SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ આભ્યન્તર તપ-૧ પ્રાયશ્ચિત (૧૧) અહીં ઊંઘવાનો ડોળ કરે છે? ઊઠ ઊઠ હવે તારો કાળ આવી લાગ્યો છે.' છોકરો કહે ભાઈસાબ ! હું તો પરદેશી છું, હું કાંઈ જ જાણતો નથી. આ છરોય મારો નથી, ને કંકણે હું લાવ્યો નથી.' કોટવાલ કહે બસ બેસ હરામખોર ! તને ઓળખીએ છીએ.' એમ કહી છોકરાને પકડીને લઈ ચાલ્યા રાજા પાસે. રાજાએ કોટવાળનું નિવેદન સાંભળી સજા ફરમાવી કે “આને શૂળી દઈ દો.” બસ, અહીં “શું શૂળીએ ચડવા ગઈ હતી ?” એ ગાળનું કર્મ ઉદયમાં આવ્યું, તે એ શ્રેષ્ઠિપુત્રને વહેલી પ્રભાતે શૂળી ભોંકાઈ ગઈ.' જ્ઞાનીનો પ્રકાશ : સવારે જ્ઞાની ભગવંત પધાર્યા, લોકો એમની દેશના સાંભળવા આવ્યા. જ્ઞાની કહે છે, “મહાનુભાવો ! પ્રમાદમાં ન પડશો. પ્રમાદ જેવો કોઈ શત્રુ નથી. એ જીવને ભયંકર દુઃખમાં મૂકે છે. દા.ત. જુઓ અહીંની શ્રેઝિકન્યા અને બહારથી આવેલ એના પતિની કરુણ દશા...” એમ કહી જ્ઞાની મહાપુરુષે આખી હકીકત કહી સંભળાવી. બતાવ્યું કે પૂર્વભવે ગુસ્સામાં ‘શૂળીએ ચડવા ગઈ હતી ?” બોલનાર પુત્રના જીવને એ કોધપ્રમાદ અને અપશબ્દ-પ્રમાદે અહીં ખરેખર શૂળી ભોંકાવાનું ભયંકર દુઃખ દેખાડ્યું. ત્યારે ગુસ્સામાં કાંડાં કપાઈ ગયા હતા? બોલનારી માતાના જીવને અહીં કાંડાં ખરેખર કપાવાનું જાલિમ દુઃખ આવ્યું.’ આ સાંભળતાં જ ત્યાં સાંભળવા આવેલી પેલી કન્યા અને એનો બાપ ચમકી ઊઠયા, જઈને શૂળી દીધેલા પેલા માણસને જુએ છે તો બાપે એને પોતાના જમાઈ તરીકે અને કન્યાએ પોતાના પતિ તરીકે ઓળખી લીધો. કન્યા અને પિતા બંનેને પારાવાર ખેદ થયો કે “અરેરે ? ગુનેગાર તો બીજે જ, ને આ બિચારો નિર્દોષ આપણો સગો જ શૂળીએ ભેદાયો.” કન્યા-કુમારને પસ્તાવો : ત્યાં જ્ઞાનીનાં વચનથી કન્યા અને એના પતિને પોતાનાં પૂર્વના ગુસ્સાના બોલ પર ભારે તિરસ્કાર છૂટ્યો, મનને દુઃખનો પાર નથી. જ્ઞાની ભગવંત સમજાવે છે કે વિષયો અને કષાયો એ પ્રમાદ છે. એના વિચાર બોલ અને કાર્યવાહી એ પ્રમાદાચરણ છે. મન, વાણી કે કાયાથી થતું પ્રમાદાચરણ ભયંકર છે. આ જીવનમાં એ સેવાઈ ગયાં હોય તો પશ્ચાતાપ સાથે ગુરુ પાસે એનું સ્પષ્ટ આલોચન-નિવેદન કરીને પ્રાયશ્ચિત્ત માગી લેવું જોઈએ. એથી એ પાપ ધોવાઈ જાય, એનાં બંધાયેલ કર્મ તૂટી જાય. નહિતર તો એ ભવાંતરે ભયંકર દુઃખદ વિપાક દેખાડે પછી જ એ તૂટે.’ કન્યા અને શ્રેષ્ઠિપુત્ર બંનેને ત્યાં પૂર્વ જન્મનું સ્મરણ થયું, બંનેએ ગુરુ આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy