SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) ધ્યાન અને જીવન કર્મને બન્ધ, સંવરથી પાપકર્મનો નિરોધ અને નિર્જરાથી કર્મક્ષય. વિનય એ ધર્મસાધના છે, તેથી એનાથી કર્મક્ષયનો પણ લાભ મળે. અહીં એક પ્રશ્ન થાય, વિનયમાં કર્મક્ષય કેવી રીતે ? : પ્ર-બાહ્ય તપમાં પ્રતિકૂળ સહન કરે એથી તો કર્મક્ષય થાય; કેમકે એક સામાન્ય નિયમ છે કે અનુકૂળ ભોગવવામાં પુણ્ય ખપતું આવે, અને પ્રતિકૂળ ભોગવવામાં પાપ ખપતું જાય. આમ પ્રતિકૂળ સહતાં બાહ્ય તપથી તો કર્મક્ષય થાય. પરંતુ વિનયાદિ આભ્યતર તપથી કર્મક્ષય કેવી રીતે ? ઉ૦- જેવો આ નિયમ, કે “અનુકૂળ ભોગવતાં પુણ્યક્ષય, અને પ્રતિકૂળ ભોગવતાં પાપક્ષય,” એમ “મલિન અધ્યવસાયે કર્મબંધ થાય, અને વિશુદ્ધ અધ્યયસાયે કર્મક્ષય થાય; આ પણ નિયમ છે. તદ્દન સીધી સાદી વાત છે કે જે ભાવથી કર્મ બંધાય, એનાથી વિપરીત ભાવ સેવો તો કર્મ તૂટે. ઠંડી ભેજવાળી હવાથી શરદી લાગે છે, તો ગરમ સૂકી હવાએ શરદી તૂટે છે. એમ હિંસાના ભાવથી કર્મ બંધાય, તો દયા-અહિંસાના ભાવથી કર્મ તૂટે એમાં શી નવાઈ ? અવિનય ઉદ્ધતાઈ વગેરેમાં માનકષાય પોષાય છે, એથી કર્મબંધ થાય; તો પછી વિનય-નમ્રતા એ એનાથી વિપરીત શુભ ભાવ હોઈ એના દ્વારા કર્મક્ષય થાય એ સહજ છે. ત્યારે પૂછો, શુભાશુભ ભાવથી બંધ જ કેમ કહ્યો ? પ્ર૦-જં જે સમયે જીવો...” એ ઉપદેશમાળા' ની ગાથામાં તો શુભાશુભ ભાવથી શુભાશુભ કર્મ બંધાવાનું કહ્યું છે. એથી શુભ ભાવે શુભકર્મ બંધાવાની વાત આવી, પાગ કર્મક્ષય થવાની વાત ક્યાં છે ? ઉ૦- વાત સાચી, કિન્તુ અહીં સમજવાનું છે કે આ જે એકલા બંધનું કહ્યું તે શુભાશુભ ભાવ એ શુભાશુભ મનોયોગની દષ્ટિએ. કેમકે મનોયોગ એક આશ્રવતત્વ છે. ઈંદ્રિય-કષાય-અવ્રત-યોગ અને ક્રિયા એ પાંચ આશ્રવોમાં 'યોગ' યાને મન-વચનકાયાનો વ્યાપાર એ પણ એક આશ્રવ તરીકે ગણાયો, ને આશ્રવથી કર્મ બંધાય; - માટે શુભાશુભ ભાવ યાને શુભાશુભ મનોયોગ-મનોવ્યાપારથી શુભાશુભ કર્મ બંધાય એ દષ્ટિએ એ ગાથામાં બંધની જ વાત કરી. તપથી કર્મક્ષયમાં ભાવનું બળ જરૂરી : પરંતુ હવે સવાલ એ છે કે આત્મામાં ભાવ તો બે જાતના જ ચાલવાના, કાં મલિન ભાવ, કાં નિર્મળ, ત્યારે જો એનાથી શુભ-અશુભ કર્મબંધ જ હોય, તો પછી કર્મક્ષય કયા ભાવે ? અને ભાવબળ વિના જો જંગી કર્મક્ષય ન થતો હોય, તો બાહ્ય તપથી પ્રતિકૂળ ભોગવી લેવા માત્ર દ્વારા તો કર્મ કેટલા તૂટે? પરિમિત; વળી સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy