SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ન ધ્યાન અને જીવન ૩૫ – લાભમાં રાજીપો થાય. દા.ત. કોઈના પર ક્રોધ કર્યો અને એમાં ફાવટ દેખાઈ, સામે દબાઈ ગયો, આપણી વાહવાહ થઈ, ત્યાં એ લાભ ગમતાં, તદર્થ કરેલો ગુસ્સો ગમી જાય છે. આ લાભોના રાજીપા પર કરેલ દુષ્કૃત્યનો રાજીપો રહે એ દુષ્કૃત્યનું બીજ સૂચવે છે. એ પછી નવાં દુષ્કૃત્ય આચરવાના ભાવ ઊભા રાખે છે, દિલમાં એનો કોઈ સંકોચ નહિ, કોઈ રંજ નહિ, દુષ્કૃત્યો ફરી સેવવા પડે એની હોંશ રહે !... આ બધું શું છે? દુષ્કૃત્યોનું બીજ સલામત રહ્યું. (૪) એમ દુષ્કૃત્યકારી સ્વાત્મા સારો લાગે એ અંદરમાં દુષ્કૃત્યબીજ પડ્યાનું લક્ષણ છે. પછી દુષ્કૃત્ય કરવામાં જીવ સજ્જ રહેવાનો. પુરુષાર્થ કરીને જો આ લક્ષણો હટાવવામાં આવે, તો દુષ્કૃત્યનાં બીજો બળીને સાફ થઈ જાય. પછી તો દુષ્કૃત્ય આચરવા તરફ કોઈ હોંશ નહિ, હોશિયારી નહિ, આત્માની દશા અને દિશા જ પલટાણી. - દુષ્કૃત્યોના સળગતા પશ્ચાત્તાપમાં એનાં બીજ બાળી નાખવાની સજ્જડ તાકાત છે. પશ્ચાત્તાપ કરતાં આવડવો જોઈએ, દિલના ઉંડાણમાંથી એ ઉઠવો જોઈએ. અસંમત નાસ્તિક એવા પશ્ચાત્તાપમાં ચડ્યો હતો. એણે જોયું કે “મારી યોજનાથી મુનિ ભલે બળ્યા નહિ, પરંતુ મેં તો ખરેખર એમને બાળી નાખવાનો જ પ્રયત્ન કર્યો, એટલે વસ્તુસ્થિતિએ તો બાળી નાખવાનું જ પાપ કર્યું ! આટલી બધી પારિષ્ઠ કાર્યવાહી કેમ થઈ ? કારણ એ જ કે જીવન નાસ્તિક વાદમાં નાના મોટા પાપાચરણો ભર્યું રાખ્યું. એટલે આ પાપાચરણોમાં ડુબાડુબ રાખનારો અને ગોઝારા વિષયસુખમાં લયલીન રાખનારો નાસ્તિકવાદ પણ ખોટો અને એ પાપાચરણો તથા વિષયાસક્તિ ય ખરાબ.' આમ અસંમતને હૃદયથી પાપાચરણની ઓળખ થઈ ગઈ, ને એના પર પશ્ચાત્તાપ સળગ્યો, એનું જોશ વધતાં દુષ્કૃત્ય-બીજ બળી ગયાં, તેથી હવે સન્મતિનો પ્રવાહ વધે છે, તે પર ભાવના ભાવતાં આત્મભાન વધુ ને વધુ ઝળહળે છે. (૨) શુભ ભાવના સ્વાતંત્ર્ય પર આત્માની સાબિતી : અસંમતને તીવ્ર પાપ પશ્ચાત્તાપ પર દુષ્કૃત્યનાં બીજ એવાં બળી ગયાં કે હવે જોરદાર આત્મભાન ઝળહળે છે. એને એમ થાય છે કે – “વળી જ્યારે મુનિના આંતરિક સંયમ અને તપધર્મનો આટલો પ્રભાવ જોવા મળ્યો, ત્યારે એ સૂચવે છે કે ધર્મ એ ખરાખરી ચીજ છે અને એ શરીરની નહિ પણ આત્માની વસ્તુ હોઈ, આત્મા પણ એક સત્ તત્ત્વ છે. એ છે માટે તો દુષ્કૃત્ય કરાવનારા રાગ-દ્વેષ-મિથ્થામતિ વગેરે મલિન ભાવોને છોડી સન્મતિ-વૈરાગ્ય-ક્ષમા-અહિંસાદિ શુભ ભાવો કરવામાં આત્મા સ્વતંત્ર છે. એમાં એને પોતાના શરીરની પણ પરવા રાખવાની જરૂર નથી. શરીર કચરાઈ જાય, કુટાઈ જાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy