SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૨૨ એમની જોડે જાય છે એટલે ચાલશે,' એમ ગુરુનું માન વધારવા તરફ પોતે બેપરવા રહેવું એમાં અવિનય છે, ઉદ્ધતાઈ છે, સ્વાર્થાંધતા છે. (૫) એવી રીતે પ્રસંગે જશ ગુરુને અપાવવો એ ગુરુવિનય છે. ત્યારે એમને યશ અપાવવાને બદલે પોતે ખાટી લેવો, માન પોતે લઈ લેવું, ગુરુ કરતાં પોતાની જાતને વધુ પ્રમાણભૂત બતાવવી... ઈત્યાદિ ઈત્યાદિ પણ ગુરુ પ્રત્યે અવિનય, ઉદ્ધતાઈ છે. એટલે ગુરુને માત્ર હાથ જોડ્યા, ગુરુ આવ્યા ત્યારે ઊભા થયા, કે ગુરુએ કાંઈ કહ્યું તે કરી લીધું, એટલો જ વિનય નથી. વિનયમાં આ બધું આવે,- ગુરુને પ્રમાણ ઠરાવવા, ગુરુનું માન વધારવું, ગુરુને યશ અપાવવો, પોતાના કરતાં ગુરુની ઉચ્ચતા મહાનતા ઠરાવવી,... વગેરે. ગુરુને કહેવું પડે ને આપણે કરીએ એમ નહિ, કિન્તુ અવસર ઓળખીને, ગુરુની ચેષ્ટા મુખાકૃતિ વગેરે પરથી એમની ઇચ્છા જાણીને આપણે યોગ્ય કરી લઈએ,... વગેરે વગેરે એ વિનય છે. ગૌતમગણધર મહારાજે આ વિનયધર્મને એવો આરાધ્યો કે ગુરુથી પોતે હંમેશા નીચે રહેવાના પ્રયત્ને એમનાં કર્મોનો ક્ષય કરી એમને ગુરુની હારોહાર મૂકી દીધા. વિનયમાં આર્તધ્યાનથી બચાવ : વિનય એ મહાન આભ્યન્તર તપધર્મ છે. એ બજાવતા રહેવામાં એક મહાન લાભ આ, કે માન યા લોભ કષાય અને ફોગટિયા આર્તધ્યાનથી બચી જવાય છે. જો ઉચિત અવસરે વિનય ચૂકે તો માન-લોભમાં ને આર્તધ્યાનમાં પડવાનું થાય. કહો જો વિનય ક્યારે ચૂકે ? મનમાં એમ લાવે કે ‘હું તે ક્યાં વારે વારે ગુરુનું જોતો બેસું ?’ આમાં માનકષાય આવ્યો. અથવા ‘મારે મારું કામ છે’ એમ મનમાં આવે, ત્યાં લોભકષાય આવ્યો. ત્યાં રાગ-દ્વેષ આવ્યા એટલે પાછળ આર્તધ્યાન લાગતાં શી વાર ? શીતલાચાર્યનું દૃષ્ટાન્ત શાસ્ત્રમાં શીતલાચાર્યનું દૃષ્ટાન્ત આવે છે. એ મહાન આચાર્ય હતા, જંઘાબળ ક્ષીણ થઈ જવાથી એક સ્થાને આરાધના કરતા રહ્યા હતા. એક વાર એમના ચાર ભાણેજ મુનિઓ બહારગામથી એમને વંદન કરવા અર્થે આવી રહ્યા છે. આવતાં દિવસ આથમી ગયો એટલે ગામના નાકે ધર્મશાળામાં રાત રહી ગયા. આચાર્યને કેમ આર્તધ્યાન ? : અહીં ગામમાં રહેલા શીતલાચાર્યને ખબર પડી કે ભાણેજ મુનિઓ આવીને રહ્યા છે. એમના મનને એમ થયું કે ‘અરે ! ભાણેજ મુનિઓ અહીં આવવાને બદલે ત્યાં રહી ગયા ? ત્યારે શું એમને મારા તરફથી આવકાર-સ્વાગત જોઇએ છે તેથી ત્યાં રહી ગયાં ? હું સામે લેવા જઉં તો જ એ આવે ? કેવા એ મુનિઓ ? આચાર્ય ચડ્યા આર્ત-ધ્યાનમાં. કેમ ? વિનય ભૂલ્યા માટે. અહીં પૂછો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy