SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૪ ) | ધ્યાન અને જીવન સુવાસ, એમાં આના આત્માના પ્રદેશ પ્રદેશે ક્ષમા વ્યાપ્ત બની જાય, આને અસંગ દશા, ક્ષમાનું અસંગાનુષ્ઠાન, ક્ષમાનો અનાસંગ યોગ કહેવાય. ત્યાં અક્ષમાં કલ્પનામાં ય ન આવે. એક રુંવાડું પણ વેષ-ઉકળાટવાળું બને નહિ, પ્રીતિ-ભકિત અનુષ્ઠાન પછી અસંગાનુષ્ઠાન કેમ નહિ ? વિચારજો, સહજ ભાવે આવું દિલ ક્યારે બને ? દીર્ઘ કાળ અભ્યાસ કર્યો હોય ત્યારે ને ? અહીં વિશેષતા આ મૂકી, પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન પછી અસંગાનુષ્ઠાન ન કહ્યું, કિન્તુ વચનાનુષ્ઠાન પછી એને સ્થાન આપ્યું. કેમ એમ ? શું પ્રીતિઅનુષ્ઠાનના બહુ અભ્યાસમાં તાકાત નથી આવતી? આવે છે, પણ એમાં પ્રીતિ-ભક્તિની પ્રબળતા થાય ત્યાં એ અનુષ્ઠાનનો આસંગ-આસક્તિ રહે છે. તેમજ વિધિ-અપ્રમાદ પર એવું જોર નથી હોતું, ત્યારે વચનાનુષ્ઠાનમાં સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા છે માટે આ અનુષ્ઠાનની ચોકસાઈ વ્યવસ્થિતતા અને સંપૂર્ણતા પર લક્ષ વધુ રહે છે. એથી એ રીતે અભ્યાસ વધતાં અનુષ્ઠાન સહજ ભાવનું બનતું જાય છે. પહેલું વચનાનુષ્ઠાન કેમ નહિ? આર્તધ્યાન અહીં ક્યાં નડે ? : પ્ર૦ - તો પછી પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાનનું શું કામ ? પ્રારંભે વચનાનુષ્ઠાનનો જ અભ્યાસ ન કરાય ? ઉ૦ - વાર છે, વચનાનુષ્ઠાન એવું સહેલું નથી કે પ્રારંભે એ આદરી શકાય. વચનાનુષ્ઠાન માટે તો મનને પહેલાં આર્તધ્યાનથી મુક્ત કરવું પડે. આર્તધ્યાનની પીડા ચાલુ હોય ત્યાં પ્રબળ શુભ ધ્યાન ન આવી શકે, અને તે વિના વચનાનુષ્ઠાન આવવું મુશ્કેલ. વચનાનુષ્ઠાનમાં તો મનની તન્મયતા છે, એ જો મનને આર્તધ્યાનની સતામણી ચાલુ હોય તો કેવી રીતે બની શકે? એટલે આર્તધ્યાન મિટાવવા માટે પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન લાવવું પડે. પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાનમાં જે સાધના કરાય છે તે દેવ-ગુરુ અને અનુષ્ઠાનની શુદ્ધ પ્રીતિ-ભકિતથી કરાય છે. આ પ્રીતિભક્તિની એ તાકાત છે કે એ વખતે આર્તધ્યાન કરાવનારી જડ પદાથોની પ્રીતિ-ભકિતને યાને લગની-આસકિતને અટકાવી દે. જડના રાગ દ્વેષ ઉપર આર્તધ્યાન ઊભું થાય છે, ત્યારે દેવ-ગુરુ અને ધમનુષ્ઠાનની જવલંત પ્રીતિ-ભકિતરાગ એ જડના રાગને દબાવી દે છે, એથી આર્તધ્યાન અટકે છે. આમ પ્રીતિ-ભકિત અનુષ્ઠાનનો બહુ અભ્યાસ કરાય જાય એથી એ પ્રીતિ-ભકિત પર આર્તધ્યાનની સતામણી ઓછી થતી આવે છે. એ ઘટતી જાય એટલે નિદ્રા વિકથા આલસ્ય બેકાળજી વગેરે પ્રમાદ પણ ઓછા થતા જાય. એમ કરતાં કરતાં પ્રમાદ અને આર્તધ્યાન નહિવત્ બને એટલે વચનાનુષ્ઠાનના ઘરની અણીશુદ્ધ સાધનાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy