________________
( ૧૪
ધ્યાન અને જીવન મદ અને પાપોમાં રક્ત રાખે છે માટે એ મોટો ગુનો. અહીં જરા ઝીણવટથી જોશો તો દેખાશે કે માનભંગ જેટલું ખરાબ લાગ્યું એટલું પાપ દિલમાં રાખી મૂકે છે, પણ માનભંગ નથી વહોરી લેતો “માન ન હણાવું જોઈએ, પાપ ભલે પડ્યું રહે, માન કિંમતી, પણ પાપશુદ્ધિ એટલી મહત્ત્વની નહિ,” આવું લાગે છે. આમાં પછી માનની અને પાપની ગાંઠ બંધાઈ જાય એમાં શી નવાઈ ? નાનું પણ પાપ આમ પ્રાયશ્ચિત્ત વિના મોટું બની જાય છે.
પ્રાયશ્ચિત્તના ૪ લાભો (૧) પૂર્વનાં લાગેલાં પાપ ઉપરાંત, આલોચના-પ્રાચશ્ચિત્તમાં થતા શુભ ભાવના જસમાં બીજાં પણ કંઈ પાપોનો નાશ કરી દે છે. આ કેવો જબરદસ્ત લાભ !
(૨) પ્રાયશ્ચિત્ત માટે ગુરુ આગળ છૂપાં પાપ કહેવા જવામાં અભિમાન-અહંકાર તૂટે છે, એ પણ મહાન લાભ છે; કેમકે સંસારનો પાયો અહત્વ છે. અહત્વ પર મનને એમ થાય કે “મારે આ વિષયો જોઈએ, આ પૈસા જોઈએ.’ આમ અહત્વ પર તૃષ્ણા પર હિંસાદિ પાપો ગાજતાં રહે છે, ને એથી કમોં બંધાઈ આત્મા સંસારમાં ભટક્યા કરે છે. ગુરુ આગળ પાપોનું આલોચન આવા ખતરનાક અહંત્વને તોડે છે.
(૩) પ્રાયશ્ચિત લેવામાં ત્રીજે લાભ આ કે પ્રાયશ્ચિત્ત લેવા જતાં જે તપ-જપ પ્રાયશ્ચિત્ત તરીકે આવે છે, એનાથી જીવનમાં ધર્મસાધના એટલી તો નક્કી થઈ જ. કેટલાક માણસો ભવ-આલોચના અર્થાત જીવનભરનાં પાપોનું ગુરુ આગળ નિવેદન કરતાં ગભરાય છે કે હાય ! એમ કરીએ તો દંડ કેટલો બધો આવે ?' પણ એને ખબર નથી કે ભલા માણસ ! એ દંડ ક્યાં ૧-૨ મહિનામાં જ કરી આપવાનો છે? તારી શક્તિ મુજબ ૨-૩ વર્ષમાં કરજે ને, પણ એથી લાભ કેવો ઉમદા થશે કે આ નિમિત્તે જીવનમાં ધર્મ ઘુસી જશે. ત્યારે એવો ડર લાગે છે કે,
પ્રવ- પરંતુ પ્રાયશ્ચિત્ત લીધા પછી એ વાળવા ધર્મ ઉત્સાહ જ ન રહે તો ?
ઉ- તો શું ? દંડ માથે પડે ? અરે ! પાપની આલોચના જ નથી કરતો એને તો પાપનાં મોટાં ખતરનાક શલ્ય તથા થોક અશુભ કર્મ બંધ માથે પડેલાં છે, જે અનેક દુર્ગતિઓમાં પાપમાં ને દુઃખમાં સબડાવે છે.
પાપનાં શલ્યથી પાપાચરણ ચાલે; અને પાપના કર્મબંધથી દુઃખ ચાલે. ત્યારે જો ગુરુ આગળ પ્રશ્ચાત્તાપ સાથે આલોચના કરી, તો ત્યાં પાપનાં શલ્ય તુટ્યાં, ને એથી ભાવમાં પાપની પરંપરા અટકવાની, તો પછી આલોચના કરવી સારી ? કે દંડથી ગભરાઈ આલોચના ન કરવી સારી? પ્રાયશ્ચિત્ત લીધા પછી જીવ કદાચ એ કરી આપવામાં પ્રમાદી થયો, તો એટલાનો જ ગુનો થશે, પણ મૂળ આલોચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org