________________
૨૦
‘અજ્ઞાની કોડો વરસે કર્મ ખપાવે જેહ; જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મ ખપાવે તેહ.'
શાથી ? એટલા જ માટે કે જ્ઞાનીના ઊંચા નિર્મળ ભાવમાં આ તાકાત છે કે એ લખલૂટ કર્મક્ષય કરી નાખે. એમ કરતાં કરતાં એક ભવ એવો આવી લાગે છે કે જ્યાંના અપૂર્વ નિર્મળ ભાવમાં નવાં કર્મ બાંધવાના થોડાં, અને જૂનાં ખપાવવાના અપરંપાર ચાલુ. એમ કરતાં કરતાં સર્વઘાતી કર્મના ક્ષયે કેવળજ્ઞાન, અને પછી સમસ્ત અઘાતી કર્મોના ક્ષયથી મોક્ષ નીપજે છે. નિર્મળ ભાવથી કર્મક્ષય પણ થતો હોય તો જ આ બની શકે.
સારાંશ, શુભ ભાવથી જેમ શુભ કર્મ બંધાય, તેમ પૂર્વ પાપ કર્મોનો ક્ષય પણ
થાય.
એટલે જ ભાવ નિર્મળ કરવામાં ૩ લાભ;
૧. અશુભ કર્મબંધની અટકાયત,
૨. શુભ કર્મનું ઉપાર્જન, અને
૩. પૂર્વે બાંધેલા પાપકર્મોનો ક્ષય.
શુભ ભાવના આ ત્રણ કાર્ય થવામાં કારણભૂત એમાં રહેલાં ત્રણ અંશ છે, ૧. સંવર-અંશથી નવાં અશુભ કર્મોની અટકાયત; ૨. શુભ આશ્રવઅંશથી નવાં શુભ કર્મોનો બંધ, અને ૩. નિર્જરાઅંશથી જૂનાં પાપકર્મોનો ધ્વંસ થાય.
ધ્યાન અને જીવન
એટલે દેવ-ગુરુ-શાસ્ત્ર-મંદિર-જ્ઞાન વગેરેનો વિનય કરવામાં તો શુભ ભાવથી લખલૂટ કર્મક્ષય છે જ, પરંતુ માતા-પિતાનો વિનય કરે તે (૧) એમના ભયથી નહિ કે ‘વિનય નહિ કરું તો મને એ લડશે,' અથવા (૨) લાલચથી નહિ કે વિનય કરવામાં એ ખૂશ રહી મને સારું સારું આપશે, સારો રાખશે, કિન્તુ વિનય કરે તે એમ સમજીને કે જ્ઞાનીની આજ્ઞા છે, જિનેશ્વરદેવની આજ્ઞા છે કે ગુરુજણપૂજા કરવી જ જોઈએ, વડિલ જનોનો વિનય વગેરે ભક્તિ કરવી જ જોઈએ, -આ જિનાજ્ઞાપાલનનું કર્તવ્ય સમજીને વિનય કરે એમાં પણ સુંદર શુભ ભાવ છે, અને એથી પણ કર્મક્ષય થાય. એટલે વિનય લોકમાન્ય હોવાથી લૌકિક ધર્મ છતાં લોકોત્તર જિનશાસનથી પણ માન્ય છે જ. ત્યારે જુઓ કે એક ‘વિનય’ નામના આભ્યન્તર તપમાં કેવા કેવા શુભ ભાવ સમાય છે,
વિનયમાં શુભ ભાવો કયા કયા ? :૧. જિનાજ્ઞાપાલનનો બુદ્ધિનો શુભ ભાવ, ૨. નમ્રતાનો શુભ ભાવ,
૩. ઉપકારીના ઉપકાર પ્રત્યે કૃતજ્ઞભાવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org