SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ [ આભન્તર તપ-૧ પ્રાયશ્ચિત | ૧૩. ત્યારે જો માનવી-સરકાર પણ બાહ્ય બનાવ કરતાં અંતરના પરિણામને મહત્ત્વ આપે, તો પછી કર્મ-સરકાર એને કેમ મહત્વ ન આપે ? (૩) નાનું ય પાપ એ મોટો ગુનો બનવાનું ત્રીજુ કારણ એ છે, કે નાનું પણ પાપ આચર્યા પછી જો એનો પશ્ચાત્તાપ નથી તો એનો અર્થ એ, કે એ આચરેલું ખરાબ લાગતું નથી તેથી ત્યારે, પાપ ખરાબ ન લાગે, એનો બળાપો જ ન થાય, એ મોટો ગુનો બની જાય છે. દા.ત. જુઓ કે છોકરો ઘરમાંથી થોડા જ પૈસા ચોરી જાય, પછી માબાપને જાણ થતાં એને ઠપકો આપે, ત્યાં જો એ છોકરો ચોરી કર્યાનો બળાપો દેખાડે તો તો માબાપ ક્ષમા કરે છે, પરંતુ જો છોકરો ઉદ્ધતાઈથી એમ કહે કે “એમાં ખોટું શું? સીધી રીતે પૈસા ન આપો તો ચોરીથી ય લેવાય. એ ચોરી કોઈ ગુનો નથી, આમ જો છોકરો ચોરી ખરાબ ન માને, તો માબાપ સમજે છે કે ખલાસ ! આ છોકરો ભયંકર દુષ્ટ બન્યો છે. હવે એને ઘરમાં ન રખાય. નાની પણ ચોરીને ખરાબ ન માનતાં, કોને ખબર, કાલે એ બધો ય માલ ઉઠાવી જાય તો ? દુનિયાના માબાપ પણ સમજે છે કે નાનો ય ગુનો ખરાબ ન માને, તો એની પાછળ મોટો ય ગુનો કરી નાખે એવી એની મનોવૃત્તિ બગડી. જ્ઞાની ભગવંતો કહે છે. નાનાં પાપને ય ખરાબ ન માનવામાં મોટો ગુનો આ, કે ફરીથી એ પાપનાં કે એથી વધુ મોટાં પાપનાં આચરણ સુલભ બને છે,' જીવનમાં જુઓ તો દેખાશે કે ખાવું ખોટું નથી લાગ્યું યા રાતે ખાવું ખોટું નથી લાગ્યું, તો ખાવા પાછળ કેવા પાપ ચાલે છે ? આઠમ ચૌદશ જેવી મોટી તિથિ આવી ત્યાં કાં તો એના પર કંટાળો અરુચિ દ્વેષ થાય છે કે આ ક્યાં આવી ? અગર એની પરવા જ નથી હોતી. મનને એમ થાય છે કે “આપણે વળી આ તિથિ-ફિથિ શું ? એ તો વેવલાના ધંધા... કહો, ક્યાં પહોંચ્યો ? તિથિએ ઉપવાસ કરી જરા દુબળા પડનારા પર એ તિરસ્કાર કરે છે; એને દયાપાત્ર ગણે છે, 'બિચારા મફતના હાથે કરીને કૂટાય છે એમ કહે છે ! આ બધુ શાના પર? મૂળમાં ખાવું ખોટું એમ લાગ્યું નથી એના પર, બસ, આજે કોઈ નાનું પણ અને અવશ્ય કરવું પડતું પણ પાપ ખોટું, ખરાબ, અકર્તવ્ય,’ એમ ન લાગે, એની ભયંકરતા મોટી છે. (૪) નાનું પાપ મોટો ગુનો થવાનું ચોથું કારણ આ, પાપ કદાચ ખોટું ય લાગ્યું અને એના પર સંતાપ પણ થયો, છતાં માનની લાગણીમાં તણાયા, ને માનભંગ થવાના ભયથી ગુરુ આગળ એનો સ્પષ્ટ ઇકરાર ન કર્યો, પ્રાયશ્ચિત્ત ન લીધું. તો દિલમાં પાપની અને માનની ગાંઠ પડી જાય છે, શલ્ય જામી જાય છે. અને એ ભાવી ભવોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy