________________
આભ્યન્તર તપ ૨ વિનય
( ૨૧ )
૪. ગુણિયલના ગુણનો અનુરાગ એ શુભ ભાવ, ૫. કર્મક્ષયની ઇચ્છાનો શુભ ભાવ, ૬. ધર્મનું મૂળ વિનય,’ માટે બીજા ધર્મ લાવવાનો શુભ ભાવ. -આવા શુભ ભાવના ખજાનાભૂત વિનય-ઘર્મથી લખલૂટ કર્મક્ષયનો લાભ મળે; અને એના પર અનેક ગુણોની અનેક ધર્મની પ્રાપ્તિ થાય. ગૌતમસ્વામીનો વિનય :
ગૌતમસ્વામી ગણધર મહારાજે ગુરુ મહાવીર-સ્વામી પ્રત્યે વિનયધર્મ એવો બજાવ્યો, એવો બજાવ્યો, કે એમાં એ અંતે કેવળજ્ઞાન પામી ગયા, વીતરાગ સર્વજ્ઞ બની ગયા. શાસ્ત્રમાં આવે છે'भद्दो विणीयविणओ पढमगणहरो समत्तसुयनाणी । जाणतो वि तमत्थं विम्हियहियओ सुणइ सव्वं ॥
શ્રી ગૌતમસ્વામી પહેલા ગણધર હતા, કલ્યાણમૂર્તિ હતા, સમસ્ત શ્રુતજ્ઞાનના પારગામી હતા, છતાં વિનયગુણમાં એવા પાવરધા હતા કે પોતે પ્રભુને જે પૂછવું છે એનો ઉત્તર સ્વયં જાણતા હતા છતાં પ્રભુને એ વિસ્મયભર્યા હદયે પૂછે છે, આશ્ચર્ય આતુરતાભર્યા દિલથી પૂછે છે કે હે ભગવાન ! આનું કેમ હશે ?' પ્ર- જાણવા છતાં પૂછે એમાં વિનય શો ? ઉ૦- વિનય આ, કે હું જાણું છું એ મારા ગુરુ પાસેથી નક્કી કરી લેવા દે કે એ બરાબર છે ને ?' આમ ગુરુને Authority પ્રમાણ તરીકે સ્થાપવા એ એમનો વિનય કર્યો ગણાય. પોતાની જાણકારી ગુરુની જાણકારી કરતાં નીચી માનવી એ નમ્રતા કહેવાય, અને ગુરુની જાણકારી ઊંચી બતાવવી એ ગુરુનો વિનય કર્યો ગણાય. એથી પોતાના શિષ્યો એમ માને કે “અમારા ગુરુ ગૌતમસ્વામી જે ભણાવે છે એના પર પ્રભુ મહોરછાપ મારી આપે છે, માટે એ બરાબર છે,' આમ શિષ્યોના મન પર ગુરુ પ્રભુની મહોરછા૫ લાવવી, પ્રભુ પ્રત્યે ભાવ વધારી આપવો, એ પોતે ગુરુ પ્રભુનો વિનય કર્યો ગણાય.
ગુરુવિનયમાં શું શું આવે? - તાત્પર્ય, (૧) ગુરુને પ્રમાણભૂત ઠરાવવા, (૨) ગુરુને પોતાના કરતાં ઊંચા જાણકાર બતાવવા, તેમજ (૩) ગુરુનું માન વધારવું, ગુરુને યશ ફેલાવવો,... એ બધું ગુરુવિનય છે.
(૪) ગુરુ બહાર જાય છે, તો ગુરુની સાથે જવું એમાં ગુરુનું માન વધે છે; એ વધારવામાં ગુરુવિનય સચવાય છે. “ના, ગુરુ ભલે એકલા જઈ આવશે, યા એક શિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org