SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૨૩૭ બિયારણના સહારે શું ? : માનવભવના સહારે કેવા ખાસ ભવ ? : માટે આ ભવનો સહારો સમજો. ખેડૂત પાસે ઘઉંના થેલા હોય એના સહારે મામિઠાઈ બનાવી ખાવાની લહેર તો ઉડાવી શકે, પરંતુ ખેડૂત એમ ન કરતાં એના સહારે ખેતરમાં મોટા મલખબ પાક ઉતારે છે. એમ માનવભવના સહારે ઈન્દ્રિયોના વિષયોમાં મૂઢ બની મલિન ભાવોમાં રમતા રહી શકાય છે, પરંતુ એનું પરિણામ શું ? એવા ભાવો તો બીજા-ત્રીજા ભવના સહારે ક્યાં નહોતા થઈ શકતા ? ખેડૂતની જેમ ‘લાંબા ગાળે શું ?’ એ વિચાર રાખી આ ભવના સહારે શુભ પવિત્ર ભાવોમાં રમતા બની જવું જોઈએ. સમજવું જોઈએ કે, મારે બાહ્યનું બનવામાં ભલે કર્મની પરતંત્રતા હોય, પણ અંતરના નિર્મળ ભાવ કરવામાં મારો આત્મા સ્વતંત્ર છે. બાહ્ય સંયોગો ગમે તેવા હોય છતાં અંતરમાં નિર્મળ ભાવ વિકસાવી શકું છું.' આત્માના સ્વાતંત્ર્યનો ઉપયોગ મિલન ભાવોને અટકાવવામાં અને શુભ ભાવોને વિકસાવવામાં કરવો જોઈએ. અસંમત નાસ્તિકે આ સ્વાતંત્ર્યનો ઉપયોગ કર્યો તો કેવળજ્ઞાન પામવા સુધી શુભ અને શુદ્ધ ભાવને વિકસાવ્યો. પરંતુ એમાં નિમિત્ત શું મળ્યું ? લલિતાંગ મહર્ષિના તપનો પ્રભાવ એ નિમિત્ત બન્યું. મુનિ પહેલાં એનો નાસ્તિકવાદ મૂકાવવા વાદવિવાદમાં ઉતરવાને બદલે બાહ્ય અને આભ્યન્તર તપમાં ચડ્યા એનો એ પ્રભાવ પડ્યો કે નદીનાં પૂર એમને ડૂબાડી શક્યા નહિ, અગ્નિ એમને બાળી શક્યો નહિ અને એ જોતાં નાસ્તિક શ્રેષ્ઠિપુત્ર અસંમત ચોંકી ઉઠતાં જાતે જ હૃદય-પરિવર્તન કરી નાસ્તિકતા મૂકી દઈને શુભ ભાવમાં ચડ્યો ! તપની બલિહારી છે, માટે જ ભગવાન કહે છે, ‘પૂર્વે પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્તથી નહિ તોડેલાં પાપકર્મો કાં તો હવે ભોગવાઈને નાશ પામે, અગર તપથી નાશ પામી શકે.' ત્યારે બધાં જ કર્મ ભોગવી ભોગવીને જ નષ્ટ કરવાને કોણ તૈયાર હોય ? એમાં જન્મારા પણ કેટલા બધા જોઈએ ? એટલે કર્મનાશનો શ્રેષ્ઠ ઉપાય જ તપ. તો આ ઉચ્ચ જનમમાં ખરું કરવાનું આ શક્ય. એટલા ઉત્કૃષ્ટ તપમાં લાગી કર્મોના ઝુંડના ઝુંડ સાફ કરવાના. બાહ્ય તપનું મહત્ત્વ શું ? તપમાં ભલે સ્વાધ્યાય-ધ્યાનાદિ આભ્યન્તર તપ ચડિયાતો છે, કિન્તુ એને ખરેખર પુષ્ટ કરનાર બાહ્ય તપ છે. અનશન-ઉપવાસાદિ, દ્રવ્યસંક્ષેપ, રસત્યાગ, કાયકષ્ટ વગેરેથી મનની બાહ્ય વૃત્તિઓ પર અંકુશ મૂક્યો હોય, તો જ શાસ્ત્ર સ્વાધ્યાય સ્વસ્થ ચિત્તે થઈ શકે, ધ્યાન સ્થિર લાગી શકે. નહિતર તો વૃત્તિઓ કૂદાકૂદ કરતી હોય ત્યાં સ્થિરપણે અને સ્વસ્થતાથી સ્વાધ્યાય ધ્યાન ક્યાં થાય ? વળી બાહ્ય તપથી ઈન્દ્રિયોને વિષયોમાં જવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy