________________
૩૩
યોગ ૪ પ્રકારે
=(૩૩) ખરેખરો યોગ છે, મોક્ષ સાથે યોજી આપનારો છે, રાજયોગ છે; એટલા જ માટે માનવકાળનો ઉત્તમ સદુપયોગ આ રાજયોગની સાધનામાં છે,
હયોગ-રાજયોગનો ફરક :રાણીએ ભેંસ ઉંચકીને ત્રણ માળ ચડાવી દીધી એ તો કાયાના શ્રમનો અભ્યાસ છે. એમાં મન કે આત્માના કોઈ દોષનિવારણ કે ગુણઘડતરનો અભ્યાસ નથી. એમ સમાધિના હઠયોગમાં પણ આવો કોઈ અભ્યાસ નથી. કિન્તુ એ તો શ્વાસ રૂંધનનો અભ્યાસ છે. ત્યારે દર્શન જ્ઞાન ચારિત્ર-તપના અભ્યાસમાં તો મૂઢતા-અજ્ઞાન-રાગાદિ અને આહારસંજ્ઞાદિ દોષોના નિરાકરણનો અને સમ્યગ્દર્શન તથા અહિંસા-ક્ષમાદિ ગુણઘડતરનો અભ્યાસ છે. માટે એ રાજયોગ છે. યોગોનો રાજા તે ‘રાજયોગ.'
રાજયોગ ખરો યોગ કેમ ? :રાજયોગમાં મનના અને આત્માના રાગાદિદોષના નિરાકરણનો અભ્યાસ થાય છે, તેથી એ કમે કરીને વીતરાગતા તરફ લઈ જાય છે; અને અંતે મોક્ષ સાથે યોજી આપે છે. માટે એને ખરો યોગ” કહેવાય, યોગોનો રાજા ‘રાજયોગ' કહેવાય. એમાં અભ્યાસ જ એ જાતનો છે કે જેથી મનનું અને આત્માનું સદ્વર્ય બળ-સત્વ-સચિ વધતા જાય છે, અને ગમે તેવા પ્રલોભન કે આપત્તિમાં મન ચંચળ બન્યા વિના સમ્યગુદષ્ટિ-ક્ષમા-નિસ્પૃહતાદિ, વિવિધ તપ, સ્વાધ્યાય ધ્યાન વગેરેમાં સ્થિર રહે છે.
વચનાનુકાનમાંથી કેવી રીતે અસંગાનુષ્ઠાન ? :
વચનાનુષ્ઠાનનો અભ્યાસ પણ એક મહાન રાજયોગનો અભ્યાસ છે, એમાં કઠોર તપ સંયમ સ્વાધ્યાયની ધૂન લાગે છે. બરાબર સર્વજ્ઞ વચનના અનુસારે જ જ્ઞાનચારિત્રના યોગ સાધવા છે તેથી ત્યાં બીજે-ત્રીજા કોઈ વિક્ષેપ આકર્ષણ યા પ્રમાદને જગા જ નથી. સર્વજ્ઞ ભગવાને કહેલી વિધિએ જ આત્મહિતની સાધનામાં એકાકારતા છે. તેથી અભ્યાસ વધતાં વધતાં એવી સ્થિતિ આવી જાય છે કે જ્યાં પછી પોતાની કાયા સુધ્ધાંનાં આકર્ષણ-મમત્વ-સંગ છૂટી જાય છે; યાવત્ જે સાધના કરે છે એ પણ એટલી બધી સહજ ભાવની થઈ જાય છે કે એનાં ય હવે આકર્ષણ-આતુરતાઆસંગ કરવાનું છૂટી જાય છે. સૂર્ય જેમ સહજભાવે પ્રકાશ કરે છે, ચંદન જેમ સહજભાવે સુગંધ રેલાવે છે એમ અહીં પ્રખર અભ્યાસથી પરાકાષ્ટાએ અનુષ્ઠાનસાધનાનાં પણ આકર્ષણ-આતુરતા-આસંગ છૂટી જઈ, એ સહજભાવની બની જાય છે, આને અનાસંગ યોગ કહે છે, અસંગાનુષ્ઠાન કહે છે.
ચંદનગંધ-ન્યાયે સહજ સાધના :દા.ત. 'જ્ઞાની કહે છે માટે ક્ષમા રાખો.” એમ નહિ. કિન્તુ બહુ અભ્યાસથી આત્મા જ ક્ષમામય બની જાય, અને ચંદનગંધન્યાયથી જે ચંદનના અણુએ અણુએ ગંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org