________________
( ૧૨ )
|| ધ્યાન અને જીવન પાપનો ઈકરાર કર્યો અને પેલો શૂળીએ વિંધાયેલો તો હવે મરવા પડ્યો છે, તે એણે અનશન કરી લીધું, અને કન્યા કઠોર તપ વગેરે ધર્મમાર્ગે ચડી ગઈ, જેથી પ્રમાદથી બચી જવાય.
જ્ઞાનીના કહેવા હિસાબે બંનેએ પૂર્વે ગુરુ પાસે જઈ પાપનું નિવેદન અને પ્રાયશ્ચિત કર્યું હોત તો આ દુઃખદ પ્રસંગથી બચી જાત. પ્રાયશ્ચિત્ત એ આવા દુઃખદ પ્રસંગથી બચાવી લે છે.
પ્રી-બોલવાનું પાપ તો મામુલી જેવું છે, તો એના પર સજા આટલી બધી ભયંકર કેમ ? શું કર્મસત્તાને ત્યાં અન્યાય છે ?
ઉ૦- ના, અન્યાય નથી, પરંતુ આવડી મોટી સજાની પાછળ કારણ એ છે કે, પાપ નાનું કર્મસજા મોટી કેમ? નાના દેખાતા ગુના પર થતી ભયંકર કર્મસા પાછળના કારણો -
(૧) બુદ્ધિશક્તિવાળો મનુષ્ય ભવ એ જીવનો ઊંચો હોદ્દો છે. ઊંચા હોદ્દાવાળાનો પણ ગુનો આ દુનિયાની સરકારમાં ય મોટો ગુનો ગણાય છે. ન્યાયાધીશે થોડી પણ લાંચ ખાધી એમ સાબિત થાય, તો એ હોદ્દા પરથી ડૂલ ! અને ભારે સજા પામે છે ! એમ, ઊંચા હોદાવાળો માનવ ભવ; એમાં નાનો પણ ગુનો મોટા જેવો છે. આ એક કારણ. બીજું કારણ આ છે (૨) બોલવાનું કે કરવાનું પાપ ભલે બાહ્ય દેખાવમાં નાનું દેખાય, પરંતુ એની પાછળ ધમધમી ઊઠેલો ગુસ્સો યા બીજી વિષય કે કષાયની લાગણી અને મોટો ગુનો બનાવી દે છે.
દા.ત. જુઓ, અંધારામાં સાપ સમજી દોરડા પર લાકડીનો ઘા કર્યો ત્યાં દેખીતો જીવનાશ થયો નથી, છતાં અંતરની સાપ મારવાની વેશ્યાના આધારે દોરડા પરનો ઘા એ મોટો ગુનો બને છે; ને ત્યાં સાપ માર્યાનું પાપ લાગે છે. એટલે,
આંતરિક મલિન પરિણામની ઉગ્રતા બાહ્યા નજીવા પણ પાપાચરણને મોટો દોષ બનાવી દે છે.
એથી ઉલટું, અંતરમાં એવા ઉગ્ર મલિન પરિણામ ન હોય, અને બાહ્ય કાર્ય ભયંકર બન્યું હોય, તો ગુનો એવો નહિ ગણાય.
દા.ત. મજૂર ભંગાર ઘરનાં રોડાં બહાર ફેંકતો હોય, એમાં નીચે કોઈ માણસ અજાણે ભૂલભૂલમાં નજીક આવી જતાં એની ખોપરી પર ઈંટોડો પડે, ને કદાચ મરે, તો પણ કાયદાની દષ્ટિએ પેલો મજૂર ખૂની નહિ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org