________________
| ધ્યાન અને જીવન આમ જીવનમાં લાગેલા-સેવેલા છૂપાને પ્રગટ દોષો પાપોની આલોચના પ્રાયશ્ચિત્ત કરવામાં
(૧) પાપથી બંધાયેલાં અને બીજાં કર્મોનો ક્ષય, (૨) સંસારના મૂળભૂત અહત્વનો નાશ, (૩) જીવનમાં એ નિમિત્તે ધર્મપ્રવેશ, અને (૪) શુભ ભાવની વૃદ્ધિ
ઈત્યાદિ મહાન લાભો થાય છે. પ્રાયશ્ચિત્ત મોટું આવે તો ડરવાની જરુર નથી કે “આ પુરું નહિ કરી અપાય તો ?' કારણ એ છે કે,
શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે પ્રાયશ્ચિત્ત વહન કરતાં કરતાં એ પુરું ન થયું, ને કદાચ જીવન સમાપ્ત થઈ ગયું, તો ય એ જીવ આરાધક છે, વિરાધક નહિ. ત્યારે પાપોની આલોચના પ્રાયશ્ચિત્ત નહિ કરનારો તો મહાવિરાધક બને છે. એ પાપોનાં શલ્ય અને કુસંસ્કાર લઈ પરલોક સિધાવે છે, એથી નવાં નવાં પાપો કરી ચિર કાળ સંસારમાં ભટકતો રહે છે. આલોચના શુદ્ધિ ન કરે અને બીજી બાજુ જંગી તપ આચરે તો પણ એ એળે જાય છે. લક્ષ્મણા સાધ્વીના ૨૦ વરસનાં માસખમણ અને ૧૬ વર્ષનાં આયંબિલતપ એળે ગયાં ! નિષ્કપટ આલોચના ન કરી મહા વિરાધક બની, અને ૮૦૦ કોડાકોડી સાગરોપમ કાળ સુધી એ સંસારમાં ભટકતી થઈ. માટે યાદ
રાખો
પાપોની આલોચના પ્રાયશ્ચિત્ત કરે એ આરાધક, અને ન કરે તે વિરાધક. વિરાધકને પછી પાપ-પરંપરા સલામત. - પ્રાયશ્ચિત્ત એ પહેલો આભ્યન્તર તપ એટલા માટે જ પ્રથમ નંબરે છે કે એના વિના પછીના વિનય વૈયાવચ્ચ વગેરે આભ્યન્તર તપ પણ એળે જાય છે.
૨ : બીજે આભ્યન્તર તપ ‘વિનય”| જૈન શાસનના ઝવેરાત અવનવાં છે. એ આપણને 'વિનય’ નામનું ઝવેરાત આપે છે કે એ એક આભ્યન્તર તપ છે; ને એથી મહાન કર્મક્ષયનો લાભ થાય છે. પ્ર૦- તો શું માતાપિતાનો વિનય કરે તો કર્મક્ષય થાય ?
ઉ૦- હા, જો કોઈ જાતના વડિલના કે અપકીર્તિના ભય વિના અથવા કોઈ જાતની લાલચ યા સ્વાર્થ-સાધુતા વિના માતાપિતા વડિલનો વિનય કરે તે એમ સમજીને કે શાચ્ચે ‘ગુરુજનની પૂજા’ ને ધર્મ કહ્યો છે, માટે મારે વડિલજન માતા પિતાદિનાં વિનય-બહુમાન કરવા જ જોઈએ, તો એ વિનય પણ કર્મક્ષયનો લાભ આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org