________________
( ૨૪ )
ધ્યાન અને જીવન માટે અત્યારે પણ નહિ આવી શક્યા હોય. તો લાવ એમની ખબર કાઢવા જઉં, આ સહાનુભૂતિને બદલે ઉલટું એ સાધુની હલકાઈ-અવિનય કરતા રહ્યા. તેથી હવે અભિમાન અને આર્તધ્યાનમાં ચડી ગયા કે લાવ ત્યારે એ ન આવ્યા, તો હું જ સામે જઉં.” આ ય અભિમાન છે હોં, કે લાવ એમને બતાવું કે તમે ભલે ઊંચા અને હું નીચો,’ પોતાની લઘુતા બતાવવાની ચોંટ પણ અભિમાનના ઘરની છે.
લઘુતા રાખવી જુદી, અને લઘુતાની શાબાશી મેળવવા મથવું એ જુદું, આમાં તો અભિમાન પોષાય છે, ત્યારે લઘુતા રાખવામાં અભિમાન તૂટે છે.
શીતલાચાર્ય ચાલ્યા ભાણેજ મુનિઓ પાસે. કેમ ? સાધુનો વિનય બજાવવા નહિ, પરંતુ એમની હલકાઈ ચિંતવી પોતાની લઘુતા બતાવી આપવાના ચડસમાં. તે એમાં જાતના અભિમાનમાં ચડ્યા અને સાધુની હલકાઇ ચિંતવતાં, સાધુ પ્રત્યેના અવિન્યમાં પડ્યા. ત્યાં પછી આર્તધ્યાનના જ વિચાર કરતા ચાલે એ સહજ છે. અવિનયની કેવી ચડાઈ છે ?
ભાણેજ મુનિઓની ભાવના :
ત્યારે હવે ભાણેજ મુનિઓ, જુઓ, કેવા વિનયને સાધતાં કેટલા ઊંચે ચડી ગયા છે ! મુનિઓ સાંજ પડી જવાથી બહાર રોકાયા, પ્રતિક્રમણાદિ આવશ્યક કરી લીધું. પછી મનમાં ભાવના કરે છે કે “અહો ! આપણે મોડા પડ્યા અને થોડા માટે આચાર્ય મહારાજને વંદન કરવાના લાભથી વંચિત રહી ગયા ! આચાર્ય ભગવાન કેવા ગુણગુણના ભંડાર ! કેવા ઉત્તમ પુરુષ ! ક્યારે હવે સવાર પડે ને એમની પાસે પહોંચી જઈ એમનાં પરમ પવિત્ર ચરણકમળે ઝૂકી પડીએ ! શું કરી રહ્યા છે આ ? વિનય ધર્મને બજાવી રહ્યા છે. કેમકે,
પૂજ્યની વિશેષતા ચિંતવવી, ગુણિયલના ગુણ ચિંતવવા, ઉપકારીનો ઉપકાર મનમાં લાવવો, એ એમના પ્રત્યેનો વિનયભાવ છે.
એમ, એમને વંદના કરવાની આતુરતા સેવવી, એમની સેવા-ઉપાસના કરવાની ઝંખના આતુરતા સેવવી એ પણ વિનય છે.
અવિનયમાં આર્તધ્યાન છે, વિનયમાં ધર્મધ્યાન છે. કઈ ભાવનાએ અનાસંગયોગ ? :| વિનયભાવમાં આગળ વધતાં આવડે, તો એ શુભધ્યાન વધતું ચાલે. ભાણેજ મુનિઓ એ કરી રહ્યા છે. એ ભાવે છે કે “વાહ! સવારે ઉપકારી પૂજ્ય અને ગુણમૂર્તિ આચાર્ય ભગવાનને વંદના કરવાનો અને એમની સેવા શુશ્રુષા કરવાનો કેવો ઉત્તમ લાભ મળશે ! ત્યારે જીવનમાં આનાથી વધીને કયું બીજું ઉત્તમ કાર્ય છે ?
આત્મામાં પેધી ગયેલા જટિલ દોષો ગુણિયલના ગુણગાન કરવાથી, એમનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org