SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ આભ્યન્તર તપ-૧ પ્રાયશ્ચિત (૧૫) વિના તો જે પેલાં શલ્યો અને જે જંગી કર્મબંધ બધો જ અંકબંધ ઊભો રહે એથી તો શે બચાશે ? ખરી રીતે તો ધર્મનો ઉત્સાહ કેમ ન મરે ? :(૧) પાપ શલ્યો અને કર્મભારનાં ભાવી પાપભર્યા અને દુઃખભર્યા દુર્ગતિના અવતારોનો ભ્ય નજર સામે રાખવાથી ધર્મનો ઉત્સાહ મરે નહિ. (૨) વળી મહાવીર પરમાત્મા અને અનેક મહાપુરુષોનાં જ્વલંત ધર્મમય જીવન નજર સામે રાખતાં પણ ધર્મનો ઉત્સાહ ન મરે. ‘એ બુદ્ધિમાનોએ ધર્મ સાધ્યો, તો મારે વળી બીજો વિચાર શો કરવાનો ?' એમ શ્રદ્ધા-ઉત્સાહ રહે. (૩) ધર્મ-ઉત્સાહને મારનાર છે વિષયસુખોની અને માનપાનની અતિ લંપટતા. એના પર અંકુશ રાખવામાં આવે તો ધર્મનો ઉત્સાહ બન્યો રહે. (૪) ધર્મ કરતાં કરતાં પ્રત્યક્ષમાં એથી ચિત્ત સ્વસ્થતા, સ્ફર્નિ, શુભ ભાવનાઓ સ્વભાવની મુલાયમતા, જીવો પ્રત્યે મૈત્રી કરુણાભાવ, વગેરેના લાભ અનુભવાય તો પણ એના ભરોસે આગળ ધર્મ-ઉત્સાહ ન મરે. (૫) સાથે સાથે સાધુ મહારાજ અને બીજા ધર્મિક આત્માઓનો સંપર્ક રાખ્યા કરાય, ધાર્મિક શ્રવણ અને વાંચન ચાલુ રખાય, તો પણ ધર્મનો ઉત્સાહ ઊભો રહે. આમ ધર્મ-ઉત્સાહ ઊભો રહેવાથી સહેજે પ્રાયશ્ચિત્ત વાળી આપવાનું બની રહેવાનું. એમ જીવનમાં ધર્મ થયા કરવાનો. આલોચનાના પ્રયત્નમાં કેવળજ્ઞાન :(૪) પ્રાયશ્ચિત્ત લેવા જવામાં ચોથો લાભ આ, કે ગુરુ આગળ પોતાનાં પાપ ભારે પશ્ચાત્તાપ સાથે પ્રગટ કરવાનું બને છે. એમાં આત્મામાં જોરદાર શુભ ભાવની વૃદ્ધિ થાય છે. એથી આત્મા પરના કેટલાય કમનો વિધ્વંસ થઈ જાય છે. મહાનિશીથ” આગમ કહે છે કે કેટલીય સાધ્વીઓ હાય ! કેવું મેં અધમ પાપ કર્યું ? ચાલ ગુરુ પાસે જઈ એને આલોચી શુદ્ધિ કરું' એમ વિચારી ગુરુ પાસે જવા ચાલવા માંડી, ગુરુ પાસે હજી પહોંચી નથી, ત્યાં રસ્તામાં જ શુભ ભાવ વિકસતા કેવળજ્ઞાન પામી ગઈ ! તો કેટલીક વળી ગુરુ પાસે આલોચન-નિવેદન કરતાં કરતાં કેવળજ્ઞાની બની! ત્યારે કેટલીક પ્રાયશ્ચિત્ત યાચતાં, ને કેટલીક વળી ગુરુદત્ત પ્રાયશ્ચિત્તને સ્વીકારતાં ભાવવૃદ્ધિમાં કેવળજ્ઞાન પામી ગઈ !'-આ શાસ્ત્રવચન શું સૂચવે છે ? એજ કે, પાપના તીવ્ર પશ્ચાત્તાપ સાથે આલોચના કરવાની તમન્ના અને પ્રયત્નમાંય ભાવવૃદ્ધિ અને લખલુટ કર્મક્ષય થાય છે. પછી પ્રાયશ્ચિત્ત વહેવામાં તો પૂછવાનું જ શું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy