SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ ૪ પ્રકારે ૨૭ ) પ્રીતિ અને ભક્તિ કોના તરફ? એ સાધના તરફ, સાધનાને કહેનારા- કરાવનારા દેવ ગુરુ તરફ.'પ્રીતિ” એટલે હૃદયનો અનહદ પ્રેમ, અનુરાગ, સમતા. ‘ભક્તિ” એટલે પ્રેમની ઉપરાંત બહુમાન-આદર-પૂજ્યભાવ. શાસ્ત્ર આ પ્રીતિ-ભક્તિ સમજાવવા માટે પત્ની અને માતાનો દાખલો આપે છે. પ્રીતિ-ભક્તિમાં પત્ની-માતાનું દટાંન્ત :નવજુવાન માણસ સુખી ઘરની સારી સુશીલ-સદ્ગણી રૂપાળી કન્યા પરણ્યો. તો એના પર એને કેટલો બધો અનહદ પ્રેમ રહે છે? મનને થાય છે કે સુંદર પાત્ર મળ્યું, સારી જીવનસાથી મળી, દિલને વિશ્રાંતિસ્થાન મળ્યું. એ શાન્તિ આપશે, સુખ આપશે. મારા પર બહુ મમતાવાળી...' એમ એના પર હૈયે પ્રેમ ઊભરાય છે. પછી એનાં કાર્ય પ્રેમથી હોંશે હોંશે કરે છે. વળી જો માતા પર પણ અથાગ રાગ છે, તો એને ઉપકારી પૂજ્ય વહાલસોયી માની એ માતા ઉપર બહુમાનભરી પ્રીતિ રહે છે. એ “ભક્તિ છે. ભક્તિથી માતાનાં કામ, માતાની સેવા પત્ની કરતાં પણ વિશેષ આદરથી કરે છે, સવાયી ચીજવસ્તુથી કરે છે. સવાર પડે કે માતાના પગમાં માથું ઢાળે છે, બહાર જતાં માતાની આજ્ઞા લઈને નીકળે છે. બજારમાંથી ચીજવસ્તુ કપડું વગેરે લાવે એ પત્ની કરતાં સવાયું લાવે, પત્નીનું ય સાચવે સારું, પણ વાત-વાતમાં પત્નીના કરતાં માતાનું સવાયું સાચવે. આ ભક્તિ છે. બસ, દેવ અને ગુરુ પ્રત્યે હૈયે એવી પ્રીતિ-ભક્તિ ઉછળે અને એમનાં કામ થાય, એમની સેવા-આરાધના થાય, એ પ્રીતિયોગ, ભક્તિયોગ છે. ધર્મસાધના હૈયાના શુદ્ધ પ્રેમથી થાય, ઉપરાંત ભક્તિથી થાય, એ પ્રીતિયોગ-ભક્તિયોગ. મનને એમ થાય કે ‘શી વાત મારી ધર્મસાધના !' હાથમાં નવકારવાળી લીધી ત્યાં હૃદયમાં એ ગાગવા પર ‘શી વાત ! આવી સુંદર તારણહાર સાધના મારા હાથમાં આવી ?' એમ પ્રીતિભક્તિના જુવાળ ચડે. એકેક પારા પરનો જાપ કરતાં કરતાં જીવન ધન્ય લાગે, દિલની બહુ ભક્તિ-બહુમાનભરી હોંશથી થાય, એમ દેવદર્શન પૂજાદિ આરાધના થાય એ પણ પ્રીતિ-ભક્તિભર્યા દિલથી થાય. પ્રીતિના જુવાળ ચડે, ભક્તિની ભરતી ચડે. પ્રીત-ભકિત ખરેખરી ક્યારે ? તુચ્છ લાલચમાં નહિ : અહીં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે દેવ ગુરુ અને ધર્મ ઉપર જે પ્રીતિ અને ભક્તિથી પ્રેરાયા સાધના કરવાની છે, તે સોદારૂપે નહિ. ધર્મસાધના-ધર્મઆચાર એવું તો સારો પૌલિક લાભ મળે, બહાર નામના થાય, ગુરુને અને બીજાને વહાલો લાગું, સારો લાગું.' આવા કોઈ ઉદ્દેશથી દેવ-ગુરુ-ધર્મસેવન પર પ્રેમ થાય ભક્તિ ઉભરાય એ ખરેખર પ્રીતિ-ભક્તિ નથી. એ તો વસ્તુતઃ પૌલિક વસ્તુ ઉપરની પ્રીતિ-ભક્તિ છે. દેવગુરુ ધર્મને તો ત્યાં માત્ર વટાવવા માટે પકડ્યા છે. પેલા લાભના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy