________________
( ૩૬
ધ્યાન અને જીવન કર્મ આ આત્મામાં સંક્રમી શકતા હોય તો એ સંક્રમીને આ શુકલધ્યાનના દાવાનળમાં બળીને ભસ્મીભૂત થઈ જાય ! પરંતુ બીજાનાં કર્મ પોતાનામાં સંકમે એ વસ્તુ તદ્દન અસંભવિત છે. એટલે એ બળી જવાની વાત બાજુએ રહી; પણ પોતાના આત્મામાં સીલક પડેલા અસંખ્ય ભવોપાર્જિત સમસ્ત મોહનીય અને જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મ આ પ્રબળ શુકલધ્યાનના દાવાનળમાં ક્ષણમાં બળીને સાફ થઈ જાય છે. કેવું ધ્યાન કર્મનાશ કરે ? :
કાયા અને પર વસ્તુમાત્રથી અત્યંત ભિન્ન સ્વાત્માને અનુભવી લીધા પર, યાવતુ રાગ-દ્વેષાદિ પરિણામથી પણ સ્વાત્માને ભિન્ન અનુભવી લીધા પર અનાસકત બનેલા આત્માને જે ગમે તે કોઈ એક દ્રવ્ય એક પર્યાય ઉપર શુકલધ્યાન લાગે, એની આ અકથ્ય અચિંત્ય તાકાત હોય છે કે એ સમસ્ત સત્તાગત યાને સ્વાત્મામાં સીલિક ઘાતી કર્મોનો ક્ષણમાં ધ્વંસ કરી નાખે. આ સૂચવે છે કે કોરા માની લીધેલા ધ્યાન માત્રથી કાંઈ ન વળે. ખરું ધ્યાન જ પર વસ્તુના રાગ-દ્વેષ અને હર્ષ-ખેદ મંદ કરવા પર જ લાગે.
જેટલી ભારે એ રાગાદિની મંદતા. એટલી ધ્યાનની પ્રબળતા.
હૈયામાં રાગ-દ્વેષ ભર્યા પડ્યા હોય ત્યાં તો અશુભ આર્ત-રૌદ્રધ્યાન ચાલ્યા કરે; શુભ ધ્યાન ધર્મધ્યાન શાનું લાગે ? હૈયામાંથી પર વસ્તુના સંગ-આકર્ષણ છોડવા નથી, અનિષ્ઠ પરની ઈતરાજી મૂકવી નથી, ને કોઈ 3 વગેરેનું ધ્યાન લઈ બેસવું છે, તો એ તો માત્ર ધ્યાનનો ચાળો થાય, ખરેખર શુભ ધ્યાન નહિ. માટે તો કહ્યું કે,
આર્તધ્યાનનું મૂળ રાગ-દ્વેષ છે. એ મૂળનું જોર સલામત, તો આર્તધ્યાન જ સલામત, ધર્મધ્યાન નહિ.
ધ્યાન સુધારવા શું કરવું ? માટે જ ધ્યાન સુધારવા માટે રાગ-દ્વેષને મંદ પાડવાની જરૂર છે. એ માટે આ ઈષ્ટ, અને આ અનિષ્ટ’ આ મને ગમતું, ને આ અણગમતું'- એવી સહુ કલ્પનાઓ કરવાનું પડતું મૂકવું પડે.
ઈષ્ટ અનિષ્ટ કલ્પનાથી બચવા
એક તો ૬ પ્રકારના બાહ્ય તપની બુહ જરૂરિયાત પર વિચારી ગયા છીએ. બીજું સાથે એવો એક સ્વભાવ કેળવવો જોઈએ કે મને કમેં જે મળ્યું તે બરાબર, - એને મારે સારું કે નરસું માનવાની જરૂર નથી; ગમતું કે અણગમતું કરવાની જરૂર નથી. ચાલવા દો ચાલે એમ; જીવનમાં આવતા પ્રસંગો એ કર્મ અને ભવિતવ્યતાના ખેલ છે. મારે એ ખેલના માત્ર તટસ્થ પ્રેક્ષક બનવાનું, એને પોતાના માની લેવાના નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org