________________
( ૩૦ )
ધ્યાન અને જીવન જ મધ્યાહને આહાર નિહાર વિહાર માટે નીકળે. એમાં ય ગોચરીએ જતાં દ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવના વિશિષ્ટ કડક નિયમ અભિગ્રહ ધારીને જાય; એના અનુસારે જ ભિક્ષા લેવાની. એમાં ય ગોચરી અંગેના સૂક્ષ્મ પણ દોષ નહિ લાગવા દેવાના. દિવસો સુધી નિર્દોષ અને અભિગ્રહાનુસાર ભિક્ષા ન મળે તોય ભૂખ્યા રહી તપોવૃદ્ધિ માને; પણ દોષિત કે અભિગ્રહોલંઘનથી પ્રાપ્ત આહાર-પાણીની ઈચ્છા ય ન કરે. 'નિહાર' અર્થાત મલોત્સર્ગ માટે જાય, ત્યાં પણ તદ્દન નિર્જીવ જગા-સ્પંડિલ શોધે, લોકના આલોક-સંપાત (દષ્ટિ-ગમનાગમન) વગેરે દોષો વિનાની શોધે. કદાચ છ મહિના સુધી એવી નિર્જીવ નિર્દોષ જગા ન મળે તો પણ સંજ્ઞાને અટકાવી શકવાની તાકાતવાળા હોય છે. વિહાર ત્રીજા પહોરમાં જ કરે. ચોથા પહોરમાં પાછા સ્વાધ્યાયધ્યાનમાં લાગી જાય. રાત્રિ પણ એવા સ્વાધ્યાય ધ્યાનથી વીતાવે કે એના ચોકસ પ્રમાણથી સમય કેટલો વીત્યો હોય એનો પણ ખ્યાલ રહે. એમાં કોઈ દેવતા ઠગવા આવે અને રાતમાં જ પ્રભાત અજવાળું દેખાડી દે છતાં આ વચનાનુષ્ઠાન યોગવાળા મહાત્મા જરાય ઠગાય નહિ. એ તો બરાબર સાવધાન હોય, જાણતા હોય કે હજી રાત્રિ આટલી બાકી છે. તેથી પોતાની સાધનામાં સ્થિર રહે, ચલિત ન થાય.
આવી જાગૃતિવાળો યોગ એ ઊંચો રાજયોગ છે. પ્રીતિભક્તિ અનુષ્ટાન એ પણ યોગ છે. રાજયોગ છે, પણ એનાથી નીચેની કક્ષાનો.
મોક્ષની સાથે આત્માને યોજી આપવામાં સાધન ભૂત હોય તેનું નામ “યોગ', રાજયોગ.” એમ તો કહેવાતા યોગીઓ જમીનમાં દટાઈ સમાધિ લે છે, પણ એ ‘હયોગ છે. મન પર હઠબળ વાપરીને આસન-પ્રાણાયામના નિયમનો અભ્યાસ કરાય એ હઠયોગ છે. હઠ કરીને એનો સમય અને સ્થિરતા વધારતાં વધારતાં ‘સમાધિ” સુધી પહોંચી શકાય. આ સમાધિમાં શ્વાસ તદ્દન રોકી દેવામાં આવે છે, પણ તે બાહ્ય હોં. સૂક્ષ્મ શ્વાસોચ્છવાસ તો ચાલુ જ હોય છે, એ અટકી શકે નહિ. કેમકે જીવનો એ પ્રાણ છે. ઈલેકટ્રિકના સળગતા ગોળામાં અગ્નિકાય જીવન અને પાણીમાં રહેલી માછલી કે પર્વતના પત્થરનાં ઉંડાણમાં રહેલા પૃથ્વીકાય જીવને પણ આ પ્રાણભૂત શ્વાસ ચાલુ હોય છે. એટલે જમીનમાં દટાયેલ હઠયોગીઓને સમાધિમાં પણ એ અટકે નહિ. અહિ પૂછો, પ્ર.- તેમ છતાં એમને બાહ્ય શ્વાસોચ્છવાસ વિના કેમ ચાલે ?
ઉ- અભ્યાસથી આપણે ન ધારીએ એવું પણ સાધ્ય છે. બોલો મોટી તગડી ભેંસ ઉચકીને એકલો માણસ નીચેથી ત્રીજે માળ અગાશી પર ચડાવી શકે ? ધારણાની બહારની આ વસ્તુ લાગે છે ને ? પણ જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org