________________
ધ્યાન અને જીવન
૨૮
માત્ર એક સાધન તરીકે એમના પર પ્રીતિ-ભક્તિ ધરી છે. તો જેવી રીતે કોઈ ઓફિસર પાસેથી કોઈ પરિમટ વગેરેનું કામ કઢાવી લેવું હોય એટલા માટે એના પર પ્રીતિ ધરે, અને લાંચ-રુશ્વત વગેરેથી એની ભક્તિ કરે, એ કાંઈ ઓફિસર પર ખરેખરી નિઃસ્વાર્થ પ્રીતિ ભક્તિ નથી. એવી રીતે અહીં પણ પૌદ્ગલિક લાલચથી દેવ-ગુરુધર્મ પર કરાતો પ્રેમ અને ભક્તિ એ દેવ-ગુરુ-ધર્મ પર ખરેખરી પ્રીતિ-ભક્તિ નથી. એ તો નિઃસ્વાર્થભાવે થાય ત્યારે સાચી પ્રીતિ ભક્તિ થાય.
મનને એમ થાય કે, ‘અહો !
આ દેવ ગુરુ ધર્મ મારા કેવા મહાન ઉપકારી છે કે એમના પ્રભાવે હું આટલા ઊંચા માનવ ભવના થાળા સુધી આવી પહોંચ્યો અને ઉત્તમ ધર્મશાસન પામ્યો ! વળી એ કેવા મહા ગુણિયલ કે ગુણ પામવા માટેનું મને એ મહાન આલંબન મળ્યું ! ગુણ અને ઉપકારની દૃષ્ટિએ જગતમાં એમનો જોટો ન મળે. આત્મોત્થાન માટે આમના જેવું કોઈ આલંબન ન મળે. આમ વિચારીને એમના ઉપર દિલ ઓવારી જાય તથા એમની પ્રત્યે ભારે અનન્ય પૂજ્યભાવ ઊભો થાય તો એમના પર સાચી પ્રીતિ ભક્તિ જાગી કહેવાય. ત્યારે,
તુચ્છ લાલચથી દેવ-ગુરૂ ધર્મનું મૂલ્ય આંકવું એ મૂર્ખતા છે :
પૌદ્ગલિક સુખ સગવડ કે માન સન્માન તો તુચ્છ વસ્તુ છે, ક્ષણિક છે. એના આધારે દેવ-ગુરુ-ધર્મનું મૂલ્યાંકન કરવું, એ મૂર્ખતા છે. કોઈ ભિખારી માણસ ચક્રવર્તીની સેવામાં લાગી જાય અને ચક્રવર્તી પાસેથી એને અનન્ય ભોજન મળે કે એના ચાર અમલદારો એને સારો કહે એટલા માત્રથી જો એ ચક્રવર્તીનું મહત્ત્વ આંકે તો શું એ મૂર્ખ નથી ? સેવા ચક્રવર્તીની અને ફળમાં સારુ ભોજન ? શું એ ચક્રવર્તીનું મહત્ત્વ છે ? એમ ધર્મચક્રવર્તી દેવાધિદેવ અને ધર્મમૂર્તિ ગુરુની સેવામાં તુચ્છ દુન્યવી લાભ મળે એ શું એમનું મહત્ત્વ છે ? એનાથી રીઝવું અને સંતોષ માનવો એ તો મૂર્ખતા છે. બુદ્ધિ-અક્કલ-હોશિયારી તો ત્યાં કે જ્યાં દેવ-ગુરુની મહત્તા અંકાય, તે ભાવી અનંત કાળને ઉજ્જવળ કરનારાં આત્મહિતના દાતાર તરીકે અંકાય. ગુણ અને ઉપકારની લુબ્ધતાઓ શુદ્ધપ્રીતિ-ભકિત :
વળી મનને એમ સચોટ લાગે કે ‘જીવનમાં ખરેખરો પ્રેમ અને ભક્તિ ધરવા જેવી હોય તો તે પરમ ગુણિયલ અને પરમ ઉપકારી ઉપર જ ધરવા યોગ્ય છે.’ એમ ગુણ અને ઉપકારની લુબ્ધતાએ એમના પર પ્રેમ ઊભરાય, ભક્તિ ઊભરાય, સાચી દિલની પ્રીતિ ભકિત ઊભરાય, એ સાચી પ્રીતિ-ભક્તિ કહેવાય, શુદ્ધ પ્રીતિ-ભકિત કહેવાય. એવી શુદ્ધ પ્રીતિ-ભક્તિ દ્વારા દેવ-ગુરુ ધર્મની નાની કે મોટી ઉપાસના થાય એ પ્રીતિઅનુષ્ઠાન છે, ભક્તિ-અનુષ્ઠાન છે. આ પ્રાથમિક ધર્મયોગ છે. આ ઉપરથી સમજાશે કે ધર્મયોગમાં પ્રવેશ મેળવવા માટે પણ દુન્યવી સ્વાર્થ માયા વોસિરાવી દેવ-ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org