SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ || આભ્યત્તર તપ ૨ વિનય ૨૩ પ્રી- મોટાને વળી વિનય શો? ઉ૦- ભૂલશો નહિ, આ તો જૈનશાસનની વાતો છે. એ કહે છે વિનય અરિહંતસિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ એ પાંચે પરમેષ્ઠીનો કરવાનો. એમાં સાધુ પ્રત્યે વિનય આ, કે સાધુ માટે હલકું ન ચિંતવીએ. શીતલાચાર્યે ભાણેજ મુનિઓના પોતાની પાસે ન આવી જવા પર એમ ચિંતવવું જોઈતું હતું કે “એ સાધુ છે, એટલે આમ તો સાધુધર્મના બધા અંગ બજાવે જ, ને એકેય અંગનું ઉલ્લંઘન ન કરે; કિન્તુ અહીં મારી પાસે સીધા આવી જવાનું અંગ ન બજાવ્યું, એની પાછળ કોઈ કારણ હશે. સંભવ છે કે મોડા પડ્યા હોય, યા કોઈ કાંટો વાગવો યા અપશુકન નડ્યા, કે કોઈ તકલીફ ઊભી થવી, વગેરે કારણ બન્યું હોય તેથી ત્યાં અટકી ગયા હોય.’ આવું ચિંતવતાં સાધુને સાધુ તરીકે ગૌરવ આપવું જોઈતું હતું, પરંતુ એમને એ ન સૂઝયું તે હલકું ચિંતવવા બેઠા કે “ભાણેજ મુનિઓ અભિમાનમાં ચડ્યા છે, માનાકાંક્ષામાં પડ્યા છે, તે સીધેસીધા અહીં આવી જવાને બદલે ત્યાં ઠહેરી ગયા.’ આમ સાધુ વિનય ચૂક્યાં તો રાતભર આર્તધ્યાનમાં સબડ્યા. ત્યારે આર્તધ્યાન હોય ત્યાં પછી શુભ ધર્મધ્યાન ક્યાંથી લાધે ? શાનું ઊભું રહે ? ભલે ને પ્રતિક્રમણ થાય, સ્વાધ્યાય જાપ થાય, પણ દિલમાં આર્તધ્યાનની પીડાએ ધર્મધ્યાનના ફાંફા ! સારું ધ્યાન ધરવું છે? તો પહેલાં આર્તધ્યાનને અટકાવો. એ માટે આર્તધ્યાનનાં કારણને રોકો. આર્તધ્યાનનું કારણ છે કે કોઈ પૌદ્ગલિક ઈષ્ટની લગની છે, યા કોઈ પૌદ્ગલિક અનિષ્ટ તરફ ઈતરાજી છે, યા રોગપીડા-વેદનામાં કાયરતા છે, જો આમાંનું કોઈ કારણ ભભુતું રહ્યું તો સમજી રાખો કે આર્તધ્યાન મનને પકડવાનું. પછી ક્રિયા કોઈ શુભ ચાલવા છતાં શુભ ધ્યાનનો ફટાટોપ લઈ બેસવા છતાં શુભ ધ્યાન ન ચાલી શકે. સારું ધ્યાન ધરવું સહેલું નથી. અશુભ ધ્યાનનાં કારણોને પહેલાં મિટાવવા પડે. શીતલાચાર્ય એક મહાન આચાર્ય હતા, આરાધનામાં તત્પર હતા, પરંતુ એમને ઈષ્ટ માનની આકાંક્ષા જાગી કે નાના ભાણેજ મુનિઓએ અહીં સીધેસીધા આવી મને વંદના કરવી જોઈએ, મારું એમણે ગૌરવ કરવું જોઈએ.’ એ ન થવા પર એ ભાણેજ-મુનિઓની હલકાઈ વિચારવા બેઠા, સાધુ પ્રત્યેનો વિત્ય ગુમાવ્યો, અને આર્તધ્યાનમાં પડ્યા, રાતભર આર્તધ્યાનમાં સબડ્યા. સહાનુભૂતિ ભૂલો તો ય આર્તધ્યાન :પછી સવાર પડી ગઈ છતાં ય ભાણેજ મુનિઓ નહી આવ્યા એટલે પાણી આચાર્ય મહારાજે એવા સાધુ વિનય સહાનુભૂતિ તરફ લક્ષ ન આપ્યું કે કોઈ તકલીફમાં હશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy