________________
(૩૮)નું ધ્યાન અને જીવન - પર કોઈ અટકાયત ન મૂકી હોય, અંકુશ ન મૂક્યો હોય, અર્થાત્ એને છૂટ એટલે કે ઈન્દ્રિયોની અવિરતિ આસક્તિ હોય, તો પણ ધ્યાનને કેટલી જગા રહે ? ધ્યાનમાં ચિત્તસ્થર્યના ઉપાય :
કહેવાનો સાર આ છે કે મહર્ષિ ધ્યાનમાં સ્થિર રહી શકતા, તે બાહ્ય તપના જેર ઉપર. “કાયકષ્ટ' તપમાં ઉપવાસો કરીને કાયાને કાયોત્સર્ગમાં ઊભી રાખવામાં કષ્ટ પડે એ સ્વેચ્છાએ વધાવી જ લીધું, તેથી હવે મનને કાયામાં જવાનું રહે નહિ, તેમજ “સંલીનતા તપથી કાયા-વાણી ઈન્દ્રિયો-ઈન્દ્રિવિષયોની પ્રવૃત્તિ સંકોચી લીધી, તેથી મનને એમાં જવાનું રહે નહિ, એટલે સહેજે એ મન ધ્યાનમાં સ્વાધ્યાયમાં સ્થિર ચાલ્યા કરે. તાત્પર્ય
બાહ્ય તપમાં મન બાહ્યમાંથી હટાવાય છે અને આભ્યન્તઃ તપમાં મનને અંતરમાં સ્થિર કરાય છે.
આમ મહર્ષિની બાહ્યતપના બળ ઉપર ઊભી થયેલ આભ્યન્તર તપની સાધનાનો જે પ્રભાવ પડ્યો, એથી અસંમત નાસ્તિક નાસ્તિકપણું મૂકી આસ્તિક થયો, પોતાના પાપો પર એટલા અનહદ પશ્ચાત્તાપ અને ધર્મ પર એટલી બધી અથાગ શ્રદ્ધાવાળો બન્યો કે શુભ ભાવનામાં આગળ વધતાં ટેઠ કેવળજ્ઞાન સુધી ચડી ગયો !
કર્મ ભોગવાઈને તુટે એના કરતાં તપથી અનેક ગુણા તુટે. (૧) કર્મ માત્ર ભોગવીને જ તોડવાનાં હોય, અગર (૨) તપથી થોડા જ પ્રમાણમાં કર્મનાશ થતો હોય, તો તો કર્મોના નિકાલનો પાર જ ન આવે. માટે કહો,
જંગી કર્મનાશ તપથી થાય. અસંમત નાસ્તિકે પૂર્વ ભવે એવી મહા તપ સાધનાથી કર્મનાશ કર્યો હશે, પરંતુ કોઈ ધર્મ-વિરાધનાથી અહીં નાસ્તિકપણું આવ્યું હશે, છતાં મુનિના તપના પ્રભાવે એનું હૃદય-પરિવર્તન થયું, ને ધ્યાનતપ સુધી ચડી ગયો, તો એ તપે સમસ્ત ઘાતકર્મનો ક્ષય કરી નાખ્યો ! શુભ ધ્યાનમાં લાગવું છે?
તો સ્થિર મનથી લાગશે અને એ માટે કાયા ઈન્દ્રિયો અને એના વિષયોમાં તણાઈ જતું મન બાહ્યતપથી અટકાવવું પડશે. પછી ત્યાં અશુભ આર્તધ્યાન અટકશે તો જ શુભ ધર્મધ્યાન લાગશે. આર્તધ્યાનને પ્રેરનારી છે સુખશીલતા, અસંયમ, ને વિષયાસક્તિ. એને અટકાવ્યા વિના આર્તધ્યાન શાનું અટકે ? ને એ વિના શુભ ધ્યાન ક્યાંથી લાગે ? મન એક સમયે એક જ ધ્યાનમાં રહી શકે, જે એ આર્તધ્યાનમાં તો ધર્મધ્યાનમાં નહિ. માટે આર્તધ્યાનમાં મનને લઈ જનારી કાયા, ઈન્દ્રિયો અને વિષયોના અભ્યાસ બાહ્યતાના લાંબા અભ્યાસથી ઓછા કરી નાખવા પડે. બાહ્યતપનો મહિમા ઘણો.
પ્રથમ ભાગ સમાપ્ત. (વિશેષ માટે ભાગ-૨ વાંચો)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org