________________
યોગ ૪ પ્રકારે
(૩૭) જગતની વચ્ચે જીવન છે એટલે સારું ય આવે ને નરસું ય આવે. એની વચ્ચેથી મારે અલિપ્તપણે પસાર થયે જવાનું.”
વાત આ બહુ મોટી છે, કપરું કામ છે, પરંતુ એ રીતનો અભ્યાસ પાડયા વિના છૂટકો નથી. અલિસ દશા એકદમ નહિ આવે, પરંતુ અનંતકાળથી જે એકદમ સર્વે સર્વા લિમ-લીન બનવાનું ચાલી આવે છે, એમાં સહેજ ઓછાશ આવતી જશે. રાગદ્વેષ ઘટાડવા માટે હર્ષ ખેદ ઘટાડવા કયા મુદ્દા ?
એ રાગદ્વેષનો લેપ ન લાગે એ માટે કરવાનું આ, કે હરખ-ખેદની માત્રા ઘટાડવાની. ગમતું મળ્યું ને બહુ હરખાયા, અણગમતું થયું ને તરત ખિન્ન થઈ ગયા, - એ હવે ન ચાલે. હરખ ઘટાડવાનો ને ખેદ પણ ઘટાડવાનો.
હરખ કેમ ઘટે? હરખ થવા જાય ત્યાં ચોંકી ઉઠવાનું કે “અરે ! આ હું શું કરી રહ્યો છું ? શાના પર હરખી રહ્યો છું ?'
(૧) આ કઈ મોટી ચક્રવર્તીના જેવી સમૃદ્ધિ કે સન્માન મળ્યા છે તે હરખું છું? (૨) એ ય મળે તો પણ એમાં આત્માનું શું ભલું થઈ રહ્યું છે? હરખવાનું હોય? (૩) એમાં તો બિચારા જીવનું પુણ્યધન લૂંટાઈ રહ્યું છે, ને (૪) સ્વદેશમાં જવાનું પ્રયાણ ભૂલાવાઈ રહ્યું છે. જગતના મનગમતા પદાર્થો આવીને આપણા પુણ્યની લૂંટ ચલાવે છે, આપણને સ્વદેશ મોક્ષ' તરફના વૈરાગ્ય અને ત્યાગરૂપી પ્રયાણને ભૂલાવે છે.
એમાં હરખાવું એ મહા મૂર્ખાઈ છે. જુગાર ખેલતાં ધન હારતો જતો હોય છતાં જુગારના દાવ પર દાવ રમવાનો આનંદ માને એ શું મૂર્ખ નથી?
શું હું આવો મૂર્ખ છું ?’ આમ આમ વિચારતાં હરખ ઘટે. ખેદ કેમ ઘટે ? ખેદ થતાં જ સાવધાન બની જીવને કહેવાનું કે ‘(૧) મૂર્ખ ! કચરો સાફ થવા પર ખેદ કરે છે ? અણગમતું બની આવ્યું, આપત્તિ પ્રતિફલતા આવી એ પોતાના અશુભ કર્મના ઉદય વિના બને જ નહિ. પણ એમાં તો એ આપત્તિ વગેરે ભોગવી લેતાં એટલા અશુભ કર્મનો કચરો ભોગવાઈને સાફ થાય છે. કચરો સાફ થાય એમાં ખેદ શાને ?
(૨) વળી વર્તમાનમાં નરકના જીવો જે ઘોર ત્રાસ વેઠી રહ્યા છે એ ધ્યાન પર લાવી અહીંનું દુ:ખ તો મામુલી સમજી સહી લેવું સહેલું. એમાં ખેદ શો કરવાનો હોય ?
(૩) વળી આવા તુચ્છ ખેદ કરવા જતાં એક તો જૂના અશુભ ટળવા પર નવાં અશુભની ભરતી થાય છે, અને બીજું એ, કે તુચ્છના ખેદમાં આત્માની આંતરિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org