SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ આભ્યન્તર તપ ૨ વિનય - અહીં એક સમજવા જેવો પ્રશ્ન અને એનો ઉત્તર છે,પ્ર૦- ‘જયવીયરાય’ સૂત્રમાનાં ‘ભવનિવ્યેઓ મગ્ગાણુસારિયા ઇટ્ટસિદ્ધિ, લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ, પરન્થકરણં' એ છ ને શ્રી હરિભદ્રસૂરિ મહારાજે લૌકિક ધર્મ કહ્યો છે, તો લૌકિક ધર્મથી નિર્જરા યાને કર્મક્ષય કેમ થાય ? જો એથી કર્મક્ષય થતો હોય તો પછી લોકોત્તર ધર્મની વિશેષતા શી ? ઉ૦- આ પ્રશ્ન એવી સમજથી લાગે છે કે ‘લૌકિકધર્મ એટલે મિથ્યાદષ્ટિનો ધર્મ' પરંતુ આ ગેરસમજ છે. કેમકે ભવનિર્વેદ, માર્ગાનુસારિતા એ તો સમકિતીના ગુણ છે. સમ્યકત્ત્વનાં શમ-સંવેગ-નિર્વેદ વગેરે પાંચ લક્ષણમાં ‘ભવનિવેદ’ પણ ગણાયો. ‘માર્ગાનુસારિતા’ એટલે કે તત્ત્વાનુસારિતા એ પણ સમ્યક્ત્વનો ષસ્થાનને અનુસરવારૂપ ગુણ છે. ૧૭ ૪. પસ્થાન આ-૧ આત્મા છે. ૨. આત્મા નિત્ય છે. ૩. એ કર્મનો કર્તા છે, એ કર્મનો ભોક્તા છે, ૫. મોક્ષ છે અને ૬. મોક્ષના ઉપાય છે. સમકિતીને આ ષસ્થાનની શ્રદ્ધા હોય છે. એટલે ભવનિર્વેદ વગેરે એ સમકિતીના ગુણ છે, માટે એને મિથ્યાદષ્ટિના ગુણ ન કહેવાય. પ્ર૦- તો પછી એને લોકોત્તર ધર્મ કહેવો જોઈએ. ‘લૌકિક’ કેમ કહ્યો ? ઉ૦- અહીં ‘લૌકિક’નો અર્થ એ છે કે જે ગુણો લોકમાં પણ માન્ય છે, અર્થાત્ ઇતર ધર્મવાળા પણ જેને માને છે. એનો અર્થ એ નથી કે લોકોત્તર જૈન ધર્મ એને નથી માનતો. એ પણ એને માન્ય કરે છે, માટે જ એ કર્મક્ષયનું કારણ છે. પ્ર૦- વિનયાદિ ધર્મથી તો પુણ્ય થાય ને ? કર્મક્ષય કેમ થાય ? ઉ૦- ધર્મસાધનાથી ત્રણ કાર્ય બને છે. કેમકે ધર્મ સાધનામાં શુભ આશ્રય, સંવર અને નિર્જરા તત્ત્વ એમ ત્રણ અંશ છે. (૧) ધર્મ સાધના એ મન વચન કે કાયાથી થાય અને એથી એ શુભ મનયોગ કે વચનયોગ કે કાયયોગરૂપ બને, અર્થાત્ શુભ આશ્રવરૂપ થાય. આશ્રવથી કર્મ આવે, એમાં શુભ આશ્રવથી પુણ્યકર્મ બંધાય અને અશુભથી પાપકર્મ બંધાય. એટલે ધર્મસાધનામાંના ‘શુભાશ્રવ' અંશથી પુણ્ય આવે. (૨) ધર્મસાધનામાં રહેવાથી અશુભ આશ્રવ અટકે છે. એથી એ આશ્રવનિરોધ યાને ‘સંવર, થયો અને એથી પાપકર્મ બંધાતા અટકે. નિયમ છે કે આશ્રવથી કર્મ બંધાય, અને સંવરથી કર્મ અટકે. (૩) ધર્મસાધનામાં બાહ્ય કે આભ્યન્તર તપરૂપતા હોય, એથી એ ‘નિર્જરા’ તત્ત્વ બને, અને એમાં કર્મક્ષય થાય. આમ ધર્મસાધનામાં ૩ અંશ,-શુભાશ્રવ, સંવર, અને નિર્જરા. શુભાશ્રવથી શુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy