન્યા, અને કેવળજ્ઞાન પામ્યા ! વિનયધર્મ-વંદનધર્મના ભાવમાં કેવલજ્ઞાનનાં બીજ પડેલાં છે. વિનય એ મહાન આભ્યન્તર તપ છે. એનાથી વિવિધ અશુભ કર્મો નાશ પામવા સાથે તે માનાદિ કષાયનાં કર્મ નષ્ટ થતા આવે છે, કે જે માન મદ અહંકાર અનેકાનેક પાપોનું મૂળ છે. અહંકાર આપમતિથી તો જીવ કેટલાંય સુમાર વિનાનાં પાપો આચરે છે. વિનયદ્વારા એ તૂટે એટલે તો પછી ધર્મના દરવાજા ખૂલી ગયા. માટે જ કહેવાય છે કે ‘વિણયમૂલો ધમ્મો.' વિનય એ ધર્મવૃક્ષ ઉગવા માટેનું મૂળ છે. મૂળ ઉપર જ ઝાડ ઊગે. વિનય એ ધર્મનગરનો દરવાજો છે. દરવાજામાં પેસીને જ નગરમાં જવાય. જો દરવાજો જ તૂટી જાય, તો બહારના ચોર ડાકુ લૂંટારા પેસીને નગરને ખેદાન મેદાન કરી નાખે, એમ, વિનય ભંગ થતાં અભિમાનાદિ ડાકુ ઘુસીને ધર્મને નષ્ટભ્રષ્ટ કરી નાખે છે. ૪ આર્તધ્યાનનું સ્વરૂપ : આપણી વાત એ ચાલી છે કે રોગની પીડા આવતાં જીવ જે આકુળવ્યાકુળ થઇ એ કેમ ટળે એની ચિંતામાં પડે છે, ને દવા, દાકતર, પથ્ય વગેરેની ચિંતામાં પડે છે, એ ત્રીજા પ્રકારનું આર્તધ્યાન છે, એના પર પ્રશ્ન થયો કે તો પછી મુનિને રોગપીડા આવતાં એ પણ રોગ કાઢવાના ઉપાય કરે છે તો એમને આર્તધ્યાન કેમ નહિ? એના જવાબમાં એક વાત એ કહી કે મુનિ રોગને કર્મનો વિપાક સમજી ખોટું દુર્ધ્યાન નથી કરતા. વસ્તુસ્વભાવ-ચિંતને આર્તધ્યાનથી બચાય : કારણ કે મુનિ જગતની ત્રિકાલ અવસ્થાને જોનારા હોઈ સમજે છે કે ‘અહીંના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy