________________
યોગ ૪ પ્રકારે
૩૫ અવકાશ મળે, અવસર મળે. માટે પ્રીતિઅનુષ્ઠાન ભક્તિ-અનુષ્ઠાન તો ખૂબ જ સાધવાં જોઈએ.
મુનિઓ શું કરે છે? પહેલાં તો આ પ્રીતિ-અનુષ્ઠાન ભક્તિ-અનુષ્ઠાનનું જ બહુ સેવન કરે છે. એમને અરિહંત પરમાત્મા તથા ગુરુ પર અનહદ રાગ પ્રેમ બહુમાન હોય છે, તેમ મહાવ્રતો પર, સંયમ પર, સાધના પર અતિશય રાગ-આદર-બહુમાન હોય છે. એથી પ્રેરાયા એ સાધના કરે એ ઉંચા પ્રીતિ-અનુષ્ઠાન અને ભક્તિ-અનુષ્ઠાન છે. મુનિઓ સરાગ સંયમ આદરનારા કહેવાય છે, એનો આ જ અર્થ છે. પછી એમાં સમર્થ બન્ચે વચનાનુષ્ઠાનને આદરે, એમાંય ખૂબ અભ્યાસી થયા પછી વચનને ય યાદ ન કરવું પડે, અનુષ્ઠાન-સાધના સહજભાવે ચાલ્યા કરે એવું જ થઈ જાય; પછી અસંગાનુષ્ઠાન આવે. એમાં ‘આ ક્રિયા માટે કલ્યાણકારી છે માટે એને સેવું,’ એવો કોઈ ભાવ નહિ. સૂર્ય પ્રકાશ કરે એમ જીવ અનુષ્ઠાન આરાધે, એ અસંગાનુષ્ઠાન, અનાસંગ યોગ.
આપણી વાત એ ચાલતી હતી કે પેલા શીતલાચાર્યના ચાર ભાણેજ મુનિઓ અનાસંગ યોગમાં પહોંચી ગયા એટલે તો ત્યાં પોતાના આત્માને છોડીને પર વસ્તુમાત્રનો આસંગ છૂટી ગયો. આસક્તિ કપાઈ ગઈ, એમાં પછી કાયા પણ આત્માથી તદ્દન પર હોઈ એના પરની આસકિત પણ છૂટી જાય એમાં શી નવાઈ?
બસ, શુકલધ્યાન આ માગે છે કે પર વસ્તુમાત્રમાં રમવાનું લેશ પણ ન હોય, એટલે કોઈ એક ચોકકસ વસ્તુ પર રાગ-દ્વેષના લેશ વિના મન કેન્દ્રિત થઈ જાય. અનાસક્ત યોગથી પર વસ્તુમાત્રની આસક્તિનો લેશ પણ નથી, રાગાદિનો અંશ પણ નહિ; અને આમાં કોઈ એક દ્રવ્ય પર મન કેન્દ્રિત છે એટલે તો ત્યાં પછી કદાચ એ વખતે શરીર પર કુહાડાનો ઘા પાગ પડે તોય ત્યાં ધ્યાનભંગ નહિ, મન રાગ દ્વેષ ને હર્ષ-ખેદના લેશમાં પણ ન ખેંચાય; એટલે ત્યાં પરમાત્રની યાવતુ કાયા સુદ્ધાંની આસક્તિ ગઈ છે, મમતા ગઈ છે, એટલે તો એ કાયાથી પણ સ્વાત્માને અત્યંત અલગ અનુભવી લીધો છે.
જેમ બીજાની કાયા પર ચાકુનો ઘા પડવાથી આપણને દ્વેષ કે ખેદ નથી થતો, કેમકે પેલી કાયા આપણા આત્માથી જુદી છે; એમ આ મહાત્માને પોતાની કાયા ય પોતાના આત્માથી તદ્દન જુદી જ ભાસી ગઈ હોય, લેશમાત્ર પણ પોતાની લાગતી ન હોય; એટલે સ્વભાવિક છે કે એના પરના પ્રહારમાં પોતાને દ્વેષ-ખેદ જેવી કોઈ જ અસર નહિ. શુકલધ્યાનનો દાવાનળ :
આવી સ્થિતિનો અનાસંગ-અનાસક્તિ યોગ લાધે પછી તો ત્યાં શુકલધ્યાનની લીનતા આવે. આની એટલે બધી તાકાત હોય છે કે જો એ વખતે સર્વ જીવોનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org