________________
યોગ ૪ પ્રકારે
૨૯
ધર્મ પર નિસ્વાર્થ પ્રીતિ ભક્તિ હૈયામાં ઉછળતી કરવી પડે; અને એથી જ પ્રેરાયા કોઈ સુકૃત કે ધર્મસાધના થાય.
હાથીની દયાનું પ્રીતિ-અનુષ્ઠાન :
શાલિભદ્ર, કુમારપાળ, મેઘકુમાર વગેરેએ પૂર્વભવે આવું પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન કરેલું, તેથી એના પ્રતાપે એ અહીં મહાન આરાધક બની ગયા. હાથીએ સસલાની દયા કરી, તે શું સમજીને કરી ? ત્યાં ટોળે મળેલા પશુઓમાં શાબાશી લેવા નહિ કે કોઈ પુણ્યનો લોચો લેવા માટે નહિ; પરંતુ દયાધર્મના પ્રેમથી દયા કરી. માટે એ ઊંચો મેઘકુમારનો અવતાર પામ્યો.
ભરવાડના છોકરાએ સાધુ પર એક મહાત્મા તરીકેના ભાવથી પ્રીતિ-ભક્તિ કરી, ખાનપાન કરતાં દાન પર પ્રેમ કર્યો ને દાન દીધું તો એ જીવ બીજા ભવે શાલિભદ્ર થયો.
પાપી લુંટારા બનેલા રખડતા રાજકુમારે સાધુથી પલ્ટો પામી દેવાધિદેવ અરિહંત પર શુદ્ધ નિ:સ્વાર્થ પ્રેમ ધર્યો. એમની પોતાના દ્રવ્યથી કરાતી પૂજા ઉપર પ્રીતિભકિત ઉભરાવી, અને પાંચ કોડીના ૧૮ ફૂલથી પૂજા કરી, તો એ પછીના ભવે ૧૮ દેશના સમ્રાટ કુમારપાળ થયા, અને ત્યાં અધિક પ્રીતિભક્તિના સુકૃતોએ ગણધર બનવાનું પુણ્ય ઉપા.
વચનાનુષ્ઠાન કેમ પ્રગટે ?
પ્રીતિ ભક્તિ અનુષ્ઠાન બહુ અને બહુમાન કરતાં કરતાં એવું સામર્થ્ય પ્રગટે છે કે પછી એના આધારે પોતાની બધી ખોડખાંપણ દૂર કરી ધર્મસાધના બરાબર શાસ્ત્ર કહેલ વિધિ મુજબ થાય, આને વચનાનુષ્ઠાન કહે છે. એમાં જિનાજ્ઞાપાલન પર ભારે મદાર હોય. પ્રમાદ ટાળીને સર્વજ્ઞના શાસ્ત્ર જેવી જેવી રીતે જે જે સાધના કરવાની કહે છે, તે તે રીતે જ તે તે સાધના કરાય એ વચનયોગ છે. એ રીતમાં શું શું આવે? સાધનાનો યોગ્ય કાળ, સાધનાને યોગ્ય મુદ્રા, આસન, સાધનાનાં સાધન-ઉપકરણનિમિત્ત વગેરે બધુ બરાબર શાસ્ત્ર કહ્યા મુજબ મેળવવા-સાચવવાનું આવે, એકમાં ય જરા પણ ખોડખાંપણ નહિ, એવી વિશુદ્ધ અણીશુદ્ધ સાધના એ વચનાનુષ્ઠાન. વચનાનુષ્ઠાનની સાધના કોણ કરી શકે, અને એ કેવી હોય ? જવલંત પ્રીતિભક્તિનાં અનુષ્ઠાન શક્ય એટલો પ્રમાદ-અવિધિ-અતિચાર, બિનકાળજી-બિનજાગૃતિ વગેરે ટાળીને ભારે વીર્યોલ્લાસ સાથે ખૂબ ખૂબ આરાધવામાં હોંશીલા અને દત્તચિત્ત હોય, એનો સતત અને સાદર ભારે અભ્યાસ રાખ્યો હોય, એવા પવિત્ર ગુણસમૃદ્ધ મહાત્માઓ જ વચનાનુષ્ઠાનના આરાધક બની શકે. જિનકલ્પી, પડિમાધારી, એકાકીવિહારી મહર્ષિઓ આ યોગ સાધે છે. સવારે બે પહોર સ્વાધ્યાય-ધ્યાન પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org